મુખ્યમંત્રીએ 2084 કરોડ આપ્યાં અને કહ્યું, જેમ તેમ કામ નહીં ચલાવી લેવાય, બધું વ્યવસ્થિત થવું જોઈએ..

Spread the love

રાજ્યની 8 મહાનગરપાલિકાઓ-વિવિધ નગરપાલિકાઓને એક જ દિવસમાં એક સાથે 2084 કરોડ રૂપિયાના ચેક વિકાસ કામો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અર્પણ કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીએ વિકાસના કામોમાં ગુણવત્તા-ક્વોલિટી સાથે કોઇ સમાધાન કે બાંધછોડ ન કરવાની પણ સ્પષ્ટ તાકીદ કરી હતી. આ તકે મુખ્યમંત્રીએ રાજ્યનાં નગરો-મહાનગરોના આયોજનબદ્ધ વિકાસ કામો હાથ ધરવા સૌને સાથે મળીને આગળ વધવા આહવાન કરતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના નેતૃત્વમાં રાજ્ય સરકારનું નાણાંકીય વ્યવસ્થાપન એવું સુદ્રઢ છે કે, વિકાસ કામોમાં નાણાંની ક્યારેય કમી રહેતી નથી.

આ સમારોહમાં અમદાવાદ મહાનગરપાલિકાને રૂ.735 કરોડ, સુરતને રૂ. 569 કરોડ, વડોદરાને રૂ. 172 કરોડ, રાજકોટને રૂ.135 કરોડ તથા જામનગરને રૂ.109 કરોડ તેમજ ગાંધીનગરને રૂ. 37 કરોડ, ભાવનગરને રૂ. 94 કરોડ તથા જૂનાગઢ મહાનગરપાલિકાને રૂ. 31 કરોડ મળી 8 મહાનગરોને કુલ રૂ. 1882 કરોડ વિવિધ વિકાસ કામો માટે આપવામાં આવ્યા હતા. એટલું જ નહીં, ‘અ’ વર્ગની નગરપાલિકાઓને 44 કરોડ, ‘બ’ વર્ગને 36 કરોડ તથા ‘ક’ વર્ગને પણ 36 કરોડ તેમજ ‘ડ’ વર્ગની નગરપાલિકાઓને રૂ. 17 કરોડ મળી સમગ્રતયા 2084 કરોડ રૂપિયાની રકમ એક જ દિવસમાં એક સાથે અર્પણ કરવામાં આવી હતી.

ચેક વિતરણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, શહેરો, ગ્રામીણ વિસ્તારો, નાના નગરો બધાનો આયોજન પૂર્વક અને ભવિષ્યની જરૂરીયાતોને ધ્યાનમાં રાખીને વિકાસનું આગવું વિઝન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશીપમાં વિકસ્યું છે. આપણા શહેરી ક્ષેત્ર સહિતનો વિકાસ વિશ્વના વિકસિત દેશો કરતાં ક્યાંય પાછળ નથી અને વિશ્વના રાષ્ટ્રોમાં જે શ્રેષ્ઠ સુવિધા હોય તે ગુજરાત-ભારતમાં પણ મળે છે તેવી પ્રતિતી વડાપ્રધાનના નેતૃત્વમાં G-20ની સફળતાપૂર્વકની પ્રેસીડેન્સીથી ભારતે G-20 દેશોને કરાવી છે.

પાછલા દશકનો ગ્રોથરેટ એવરેજ 10 ટકાથી વધુ છે એટલું જ નહીં, આત્મનિર્ભરતા તરફ આગળ વધીને આપણા શહેરો ગામોએ મેઇક ઇન ઇન્ડિયા સાકાર કર્યું છે. આપણા નગરો-મહાનગરોમાં સુખ સુવિધા, વૃદ્ધિના કામો સાથે સ્વચ્છતાનો ચુસ્ત આગ્રહ વડાપ્રધાનએ રાખ્યો છે ત્યારે સ્થાનિક સત્તાતંત્રો પોતાના નગર-મહાનગરમાં સ્વચ્છતા માટે સતત કાર્યરત રહે તે જરૂરી છે.

તેમણે ઉમેર્યુ કે, વડાપ્રધાનએ આપેલા સ્વચ્છ ભારતના ધ્યેયને વધુ વ્યાપક બનાવવા આપણે નિર્મળ ગુજરાત 2.0 લોન્ચ કર્યું છે અને જન જનમાં સ્વચ્છતા સ્વભાવ બને તેનું અભિયાન ઉપાડ્યું છે. સામાન્ય માનવીના જીવનમાં પરિવર્તન-બદલાવનું મોટું કામ વડાપ્રધાનના દિશાદર્શનમાં નગરો-મહાનગરો-ગામોના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને નાગરિક સુખ સુવિધાના કામોથી થયું છે. હવે વિકસિત ભારત@2047ના નિર્માણનાં વડાપ્રધાનના સંકલ્પમાં સ્વચ્છ, સુવિધાયુક્ત નગરો મહાનગરોના વિકાસથી ગુજરાતે વડાપ્રધાનના આ સંકલ્પને પણ હંમેશની જેમ લીડ લઈને પાર પાડવાનો છે.

શહેરી વિકાસ અગ્ર સચિવ અશ્વિની કુમારે સ્વાગત પ્રવચન કરતાં કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અત્યાર સુધીમાં શહેરી વિકાસ વિભાગ તરફથી મોકલવામાં આવેલી તમામ દરખાસ્તો અંગે શહેરી વિકાસ મંત્રી તરીકે હંમેશા હકારાત્મક અભિગમ દાખવીને ત્વરિત નિર્ણયો લીધા છે. તેમના નેતૃત્વમાં એક જ વર્ષમાં બીજી વખત ચેક વિતરણ અંગેનો આવો મોટો કાર્યક્રમ યોજાયો છે.

2003માં રાજ્યના શહેરી વિકાસ વિભાગનું બજેટ માત્ર 175 કરોડ રૂપિયા હતુ, તે ચાલુ વર્ષે 19,670 કરોડ રૂપિયાથી પણ વધ્યું છે. એટલે કે સો ટકા કરતાં પણ વધુ રકમની વૃદ્ધિ થઈ છે. આ રકમનો આપણે નાગરિકોની સુખાકારી માટે માટે ખર્ચ કરીએ છીએ. આગામી વર્ષોમાં રાજ્યમાં રોડ-રસ્તા, બ્રિજ, જળ વ્યવસ્થાપન, એસટીપી, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ જેવી બધી જરૂરીયાતો લગભગ સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગઈ હશે. તેનાથી આગળ વધીને લોકોની અપેક્ષાઓને અનુરૂપ સિટિઝન સેન્ટ્રીક સેવાઓ પર ફોકસ કરી રહ્યાં છીએ.

આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, ધારાસભ્યઓ, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર હિતેશ મકવાણા, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, કમિશનર મ્યુનિસિપાલિટીઝ એડમિનીસ્ટ્રેશન રાજકુમાર બેનીવાલ, શહેરી વિકાસ વિભાગના સચિવ આર. જી. ગોહિલ, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના સીઈઓ વહોનિયા, વિવિધ મહાનગરપાલિકાઓનાં મેયરઓ, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનઓ, નગરપાલિકાઓનાં પ્રમુખ-ઉપપ્રમુખઓ, હોદ્દેદારો અને મ્યુનિસિપલ કમિશનરઓ તેમજ શહેરી વિકાસ વિભાગના અધિકારીઓ ઉપસ્થિતિ રહ્યાં હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com