ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાની રજુઆતના પગલે રાજ્ય સરકારે પોરબંદર તાલુકાના વિસાવાડાના બારા પાસે દરિયાઈ બીચ વિકસાવવાની યોજના જાહેર કરી

Spread the love

પોરબંદરના કર્લી જળાશય પક્ષી અભ્યારણને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા રૂપિયા ૧૫ કરોડની બજેટમાં જોગવાઈ કરવામાં આવી

બરડા અભ્યારણમાં જંગલ દર્શન સફારી શરૂ કરવાની સાથે બરડા જંગલના તિર્થ સ્થળોનો વિકાસ કરી રૂપિયા ૫૦ કરોડના ખર્ચે “બરડા ટુરીસ્ટ સર્કીટ” શરૂ કરવામાં આવશે

અમદાવાદ

પોરબંદરમાં મહાત્મા ગાંધીની જન્મભૂમિ તરીકે “આઈકોનીક ટુરીસ્ટ સ્પોટ” વિકસાવવા માટે માન. ધારાસભ્યશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ કરેલ રજુઆત સંદર્ભે પણ સરકાર વિચારણા કરતી હોવાની જાહેરાત આજે વિધાનસભામાં કરવામાં આવી.પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાની રજુઆતના પગલે ગુજરાત સરકારે પોરબંદર તાલુકાના વિસાવાડા(મુળ દ્વારકા)ના બારા પાસે દરિયાઈ બીચ વિકસાવવાની યોજના જાહેર કરી હતી. આ ઉપરાંત પોરબંદરના કર્લી જળાશય પક્ષી અભ્યારણને વિકસાવવા રૂપિયા ૧૫ કરોડની બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે, પોરબંદરમાં મહાત્મા ગાંધીની જન્મભૂમિ તરીકે “આઈકોનીક ટુરીસ્ટ સ્પોટ” વિકસાવવા માટે કરેલ રજુઆત સંદર્ભે પણ સરકાર વિચારણા કરતી હોવાની જાહેરાત આજે વિધાનસભામાં કરવામાં આવી હતી.

પોરબંદરના વિસાવાડા(મુળ દ્વારકા) ના બોરા પાસે દરિયાઈ બીચ વિકસાવવા માટે ઘણા વખતથી માન. ધારાસભ્યશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા રજુઆત કરવામાં આવતી હતી. રાજ્ય સરકારે આ માંગણી સ્વિકારીને વર્ષ ૨૦૨૪-૨૫ ના બજેટમાં વિસાવાડા(મુળ દ્વારકા) પાસે દરિયાઈ બીચ વિકસાવવાની જાહેરાત કરી હતી. આજે વિધાનસભામાં પ્રશ્નોતરી દરમિયાન ધારાસભ્યશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના પ્રશ્નના જવાબમાં પ્રવાસન મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ વિસાવાડા(મુળ દ્વારકા) પાસે દરિયાઈ બીચ વિકસાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી. ઉપરાંત પોરબંદરના કર્લી મોકર સાગર ને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા પક્ષી અભ્યારણ માટે રૂપિયા ૧૫ કરોડની બજેટમાં જોગવાઈ કરીને ટેન્ડરો બહાર પાડવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પોરબંદરને મહાત્મા ગાંધીની જન્મભૂમિ તરીકે “આઈકોનીક ટુરીસ્ટ પ્લેસ) તરીકે વિકસાવવાની યોજના બનાવવાનું પણ સરકારની સક્રિય વિચારણા હેઠળ હોવાનું માન. મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું. શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા પુછવામાં આવેલ પ્રશ્નના જવાબમાં મંત્રીશ્રી મુળુભાઈએ જણાવ્યું હતું કે બરડા અભ્યારણમાં જંગલ દર્શનની સફારી શરૂ કરવાની સાથે બરડા જંગલના તિર્થ સ્થળોનો વિકાસ કરી રૂપિયા ૫૦ કરોડના ખર્ચે “બરડા ટુરીસ્ટ સર્કીટ” શરૂ કરવામાં આવશે. અર્જુનભાઈ મોઢવાડિયાએ વિધાનસભામાં જણાવ્યું હતું કે પોરબંદરને આઈકોનીક ટુરીસ્ટ પ્લેસ” તરીકે વિકસાવવાથી પ્રવાસીઓ માટે તો ઉત્તમ કક્ષાની સુવિધાઓ ઉભી થશે જ સાથે સાથે સ્થાનિક રોજગારીનું પણ સર્જન થવાની સાથે વ્યપાર-ધંધામાં પણ વિકાસ થશે. શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પોરબંદરના વિસાવાડા(મુળ દ્વારકા)માં દરિયાઈ બીચ વિકાસ, કર્લી-મોકર સાગર પક્ષી અભ્યારણને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે રૂપિયા ૧૫ કરોડની જોગવાઈ કરવા તથા બરડા પ્રવાસન સર્કીટ માટે રૂપિયા ૫૦ કરોડની જોગવાઈ કરવા માટે રાજ્ય સરકાર અને માન. મંત્રીશ્રી મુળુભાઈનો આભાર માન્યો હતો. સાથે જ પોરબંદરને મહાત્મા ગાંધીના જન્મ સ્થળ તરીકે પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે તાકીદે પ્રોજેક્ટની જાહેરાત કરવા વિનંતી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com