ચ- 0 પાસે ભંગારમાં આગ લાગી, ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી જઈ આગ ઉપર કાબુ મેળવી રાહતનો દમ લીધો

Spread the love

ગાંધીનગરના ચ- 0 સર્કલ નજીક મેટ્રો સ્ટેશન નજીક ભંગારનાં સામાનમાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠતાં ફરજ પરનાં કર્મચારીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. જો કે ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી જઈ આગ ઉપર કાબુ મેળવી રાહતનો દમ લીધો હતો.

સામાન્ય રીતે ઉનાળા દરમિયાન શોટ સર્કિટ થવાના લીધે આગની ઘટનાઓમાં ઉછાળો આવતો રહે છે. ગઈકાલે સરગાસણ હાઈટેક હોસ્પિટલની પાછળ આવેલ એક રહેણાંક સોસાયટીના બંધ મકાનમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ટીમે તુરંત ઘટનાસ્થળે દોડી જઈ આગ પર કાબુ મેળવી લેવાયો હતો. પ્રાથમિક તપાસમાં એસીમાં શોટ સર્કિટ થવાના લીધે આગ લાગી હોવાનું સામે આવ્યું હતું. ત્યારે આજે ચ- 0 સર્કલ નજીક મેટ્રો રેલવે લાઈન નીચે રાખેલા ભંગારના સામાનમાં આગ લાગી હોવાની ઘટના ઘટી હતી.

મેટ્રો રેલવે લાઇનના સ્પાન નીચે વીજ વાયરો, લોખંડના સળિયા સહિતનો ભંગારનાં સામાન અચાનક આગ લાગી હતી. ધીમે ધીમે આગે ભંગારના સામાનને લપેટમાં લઈ લેતા ફરજ પરના શ્રમિકો – કર્મચારીઓએ આગ ઓલવવાનાં પ્રયાસો કર્યા હતા. જો કે આગ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા ધુમાડાના ગોટેગોટા ઉડવા લાગ્યા હતા.

જેનાં પગલે ગાંધીનગર ફાયર બ્રિગેડને મદદ માટે ફોન કરવામાં આવ્યો હતો. આ કોલ મળતા જ ફાયરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને સતત પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. બનાવના પગલે મોટી સંખ્યામાં રાહદારીઓ પણ એકઠા થઈ ગયા હતા. ફાયરનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, સ્ક્રેપ મટીરીયલ્સનાં સામાનમાં આગ લાગી હતી. જેનાં પર કાબુ મેળવી લેવાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com