જો તમે અમારા બે ઉમેદવારોને જીતાડશો તો એક દિવસ એવો નહીં જાય કે જ્યારે સંસદમાં ગુજરાતનો અવાજ નહીં ઉઠાવાય: અરવિંદ કેજરીવાલ

Spread the love

‘આપ’ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ગુજરાતમાં લોકસભા ચૂંટણી પ્રચારની શરૂઆત કરી.

2014 અને 2019માં ગુજરાતની જનતાએ ભાજપને 26માંથી 26 બેઠકો આપી, પરંતુ ગુજરાતની જનતાને શું મળ્યું?:આ વખતે ભરૂચની જનતા તેમના દિકરા ચૈતર વસાવાને પ્રચંડ બહુમતીથી ઐતિહાસિક વિજય અપાવશે:ચૈતરભાઈ વસાવા મારી નજરમાં મોટા હીરો છે અને મને ગર્વ છે કે ચૈતરભાઈ આજે આપણી પાર્ટીમાં છેઃવિધાનસભાની ચૂંટણી પહેલા ઉમેશભાઈ પર ભાજપના લોકો દ્વારા જીવલેણ હુમલો થયો હતો, તેમ છતાં તેઓ તૂટ્યા નહિ:મને આશા છે કે આ વખતે ભાવનગરની જનતા ઉમેશ મકવાણાને પ્રચંડ બહુમતીથી ચૂંટશે અને સંસદમાં મોકલશેઃ30 વર્ષની સરકાર પછી જો સરપંચને કહેવું પડે કે તેના ગામમાં શાળા નથી તો ભાજપે ગુજરાતમાં 30 વર્ષ સુધી શું કર્યું?:ભાજપના લોકો આદિવાસીઓને નફરત કરે છેઃ અરવિંદ કેજરીવાલ

અમને આશા છે કે ભાવનગર અને ભરૂચની જનતા અમારા બંને ઉમેદવારોને સંસદમાં મોકલશેઃ મેં 2 વર્ષમાં કોઈપણ ભ્રષ્ટાચાર વિના 42,992 સરકારી નોકરીઓ આપી:પંજાબમાં આજે 2 મહિના માટે 600 યુનિટ મફત વીજળી મળે છે, જેના કારણે 90% લોકોનું વીજળીનું બિલ શૂન્ય છે:હવે પંજાબમાં કોઈને સરકારી ઓફિસ જવાની જરૂર નથી, કારણ કે સરકારી ઓફિસ લોકોના ઘરે આવે છેઃ ભગવંત માન

અમદાવાદ

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજી આજે લોકસભા ચૂંટણી પ્રચારની શરૂઆત કરવા ગુજરાત આવી પહોંચ્યા છે. બપોરે તેઓ બરોડા એરપોર્ટ પર પહોંચ્યા હતા. એરપોર્ટ પર મીડિયા મિત્રો સાથે વાતચીત દરમિયાન અરવિંદ કેજરીવાલજીએ કહ્યું કે, આમ આદમી પાર્ટી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં બે સીટો પર ચૂંટણી લડી રહી છે. અમે ગુજરાતની જનતાને અપીલ કરવા માંગીએ છીએ કે છેલ્લી ચૂંટણીમાં ગુજરાતની જનતાએ 26માંથી 26 લોકસભા બેઠકો ભાજપને આપી હતી, પરંતુ જીતેલા સાંસદો જનતાની સેવા કરવાને બદલે ભાજપના ગુલામ બની રહ્યા છે. તેઓ ચૂંટણી જીત્યા બાદ ગુજરાત માટે કોઈ કામ કરતા નથી. તેથી, અમે જનતાને અપીલ કરીએ છીએ કે અમને એક તક આપો અને જો તમને લાગે કે અમે સારું કામ કર્યું છે તો જ અમને આગામી વખતે મત આપજ.

આ પછી, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજી લોકસભા ચૂંટણીના પ્રચારની શરૂઆત કરવા માટે સભા સ્થળ પર પહોંચ્યા. અરવિંદ કેજરીવાલે મોટી સંખ્યામાં હાજર કાર્યકર્તાઓ સમક્ષ પોતાની વાત રજૂ કરતાં કહ્યું કે, લોકો કહે છે કે ગુજરાતમાં બે જ પક્ષ ચાલે છે, પરંતુ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અમે પહેલીવાર ચૂંટણી લડ્યા અને લોકોએ અમને 14% મત આપ્યા અને અમારા પાંચ ધારાસભ્યો પણ બન્યા. તેથી અમે એક મોટી ગેરસમજ તોડી નાખી કે ગુજરાતમાં માત્ર બે જ પક્ષો ચાલે છે. સમય અને સંસાધનોની અછતને કારણે, અમે વધુ પ્રચાર કરી શક્યા ન હતા, તેમ છતાં અમને 14% મત મળ્યા, આ આમ આદમી પાર્ટીની મોટી જીત હતી. આજે આમ આદમી પાર્ટી જનતાની સમસ્યાઓ માટે, તમારા બાળકોના શિક્ષણ માટે, તમારા પરિવારની સારવાર માટે, તમારા રસ્તા, વીજળી અને પાણી માટે કામ કરી રહી છે.ગુજરાતની જનતાએ ભાજપને 156 બેઠકો આપી, પરંતુ તેમ છતાં ભાજપે ગુજરાતમાં એક પણ કામ કર્યું નથી. પંજાબમાં અમારી સરકારને માત્ર 2 વર્ષ થયાં છે, છતાં માન સાહેબે એવાં કેટલાંય કામો કર્યા છે જે બીજું કોઈ કરી શકતું નથી. અહીં 156 બેઠકો હોવા છતાં અન્ય પક્ષોને તોડવામાં આવી રહ્યા છે. આજે માત્ર આમ આદમી પાર્ટી જ દેશ અને દેશના ભવિષ્ય માટે કામ કરી રહી છે. મારું દિલ કહે છે કે એક દિવસ ચોક્કસપણે આવશે જ્યારે માત્ર આમ આદમી પાર્ટી જ આ દેશને ભાજપથી મુક્ત કરાવશે. મારું દિલ કહે છે કે એક દિવસ કેન્દ્રમાં આમ આદમી પાર્ટીની સરકાર ચોક્કસ બનશે. અને જ્યારે આ દિવસ આવશે અને આમ આદમી પાર્ટીનો ઈતિહાસ લખાશે ત્યારે એ પણ લખવામાં આવશે કે ગુજરાતની જનતાએ આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટી બનાવી હતી.2014 અને 2019માં ગુજરાતની જનતાએ ભાજપને 26માંથી 26 બેઠકો આપી, પણ ગુજરાતની જનતાને શું મળ્યું? ગુજરાતમાં ઘણી બધી સમસ્યાઓ છે જેમ કે પેપર વારંવાર લીક થાય છે, પરંતુ એક પણ સાંસદે સંસદમાં ગુજરાતના યુવાનોનો અવાજ ઉઠાવ્યો નથી. ગુજરાતમાં દારૂના કૌભાંડમાં લોકો વારંવાર જીવ ગુમાવતા હતા ત્યારે આ 26 સાંસદો ક્યાં હતા? જ્યારે ગુજરાતના બાળકો રોજગાર માટે રસ્તાઓ પર પ્રદર્શન કરે છે અને પોલીસ તેમના પર લાઠીચાર્જ કરે છે, તો આ 26 સાંસદો ક્યાં હોય છે? જે 26 સાંસદો ગુજરાતની જનતા માટે અવાજ ઉઠાવી શકતા નથી તેનો શું ફાયદો? હું ગુજરાતની જનતાને અપીલ કરવા માંગુ છું કે અત્યાર સુધી તમે ભાજપમાંથી 26 સાંસદો બનાવ્યા છે, પરંતુ અમને એક તક આપો અને અમારા બે સાંસદો બનાવો. જો તમે અમારા બે ઉમેદવારોને જીતાડશો તો એક દિવસ એવો નહીં જાય કે જ્યારે ગુજરાતનો અવાજ સંસદમાં ન સંભળાતો હોય. અમારા બે ઉમેદવારો જીતશે ત્યારે ગુજરાતના મુદ્દા સંસદમાં ઉઠાવવામાં આવશે.હમણાં જ અમે જોયું કે બીજેપી સાંસદ સીઆર પાટીલ બીજેપી ઓફિસનું ઉદ્ઘાટન કરવા આવ્યા હતા. ત્યાં એક સરપંચે કહ્યું કે તેમના ગામમાં શાળાઓ બનાવવામાં આવી રહી નથી. તમે લોકો એમ જ વિચારો કે ભાજપના લોકો આખા દેશમાં ભાજપની ફાઈવ સ્ટાર ઓફિસો બનાવી રહ્યા છે પણ આ લોકો તમારા બાળકો માટે શાળાઓ નથી બનાવતા. દિલ્હીમાં શાનદાર સરકારી શાળાઓ બનાવવામાં આવી રહી છે પરંતુ આમ આદમી પાર્ટીની કોઈ ઓફિસ બનાવવામાં આવી નથી. સરકારના 30 વર્ષ પછી સરપંચને કહેવું પડે કે તેના ગામમાં શાળા નથી, તો 30 વર્ષમાં ભાજપે ગુજરાતમાં શું કર્યું? ભાજપના લોકો ક્યારેય શાળાઓ અને હોસ્પિટલો બાંધશે નહીં કારણ કે તેઓ તેને બનાવવાનો ઇરાદો ધરાવતા નથી, તેમને માત્ર પૈસા અને સત્તા જોઈએ છે.

ચૈતર વસાવા મારી નજરમાં મોટા હીરો છે અને મને ગર્વ છે કે ચૈતરભાઈ આજે અમારી પાર્ટીમાં છે. આજના યુગમાં આપણને બહુ ઓછા લોકો જોવા મળે છે જે બીજાને ન્યાય આપવા માટે જેલમાં જાય છે. જ્યારે ચૈતરભાઈ એક ખેડૂતને તેમની જમીનના મુદ્દે ન્યાય આપતા હતા ત્યારે ચૈતરભાઈને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા, પરંતુ આ લોકોએ ચૈતરભાઈ તેમજ તેમની પત્નીને જેલમાં ધકેલી દેતાં હદ થઈ ગઈ હતી. આ લોકો ચૈતરભાઈ વસાવાને તોડવા માંગતા હતા. ચૈતરભાઈ વસાવાને ઘણી લાલચ આપવામાં આવી હતી પરંતુ તેઓ હાર્યા નહોતા. અમે જ્યારે ચૈતરભાઈની પત્નીને જેલમાં મળવા ગયા ત્યારે અમને લાગ્યું કે તે અમારાથી ગુસ્સે થશે, પરંતુ તેણે હસીને કહ્યું કે તે ઠીક છે. હું ચૈતર ભાઈની પત્નીને વંદન કરું છું. મને આશા છે કે ચૈતરભાઈ વસાવા ભરૂચ લોકસભા બેઠક પરથી ઐતિહાસિક જીત હાંસલ કરશે.

ભાજપના લોકો આદિવાસીઓને નફરત કરે છે. તેથી જ તેઓએ હેમંત સોરેનને પણ જેલમાં ધકેલી દીધા છે. સમગ્ર દેશમાં એક જ આદિવાસી મુખ્યમંત્રી છે અને તેમને પણ ભાજપે જેલમાં ધકેલી દીધા હતા. જ્યારે મેં તેનો સંપૂર્ણ કેસ સ્ટડી કર્યો ત્યારે મને ખબર પડી કે તેણે કોઈ ખોટું કર્યું નથી, તે નિર્દોષ છે. ભાજપના લોકોએ આદિવાસી વિસ્તાર સિવાયના વિસ્તારોમાં થોડો વિકાસ કર્યો છે, પરંતુ આદિવાસી વિસ્તારોમાં કોઈ વિકાસ થયો નથી. તેઓએ આદિવાસીઓના તમામ પૈસા ખાઈ લીધા અને કોઈ રસ્તા, શાળા કે હોસ્પિટલો બનાવી નથી. તેથી હું ભરૂચની જનતાને અપીલ કરવા માંગુ છું કે આ વખતે તેમના પુત્ર ચૈતર વસાવાને પ્રચંડ બહુમતીથી ઐતિહાસિક વિજય અપાવો.ભાવનગરના અમારા ઉમેદવાર ઉમેશ ભાઈ મકવાણા છે. ભાગ્યે જ લોકોને ખબર હશે કે વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપના લોકો દ્વારા ઉમેશભાઈ પર જીવલેણ હુમલો થયો હતો. એક સમયે અમને એ પણ ખબર ન હતી કે તે બચશે કે નહીં. જ્યારે મને લાગે છે કે ચૈતર ભાઈ અને ઉમેશ ભાઈ જેવા લોકો અમારી પાર્ટીમાં છે અને આ લોકો પોતાનો જીવ જોખમમાં મૂકે છે અને પાર્ટી છોડી રહ્યા નથી ત્યારે મારાં રુવાંટા ઊભા થાય છે. ઉમેશ ભાઈ મકવાણા કોળી સમાજમાંથી આવે છે અને મને આશા છે કે આ વખતે ભાવનગરની જનતા પણ તેમને જંગી બહુમતીથી ચૂંટીને સંસદમાં મોકલશે.

હું ગુજરાતની જનતા પાસે માત્ર આ બે બેઠકો માંગવા આવ્યો છું. ગયા વર્ષે જલંધરમાં પેટાચૂંટણી થઈ હતી અને અમે ત્યાં જીત્યા હતા. અને અમે ત્યાં એટલું સારું કામ કર્યું જેના કારણે આજે એટલું સારું વાતાવરણ છે કે અમે પંજાબમાં 13માંથી 13 સીટો જીતી રહ્યા છીએ. આજે હું ગુજરાતના અમારા ચારેય ધારાસભ્યો સાથે વાત કરું છું, હું જોઉં છું કે તેઓ ઉત્તમ કામ કરી રહ્યા છે. હું તમને વચન આપું છું કે આ 2 બેઠકો જીત્યા પછી, અમે એટલું કામ કરીશું કે જો અમે સારું કામ નહીં કરીએ તો હું 2027ની વિધાનસભા ચૂંટણીમાં મત માંગવા પણ નહીં આવું. આજે હું દિલ્હીથી ઝોળી ફેલાવીને તમારો મત માંગવા આવ્યો છું, અમે જનતાને અમારા ભગવાન માનીએ છીએ, અમે તમારા સેવક છીએ. એકવાર અમારા બે ઉમેદવારો જીતી જાય, હું તમને વચન આપું છું કે તેઓ એટલું સારું કામ કરશે કે 2027ની વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે.આ પછી પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજી એ પોતાના મંતવ્યો આપતા કહ્યું કે, ભાવનગર લોકસભા સીટ પરથી ઉમેશભાઈ મકવાણા અને ભરૂચ લોકસભા સીટ પરથી ચૈતરભાઈ વસાવા લોકો વચ્ચે જશે અને અમને આશા છે કે ભાવનગર અને ભરૂચની જનતા સાથ આપશે અને સંસદમાં પહોંચાડશે. ચૈતરભાઈ વસાવા પોતાના લોકોના અધિકારોનું રક્ષણ કરતા જેલમાં ગયા અને તેમના પરિવારને પણ જેલમાં ધકેલી દેવામાં આવ્યો. જે જનતાની સેવા કરે છે અને જનતાના અધિકારોનું રક્ષણ કરે છે તે જ સાચો નેતા છે. મેં ગુજરાતમાં ઘણો સમય વિતાવ્યો અને આજે હું ઘણી હદ સુધી ગુજરાતી વાંચતા અને બોલતા શીખી ગયો છું. મેં બોર્ડ પર ગુજરાતીમાં વાંચ્યું “ગુજરાતમાં પણ કેજરીવાલ”. મતલબ કે અરવિંદ કેજરીવાલની વિચારસરણી ગુજરાતમાં પણ પહોંચશે. 20-25 વર્ષ પછી જ્યારે ઈતિહાસમાં લખાશે કે જેના કારણે આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બની, ત્યારે તે સુવર્ણ અક્ષરે લખવામાં આવશે કે ગુજરાતની જનતાના કારણે જ આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બની. .

આજે ગુજરાતમાં પણ અમારા ધારાસભ્યો છે, દિલ્હી અને પંજાબમાં અમારી સરકારો છે, મધ્યપ્રદેશના સિંગરૌલીમાં અમારી પાસે મેયર છે અને દિલ્હીના MCDમાં મેયર છે, પરંતુ આજે સૌથી પ્રખ્યાત અમારા ચંડીગઢના મેયર છે. કારણ કે આપણે બધાએ જોયું કે કેવી રીતે ચંદીગઢ મેયરની ચૂંટણીમાં લોકશાહીની હત્યા કરવામાં આવી હતી. પછી લોકશાહી બચાવવા માટે અમે સુપ્રીમ કોર્ટમાં ગયા અને ઇતિહાસમાં પહેલીવાર સુપ્રીમ કોર્ટે બધું તપાસીને મેયરનું નામ જાહેર કર્યું કે ચંદીગઢમાં હવે આમ આદમી પાર્ટીનો મેયર હશે. અમે તે ચૂંટણી જીતી ગયા પરંતુ અમને એક ડર છે કે જ્યારે માત્ર 36 મતોની ગણતરીમાં આ ગડબડી કરવામાં આવી હતી ત્યારે હવે મે મહિનામાં 92 કરોડ મતોની ગણતરી થશે ત્યારે શું થશે? આજે બાબા સાહેબે બનાવેલું બંધારણ ખતરામાં છે અને આજે આપણે આ બંધારણને બચાવવા લોકો વચ્ચે આવ્યા છીએ. આજે આપણે બંધારણ બચાવવા માટે જ ઈન્ડિયા એલાયન્સમાં જોડાયા છીએ.બંને લોકસભા બેઠકો પર પ્રચાર પહેલેથી જ ચાલી રહ્યો છે અને લોકોનું સમર્થન પણ જોરદાર છે. પરંતુ આજે અમારા અભિયાનની સત્તાવાર શરૂઆત કરવામાં આવી રહી છે. આપણે જોયું કે આદિવાસીઓના વિસ્તારમાં જળ, જંગલ અને જમીન ત્રણેય છીનવાઈ રહ્યા છે. જ્યારે ચૈતરભાઈએ ખેડૂતને ન્યાય મેળવવા માટે અવાજ ઉઠાવ્યો ત્યારે તેમને અને તેમની પત્નીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા. જ્યારે કોઈએ દિલ્હીના એક મોટા નેતાને કહ્યું કે દિલ્હીની સરકારી શાળાઓ ખૂબ સારી થઈ ગઈ છે, તેથી જ વાલીઓ તેમના બાળકોને ખાનગી શાળાઓમાંથી ઉપાડી રહ્યા છે જ્યાંથી અમે કમિશન લઈએ છીએ અને સરકારી શાળાઓમાં મોકલી રહ્યા છે. જેના કારણે આપણને ઘણું નુકસાન થઈ રહ્યું છે. પછી તે મોટા સાહેબે દિલ્હીની સરકારી શાળાઓને આધુનિક બનાવનાર મનીષ સિસોદિયાજીને જેલમાં ધકેલી દીધા. પછી એ જ રીતે સારી હોસ્પિટલો બનાવવા અને મફત સારવાર આપવા બદલ મોટા સાહેબે સત્યેન્દ્ર જૈન જીને પણ જેલમાં પૂર્યા. ત્યારબાદ સંસદમાં અવાજ ઉઠાવનાર સંજય સિંહ જીને પણ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. હવે ઇડી અરવિંદ કેજરીવાલ જીને રોકવા માટે વારંવાર સમન્સ મોકલી રહ્યું છે. આપણો પ્રશ્ન એ છે કે દેશમાં શું ચાલી રહ્યું છે? તમે અરવિંદ કેજરીવાલજીની ધરપકડ કરશો પણ તેમની વિચારસરણીને કેવી રીતે પકડી શકશો. આમ આદમી પાર્ટી ખતમ થનાર પાર્ટી નથી.અરવિંદ કેજરીવાલજી એક મોટા અધિકારી હતા, હું પંજાબમાં ખૂબ જ પ્રખ્યાત કલાકાર હતો, પરંતુ આજે આપણે રાજકારણમાં એટલા માટે આવ્યા છીએ કારણ કે જેઓ રાજકારણમાં છે તેમણે પોતાનું કામ સારી રીતે કર્યું નથી. જેના કારણે અમે વધુ સારા કામની રાજનીતિ સાથે રાજકારણમાં પ્રવેશ્યા છીએ. આપણે જોયું છે કે ભગતસિંહે જે આઝાદીનું સ્વપ્ન જોયું હતું તે આજ સુધી લોકોના ઘર સુધી પહોંચી નથી. ભગતસિંહના વિચારોને અનુસરીને, અમે લોકોને તેમના સપનાની આઝાદી અપાવવા માટે અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં લડી રહ્યા છીએ. પહેલા દુકાનો અને ઘરોને ઝાડુથી સાફ કરવામાં આવતા હતા પરંતુ આપણે સાથે મળીને આખા દેશને ઝાડુથી સાફ કરીશું. મેં 2 વર્ષમાં 42,992 સરકારી નોકરીઓ આપી છે. આજે કોઈ પણ વ્યક્તિ પૈસાના બદલામાં કોઈને નોકરી આપવાનો આરોપ નથી શકતા. અમે પંજાબમાં આમ આદમી પાર્ટીના 829 ક્લિનિક્સ ખોલ્યા છે, આ ક્લિનિક્સમાં 1.25 કરોડ લોકોએ તેમની સારવાર કરાવી છે અને કોઈને મોટી હોસ્પિટલોમાં પૈસા ખર્ચવા પડ્યા નથી. આજે આપણે પંજાબમાં શ્રેષ્ઠ શાળાઓ ખોલી રહ્યા છીએ.આજકાલ આપણે સાંભળીએ છીએ કે સરકાર સરકારી કંપનીઓને ખોટમાં બતાવીને વેચે છે. પરંતુ પંજાબમાં ગંગા ઉલટી વહી રહી છે કારણ કે પંજાબની અમારી આમ આદમી પાર્ટીની સરકારે ખાનગી થર્મલ પ્લાન્ટ ખરીદ્યો હતો. પંજાબની ઝારખંડમાં પોતાની કોલસાની ખાણ છે, જે છેલ્લા 8 વર્ષથી બંધ હતી. જ્યારે અમે તેને શરૂ કર્યું, ત્યારે આજે અમારી પાસે કોલસો પણ છે, તેથી અમે પંજાબના 90% લોકોને મફત વીજળી આપીએ છીએ. આજે પંજાબમાં 2 મહિના માટે 600 યુનિટ મફત વીજળી મળે છે, જેના કારણે 90% લોકોનું વીજળી બિલ શૂન્ય છે. ટાટા સ્ટીલનો બીજો સૌથી મોટો પ્લાન્ટ લુધિયાણામાં બની રહ્યો છે. કારણ કે અમે 10-15 દિવસથી વધુ સમય લેતા નથી અને NOC આપીએ છીએ, જેના કારણે રોકાણ માટે સારું વાતાવરણ ઊભું થયું છે. અમારી પાસે આપકી સરકાર આપકે દ્વાર નામની યોજના છે, જેના હેઠળ સરકારી અધિકારીઓ ગામડે ગામડે જઈને લોકો માટે કામ કરે છે. જેના કારણે લોકોના જાતિના પ્રમાણપત્ર, આધારકાર્ડ કે એવું કોઈ કામ ગામમાં જ થાય છે. પંજાબમાં હવે કોઈને સરકારી ઓફિસ જવાની જરૂર નથી કારણ કે સરકારી ઓફિસ લોકોના ઘરે આવે છે. આ બધું કામ આપણે એટલા માટે કરી શકીએ છીએ કારણ કે આપણો ઈરાદો સારો છે.આ કાર્યક્રમમાં અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માનજી ઉપરાંત ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી, રાષ્ટ્રીય સંયુક્ત સચિવ ગોપાલ ઇટાલિયા, કાર્યકારી પ્રમુખ રાજુભાઇ સોલંકી, ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર ચૈતર વસાવા અને ભાવનગર લોકસભા બેઠકના ઉમેદવાર ઉમેશ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com