આપણે મહાભારત નહીં શ્રેષ્ઠ ભારત બનાવવાંનું છે, રૂપાલાને માફ કરી દેવું જોઈએ : VHP

Spread the love

ક્ષત્રિય સમાજ મામલે એક તરફ વિવાદ આગળ વધી રહ્યો છે. જ્યારે ક્ષત્રિય સમાજની માંગણી રાજકોટથી રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ છે. ત્યારે હવે રૂપાલાને બચાવવા માટે VHP મેદાનમાં આવ્યું છે. VHP તરફથી પરશોત્તમ રૂપાલાને માફી આપવા માટે અપીલ કરવામાં આવી છે.

છેલ્લા થોડાં દિવસથી રાજકોટથી ભાજપના ઉમેદવારા પરશોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ અંગે કરવામાં આવેલી ટિપ્પણીના કારણે વિવાદ ચાલી રહ્યો છે. આ વચ્ચે રૂપાલાએ માફી માંગી છતા પણ વિવાદ વધી રહ્યો છે. ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પણ ક્ષત્રિય સમાજ રૂપાલાને માફ કરે તેવી અપીલ કરવામાં આવી છે.

ગાંધીનગર ખાતે વિશ્વ હિન્દુ પરિષદના આગેવાને જણાવ્યું કે, ક્ષત્રિય સમાજ રૂપાલાને માફ કરે. મોટું મન રાખી સમાધાન થાય તે પણ જરૂરી છે. જ્યારે મહાભારતથી શ્રેષ્ઠ ભારત તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે સૌએ સાથે રહીને આગળ વધવું જોઇએ.

આ તરફ રૂપાલાની ટિકીટ રદ કરો તે રૂપાલા સામે ક્ષત્રિય સમાજ કઈ પણ રીતે લડી લેવાના મૂડમાં છે.અમદાવાદમાં પણ હવે વિરોધ શરૂ થઈ ગયો છે,ચાંદખેડા ગામમાં ચૂંટણી પ્રચાર માટે ઉમેદવારોના પ્રવેશબંધીના પોસ્ટર લાગ્યા છે, તો નરોડા અને ખોખરામાં રૂપાલા વિરુદ્ધના પોસ્ટર લાગ્યા છે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com

Your browser is blocking some features of this website. Please follow the instructions at http://support.heateor.com/browser-blocking-social-features/ to unblock these.