સ્ટોરી : પ્રફુલ પરીખ
અમદાવાદના લોકોએ મને ઘણો બધો પ્રેમ કર્યો છે મેં પ્રથમ વખત સૂટ પણ અમદાવાદમાં કર્યું હતું. મને મારી ઓળખ અમદાવાદ અને ગુજરાત થી મળી છે તેથી હું આ ફિલ્મનું પ્રમોશન અમદાવાદથી કરવા ઈચ્છતો હતો. મારી પ્રથમ ફિલ્મને તમે જેટલો પ્રેમ કર્યો એટલો જ મારી આ રુસ્લાન ફિલ્મને કરશો તેવી મને આશા : આયુષ
અમે ગઈકાલે રાત્રે ગોરધન થાળમાં ગુજરાતી ભોજન નો આનંદ માણ્યો હતો અને જાંબુનશોટ નો ટેસ્ટ પણ આહલાદક હતો : હું ઘણી એક્સાઇટેડ છું. હું બહુ ભાગ્યશાળી છું કે આ ફિલ્મમાં મારી પસંદગી થઈ. હું પ્રથમ વખત આ બધું અનુભવ કરી રહી છું તેનું મને ઘણું આનંદ છે. સ્ટંટમેન ઇમરાનને રીટેક બાદ થોડી ઈજા થઈ હતી ક્લોઝ અપ શોર્ટમાં મેં જોયું તો થોડો લોઇ વહેતું હતું પરંતુ ત્યારબાદ હું મારી વેનેટીમાં જઈ અને રોવું પણ આવ્યું હતું. અને હું ઈમોશન બની ગઈ હતી : અભિનેત્રી સુશ્રી મિશ્રા
અમદાવાદ
આયુષ શર્માની મસાલા એક્શન એન્ટરટેઈનર ‘રુસ્લાન’ ના પ્રમોશન માટે ફિલ્મ ના સ્ટારકાસ્ટ એ અમદાવાદ શહેર ની મુલાકાત લીધી હતી અને અમદાવાદીઓ સાથે ગુજરાતી ફૂડ માણવાની સાથે સાથે લોકો જોડે ઈન્ટરેક્ટ કર્યું હતું. પાંચ વર્ષથી વધુ સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હોવાના કારણે શર્માએ જણાવ્યું હતું કે આ સફર પીડાદાયક રીતે ધીમી રહી છે પરંતુ તેણે તેનો દરેક ભાગ માણ્યો છે. મને ‘રુસ્લાન’થી એક વાતનો અહેસાસ થયો છે કે જ્યારે તમે તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળો છો અથવા તમારી પ્રોટેક્ટિવ દુનિયામાંથી બહાર આવો છો ત્યારે ઘણું જોખમ હોય છે. પરંતુ જોખમ સાથે ઘણો અનુભવ પણ આવે છે. હું ત્યાં જવા માટે તૈયાર છું,તેમણે ઉમેર્યું હતું.
આયુષે કહ્યું: અમદાવાદના લોકોએ મને ઘણો બધો પ્રેમ કર્યો છે મેં પ્રથમ વખત સૂટ પણ અમદાવાદમાં કર્યું હતું. મને મારી ઓળખ અમદાવાદ અને ગુજરાત થી મળી છે તેથી હું આ ફિલ્મનું પ્રમોશન અમદાવાદથી કરવા ઈચ્છતો હતો. મારી પ્રથમ ફિલ્મને તમે જેટલો પ્રેમ કર્યો એટલો જ મારી આ રુસ્લાન ફિલ્મને કરશો તેવી મને આશા છે. આ ફિલ્મ ની કહાની પારિવારિક છે એકે છોકરો ગિટાર છોડીને કેવી રીતે બંદૂક પકડે છે તેની કહાની છે આ એવી ફિલ્મ છે જેમાં તમને નવા વીલેન્સ મળશે અને નવી એક્શન જોવા મળશે. ફિલ્મમાં હવે શું થશે હવે શું થશે તેઓ રોમાન્સ પણ જોવા મળશે.”રુસ્લાનમાં, અમે એક અવિસ્મરણીય વાર્તા બનાવી છે જે લાગણી અને ક્રિયાને મિશ્રિત કરે છે જે હૃદયને સ્પર્શે છે અને એક મુક્કો આપે છે. અમે આશા રાખીએ છીએ કે તે શક્ય તેટલી મધુર રીતે લોકો ને ગમશે” થીમ મ્યુઝિક ટીઝર સમાપ્ત થયા પછી લાંબા સમય સુધી પ્રેક્ષકોના મગજમાં ટકી રહેવાનું વચન આપે છે. “રુસલાન એ માત્ર એક ફિલ્મ નથી; તે એક રોમાંચક પ્રવાસ છે જે પ્રેક્ષકોને મોહિત કરવાનું વચન આપે છે. એક્શન અને હૃદયપૂર્વકની લાગણીના સંપૂર્ણ મિશ્રણ સાથે, તે દર્શકો સાથે ઊંડે સુધી પડઘો પાડવા માટે રચાયેલ છે.”આયુષ શર્મા, સુશ્રી મિશ્રા, જગપતિ બાબુ અને વિદ્યા માલવડે અભિનીત, 26 એપ્રિલે રિલીઝ થનારી ‘રુસ્લાન’, કરણ એલ. બુટાની દ્વારા દિગ્દર્શિત અને શ્રી સત્ય સાઈ આર્ટ્સ દ્વારા નિર્મિત છે.
અભિનેત્રી સુશ્રી મિશ્રાએ જણાવ્યું હતું કે અમે ગઈકાલે રાત્રે ગોરધન થાળમાં ગુજરાતી ભોજન નો આનંદ માણ્યો હતો અને જાંબુનશોટ નો ટેસ્ટ પણ આહલાદક હતો મારી આ પ્રથમ ફિલ્મ શર્મા સાથે 26 મી એપ્રિલે રિલીઝ થઈ રહી છે તેમાં ડાન્સ અને એક્શન સાથે કરી રહી છું તેથી હું ઘણી એક્સાઇટેડ છું. હું બહુ ભાગ્યશાળી છું કે આ ફિલ્મમાં મારી પસંદગી થઈ. હું પ્રથમ વખત આ બધું અનુભવ કરી રહી છું તેનું મને ઘણું આનંદ છે. સ્ટંટમેન ઇમરાનને રીટેક બાદ થોડી ઈજા થઈ હતી ક્લોઝ અપ શોર્ટમાં મેં જોયું તો થોડો લોઇ વહેતું હતું પરંતુ ત્યારબાદ હું મારી વેનેટીમાં જઈ અને રોવું પણ આવ્યું હતું. અને હું ઈમોશન બની ગઈ હતી.