પાલનપુર તાલુકાનાં ધાણધા ગામે રહેતા અને આર્મીમાં ફરજ બજાવતા યુવકનું બેંગ્લુરૂ નજીક પાણીનાં ઝરણામાં પડી જવાથી નિધન થયું હતું. આર્મી જવાન ઝરણું જોવા માટે જઈ રહ્યો હતો. તે દરમ્યાન અચાનક તેનો પગ લપસી જતા જવાનનું નિધન થયું હતું. જવાનનાં પાર્થિવ દેહને તેનાં વતન લાવવામાં આવશે. જ્યાં તેની અંતિમ ક્રિયા કરાશે.
પાલનપુર તાલુકાનાં ધાણધા ગામનાં વતની કૌશિકબાઈ રઘજીભાઈ ઘોયા (ઉ.વર્ષ.25) જેઓ ચાર વર્ષ અગાઉ માં ભોમની રક્ષા માટે આર્મીમાં જોડાયા હતા. ત્યારે મળતી માહિતી મમુજબો કૌશિકભાઈ બેગ્લુરૂમાં ફરજ બજાવતા હતા. તે દરમ્યાન બેંગ્લોર નજીક ઝરણું જોવા ગયા હતા. ત્યારે અચાનક તેઓનો પગ લપસતા તેઓ પાણીમાં ગરકાવ થઈ જતા નિધન થયું હતું.
આ સમાચારની જાણ તેઓનાં પરિવારજનોને થતા પરિવારજનોમાં શોક છવાઈ જવા પામ્યો હતો. જવાનનાં પાર્થિવ દેહને માદરે વતન ધાણધા ગામે લાવવામાં આવશે. જ્યાં તેઓની અંતિમ ક્રિયા કરવામાં આવશે. માં ભોમની રક્ષા કરતા કૌશિકભાઈનાં નિધનથી ધાણધા ગામ સહિત સમગ્ર પંથકમાં શોક છવાઈ જવા પામ્યો હતો.