વિપક્ષ તૈયારી નથી કરતો, તેથી જ તેઓ નિષ્ફળ જાય છે : પીએમ મોદી

Spread the love

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર જોરદાર નિશાન સાધ્યું અને કેટલાક પ્રસંગોએ વિપક્ષી પાર્ટીઓને પણ આડે હાથ લીધી.પીએમ મોદીએ કહ્યું કે વિપક્ષ તૈયારી નથી કરતો. તેથી જ તેઓ નિષ્ફળ જાય છે. સમગ્ર વિપક્ષ માત્ર એક જ ચર્ચા કરી રહ્યો છે કે ભાજપ 400નો આંકડો પાર કરી શકશે કે નહીં.તેઓ સમજી શક્યા ન હતા કે હું તેમને ક્યાં લઈ જઈ રહ્યો છું.

ત્રીજા તબક્કામાં વિપક્ષને કોઈએ કહ્યું કે ત્રણ તબક્કાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે અને પીએમ મોદી 400નો આંકડો પાર કરી શકશે કે નહીં તેના પર તમારો પ્રચાર આધારીત છે. એના કરતાં તમે તમારો પ્રચાર કરો.

પીએમ મોદીએ કહ્યું કે, કંઈ પણ ગુપ્ત રહેતું નથી. કોઈ તૈયારી કરતું નથી. કારણ કે તમે તૈયાર ધારણાઓ પર જીવવા માંગો છો. અંતે આ લોકોનું કહેવું છે કે ભાજપ 400નો આંકડો પાર કરી શકશે નહીં. વિપક્ષો પોતપોતાના મંતવ્યો વ્યક્ત કરવાને બદલે ભાજપ વિશે બોલવા લાગ્યા.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, “અબ કી બાર, 400 પાર” એ બીજેપી દ્વારા આપવામાં આવેલ સ્લોગન નથી પરંતુ જનતા દ્વારા આપવામાં આવેલ છે. છેલ્લા પાંચ વર્ષમાં અમને અન્ય પક્ષો તરફથી મળેલા સમર્થનને ધ્યાનમાં લેતાં, સંસદમાં અમારી સંખ્યા પહેલાથી જ 400 હતી. કોઈપણ બાળક કે જે 95 ટકા સ્કોર્સ મેળવે છે તે સ્વાભાવિક રીતે વધુ ઊંચા લક્ષ્‍ય માટે પ્રયત્ન કરશે.”

વિપક્ષી નેતાઓના આરોપોનો જવાબ આપતા વડાપ્રધાને કહ્યું કે મોદી એક એવી બ્રાન્ડ છે કે લોકો તેમની સાથે દુવ્ર્યવહાર કરીને પણ લોકપ્રિયતા મેળવે છે, તેથી લોકો તેમની સાથે દુર્વ્યવહાર કરવાની તક શોધે છે. ઇન્ડી એલાયન્સમાં આત્યંતિક પરિવારના સભ્યો હોય છે. તેમના પરિવારમાં 5-6 લોકો છે, મારા પરિવારમાં 140 કરોડ છે. અમે લોકો માટે જીવીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com