8 ઘોડાના મોત થતાં બેદરકાર પોલીસ ઈન્સપેક્ટર એમ. એસ. બારોટ સસ્પેન્ડ

Spread the love

અમદાવાદ પોલીસ કમિશનરે શાહીબાગ ઘોડા કેમ્પના પોલીસ ઈન્સપેક્ટરને સસ્પેન્ડ કર્યા છે. પીઆઈની બેદરકારીના કારણે ઘોડાના મોત થયા હોવાનો તપાસમાં ખુલાસો થયો છે. તપાસમાં બેદરકારી છતી થતા પીઆઈએ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

શાહીબાગ ઘોડા કેમ્પમાં રાખવામાં આવેલા ઘોડા પૈકી વર્ષ 2023થી અત્યાર સુધીમાં 8 ઘોડાના મોત થયા છે.

ઘોડાના આ પ્રકારે મોત થતાં પોલીસ કમિશનર જી.એસ. મલિકે મુલાકાત લીઘી હતી. પોલીસ કમિશનરે આ અંગે તપાસ કરવા માટે ઝોન 6 ડીસીપી રવિ મોહક સૈનીને આદેશ આપ્યો હતો. ત્યારે DCP રવી મોહન સૈનીએ તપાસ બાદ રિપોર્ટ પોલીસ કમિશનરને સોંપ્યો હતો. જેમાં પીઆઈની બેરદકારી હોવાનું સામે આવતા પોલીસ ઈન્સપેક્ટર એમ. એસ. બારોટ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

તપાસમાં ઘોડા કેમ્પમાં રાખવામાં આવતા ઘોડાઓને આપવામાં આવતો ઘાસચારો અયોગ્ય અને પાણીમાં લીલ હતી. ડોક્ટરની ટીમ દ્વારા અન્ય ઘોડાની પણ તપાસ કરવામાં આવી હતી. જેમાં 28 ઘોડાને ઇન્ફેક્શન થયું હતું. જોકે, આ ઘોડાને સારવાર આપવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com