રાજ્યસભામાં સાંસદ શક્તિસિંહ ગોહિલે ગુજરાત હાઇકોર્ટમાં ખાલી પડેલી જજની સંખ્યા બાબતે પ્રશ્ન ઉઠાવ્યો

Spread the love

સંસદના બંને ગૃહ લોકસભા અને રાજ્યસભામાં હાલ ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. ત્યારે રાજ્યસભામાં સાંસદ શક્તિસિંહ ગોહિલે ગુજરાત હાઇકોર્ટમાં ખાલી પડેલી જજની સંખ્યા બાબતે સંસદમાં પ્રશ્ન ઉઠાવ્યો હતો. પ્રશ્નના જવાબમાં ભારત સરકારે સ્વીકાર્યું કે, કુલ ગુજરાત હાઈકોર્ટમાં ૫૨ ન્યાયાધીશોની જગ્યાઓ છે, જેમાંથી ૨૯ જગ્યાઓ ભરેલી છે જેની સામે ૨૩ જગ્યાઓ ખાલી છે.એટલે કે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયધીશોની ૪૫% જગ્યાઓ ખાલી છે.

સવાલના જવાબમાંથી એ પણ ફલિત થાય છે કે, સુપ્રીમ કોર્ટના કોલેજીયમ દ્વારા ભલામણ કરાયા પછી પણ ભાજપની કેન્દ્ર સરકાર દ્વારા હસ્તક્ષેપ કરીને કોલેજીયમના નિર્ણયને વિલંબિત કરવામાં આવે છે. ઝડપથી ન્યાય મળે એ અત્યંત જરૂરી હોય છે અને ન્યાય મેળવવા ઈચ્છતા લોકોને ન્યાય માટે પરેશાની ન ભોગવવી પડે તે પણ જરૂરી છે.

નામદાર હાઈકોર્ટમાં ૪૫% જેટલી ન્યાયધીશોની જગ્યાઓ ખાલી હોય ત્યારે સ્વભાવિકપણે અરજદારોને ન્યાય મેળવવામાં પણ વિલંબ થાય અને ન્યાયાધીશ ઉપર પણ કામનું ભારણ જે હોવું જોઈએ તેનાથી બમણું રહે જેના કારણે ન્યાય મેળવનારાઓને વિલંબ કરવાનો વારો આવી રહ્યો છે. ખૂબ સારા વહીવટની વાતો કરનાર ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ચાલી રહેલા ગેરવહીવટનો આ એક સૌથી મોટો નમુનો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com