પોલીસ સ્ટેશનમાં હાજરી આપવા જેવી શરતો ઘણી વાર અનેક તકરારોને આમંત્રિત કરી શકે : હાઇકોર્ટ

Spread the love

જામીન આપતી વખતે મૂકવામાં આવતી શરતોના ભંગ બદલ જામીન રદ કરવાના નીચલી કોર્ટના આદેશને પડકારતી અરજીમાં હાઇકોર્ટે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે અને અવલોકન કર્યું છે કે, આરોપીએ પોલીસ સ્ટેશનમાં હાજરી આપવાની શરત માનવાધિકારનો ભંગ કરી શકે અને ખોટા આરોપો તરફ દોરી શકે છે. પ્રસ્તુત કેસના અરજદાર ‘હજ’ માટે ગયા હોવાની બાબતની પણ હાઇકોર્ટે નોંધ લીધી હતી અને તેમના જામીન રદ કરવાના નીચલી કોર્ટના આદેશને રદ કર્યો હતો અને સાથે જ તેમણે જમા કરાવેલા એક લાખ રૂપિયાને જમા કરી લેવાના આદેશને પણ રદ કરી એક લાખ પરત કરવાનો હુકમ કર્યો છે.

હાઇકોર્ટના જસ્ટિસ ગીતાબહેન ગોપીએ આદેશમાં નોંધ્યું છે કે,’પોલીસ સ્ટેશનમાં હાજરી આપવા જેવી શરતો ઘણી વાર અનેક તકરારોને આમંત્રિત કરી શકે, જે માનવ અધિકારોના દુરૂપયોગ તરફ પણ આગળ વધી શકે છે અને ખોટા આરોપોને જન્મ આપી શકે છે. ઘણી વખત કોર્ટ સમક્ષ સીસીટીવી ફૂટેજ ઉપલબ્ધ થતાં નથી અને તેના પરિણામે આવી ઘટનાઓમાં દાવાઓ અને પ્રતિ દાવાઓની પ્રામાણિકતા વિશેના પાસાની ચકાસણી મુશ્કેલ બની જાય છે.’

મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશને પડકારતી રિવિઝન અરજીની સુનાવણી કરતી વખતે હાઇકોર્ટે આ અવલોકન કર્યું હતું, જે આદેશમાં અરજદારના જામીન રદ કરવામાં આવ્યા હતા. આ કેસમાં તપાસ અધિકારીએ જામીનની શરતના ભંગની જાણ કર્યા પછી જામીન રદ કરવામાં આવ્યા હતા. જેમાં અરજદારે ચોક્કસ દિવસે પોલીસ સ્ટેશનમાં તેની હાજરી આપવાની શરત મૂકવામાં આવી હતી. અરજદારે દાવો કર્યો હતો કે, તેણે પોતાની હાજરી આપવામાં થોડું મોડું કર્યું હતું. કારણ કે, તેણે કોઈની અંતિમ વિધિમાં હાજરી આપવાની હતી. તેણે દાવો કર્યો હતો કે, તે જ દિવસે તે પોલીસ સ્ટેશનની મુલાકાતે થોડો મોડો આવ્યો હતો, પરંતુ IOએ જણાવ્યું કે, રિપોર્ટિંગનો સમય વીતી ગયો છે અને તેમની હાજરી સત્તાવાર રીતે નોંધવામાં આવી નથી.

આ કેસમાં કોર્ટ સમક્ષ થયેલી રજૂઆતો અને કેસના રેકોર્ડની સમીક્ષા કર્યા પછી, કોર્ટે અવલોકન કર્યું હતું કે, ગુનાની ગંભીરતા, પુરાવા, કેસના સંજોગો, આરોપી ન્યાયથી ભાગી જવાની સંભાવના સહિતના વિવિધ પરિબળોને ધ્યાનમાં લીધા પછી અરજદારને જામીન આપવામાં આવ્યા હતા. કોર્ટે નોંધ્યું હતું કે,’ઉપરની તમામ હકીકતો ધ્યાનમાં લીધા પછી, મંજૂર કરાયેલા જામીન યાંત્રિક રીતે રદ ન કરવા જોઈએ, સિવાય કે જ્યાં સુધી કોઇ ખાસ સંજોગો કોર્ટના ધ્યાન પર ન આવે.’

આરોપીને તેમની જરૂરી હાજરીના સમય અંગે તપાસ અધિકારી પાસેથી નમ્રતાની વિનંતી કરવાનો અધિકાર છે તેમ જણાવતાં કોર્ટે નોંધ્યું હતું કે,’શરત મૂકવાનો એકમાત્ર હેતુ તે તારીખે હાજરીની નોંધ લેવાનો છે. આવા ચોક્કસ આદેશ એમ નથી સૂચવતા કે તપાસ અધિકારી હાજરી નોંધવા માટેનો સમય અથવા તારીખ હળવી કરી શકતા નથી. અધિકારી સંબંધિત કોર્ટ સમક્ષ આરોપીની અસુવિધા અંગે જાણ કરી શકે છે અને કોર્ટે તેને ધ્યાનમાં લેવું જોઈએ. જોકે, આરોપીએ સમયસર હાજરી આપી ન હોવાની બાબતને વિશિષ્ટ સંજોગો તરીકે ગણીને જામીન રદ કરી શકાય નહીં. તપાસ અધિકારી સમક્ષ નિયમિત હાજરીની આવશ્યકતા ધરાવતી શરતો બિનજરૂરી ઘર્ષણમાં પરિણમી શકે છે અને સંભવતઃ અધિકારીને કોર્ટના આદેશને નબળી પાડવા સક્ષમ બનાવે છે, ખાસ કરીને આ કિસ્સામાં જ્યાં અરજદારને ‘હજ’માં જવાની પરવાનગી આપવામાં આવી હતી. પરિણામે નીચલી કોર્ટના આદેશને અન્યાયી, ગેરકાયદેસર અને અયોગ્ય ગણવામાં આવે છે અને જામીન રદ કરવાના નિર્ણયને રદ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com