કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ખિલાડી લાલ બેરવાએ ચાર મહિનામાં ભાજપમાંથી રાજીનામું આપ્યું

Spread the love

કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ખિલાડી લાલ બેરવાએ ચાર મહિનામાં ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે આજે ભાજપ અધ્યક્ષ મદન રાઠોડને પત્ર લખીને પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું સોંપ્યું છે. તેમણે રાજીનામામાં ભાજપની વિચારધારાનો ઉલ્લેખ કરવાની સાથે કોંગ્રેસ પર પણ નિશાન સાધ્યું છે.

ખિલાડી લાલ બેરવા એક સમયે સચિન પાયલટના ખાસમખાસ હતા, જોકે તેઓ વિધાનસભા ચૂંટણી પહેલા જ સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ ગયા હતા. તેઓ કોંગ્રેસના દિગ્ગજ નેતા કહેવાતા હતા. જ્યારે તેઓ કોંગ્રેસમાં હતા, ત્યારે તેમણે ધૌલપુરની બસેડી બેઠક પરથી ચૂંટણી લડી ધારાસભ્ય બન્યા હતા. આ ઉપરાંત તેઓ કોંગ્રેસના સાંસદ પણ રહી ચુક્યા છે.

બેરવાએ રાજીનામામાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત અને કોંગ્રેસના દિગ્ગજ નેતા સચિન પાયલોટ અંગે ચોંકાવનારી વાત લખી છે. તેમણે લખ્યું છે કે, ‘ગેહલોતે ચોથીવાર મુખ્યમંત્રી બનવાની લાલચમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને બહાર કાઢવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. તેમણે પાયલોટ જૂથના લોકોના ફોન ટેપ કરાવ્યા હતા. મેં આ અંગે કોંગ્રેસના પૂર્વ ઓએસડી લોકેશ શર્માને વિસ્તારથી માહિતી આપી હતી. તેમણે મારો પણ ફોન ટેપ કરાવ્યો હતો. આ બાબતો તપાસનો વિષય છે.’

તેમણે વધુમાં લખ્યું છે કે, ‘ભાજપ અને કોંગ્રેસની જુદી જુદી વિચારધારા છે. હું અને મારા કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા, પરંતુ ઘણા પ્રયાસો કરવા છતાં હું ભાજપની વિચારાધારા સાથે જોડાઈ શક્યો નથી. મેં કોંગ્રેસમાં 33 વર્ષ સુધી રાજકારણ કર્યું છે. વિચારધારા મારા લોહીમાં આવી ગઈ છે. મારી ભાજપ વિરુદ્ધ કોઈપણ ફરિયાદ નથી.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com