પોલીસને પણ પોલીસનો ડર હોવો જોઈએ, હપ્તા વસુલીમાં એડીજી અને ડીઆઈજીની સંયુક્ત કાર્યવાહી

Spread the love

બલિયામાં એડીજી વારાણસી અને ડીઆઈજી આઝમગઢે સંયુક્ત કાર્યવાહી કરી છે અને જિલ્લાના નરહી થાણામાં લગભગ 1.50 કરોડ રૂપિયા મહિનાના ગેરકાયદે વસૂલીની વાત સામે આવી છે.આ મામલામાં એડીજીની ટીમએ લગભગ 22 લોકોની ધરપકડ કરી છે જેમાં બે પોલીસવાળા પણ સામેલ છે.જ્યારે બીજા ઘણા પોલીસવાળા ફરાર જણાઈ રહ્યા છે.

આ પોલીસકર્મીઓ પર ટ્રકચાલકથી ગેરકાયદેસર ખંડણી ઉઘરાવવાનો આરોપ છે.તેમની સાથે ઘણા દલાલ પણ હતા જે ભરૌલી બૉર્ડર પર ટ્રકોને રોકીને પહેલાં તલાશી લેતા હતા અને પછી તેમની પાસેથી પૈસા લઈ જવા દેતા હતા.આ સમાચાર સામે આવ્યા બાદ યુપીમાં જ પોલીસની કાર્યશૈલી પર સવાલ ઊઠવા લાગ્યા છે.

પૂર્વ મુખ્ય મંત્રી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે સરકાર પર સવાલ ઉઠાવ્યા છે.તેમણે સોશ્યિલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું કે, “ઉત્તર પ્રદેશમાં રમાઈ રહ્યો છે નવો ખેલ: પહેલા હતો ચોર-પોલીસનો ખેલ અને હવે ભાજપના રાજમાં ચાલી રહ્યો છે ‘પોલીસ પોલીસ’નો ખેલ. આ છે અપરાધ વિરુદ્ધ ઝીરો-ટૉલરન્સનો ભાંડાફોડ.”

જોકે, રાજ્ય સરકાર આને ભ્રષ્ટાચાર વિરુદ્ધ મોટું પગલું બતાવી રહી છે.સરકારે બલિયામાં નવા પોલીસ અધીક્ષકને તહેનાત પણ કરી દીધા છે. ડીઆઈજીએ નવા એસપી સાથે પોલીસ વિભાગની બેઠક યોજી છે.

બિહારના બક્સરથી આવતી ટ્રકો ભરૌલી બૉર્ડરથી ઉત્તર પ્રદેશમાં પ્રવેશતી હતી, પરંતુ પોલીસના જણાવ્યા અનુસાર આ પહેલાં ટ્રક ડ્રાઇવરોની મિલીભગત હતી.

દરેક ટ્રક પાસેથી પૈસા અગાઉથી નક્કી કરવામાં આવતા હતા. જે ટ્રક પોલીસને પૈસા આપતી હતી તે આસાનીથી બૉર્ડર પાર કરી શકતી. પોલીસના જણાવ્યા અનુસાર આ બૉર્ડર પરથી દરરોજ અંદાજે 1000 ટ્રક પસાર થાય છે.

આઝમગઢના સ્થાનિક પત્રકારનું કહેવું છે કે ડીઆઈજીએ પોતે કહ્યું છે કે દરેક ટ્રકમાંથી 500 રૂપિયા લેવામાં આવ્યા હતા. જોકે, ” ભરૌલી બૉર્ડર પર આ કામ આજથી નથી કરવામાં આવી રહ્યું, પોલીસ ગેરકાયદેસર વસૂલાત કરતી આવી છે, બસ તે હવે પકડાઈ છે.”

એક પોલીસ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે સરહદ પર લાલ રેતી, દારૂ અને પ્રાણીઓની દાણચોરી થઈ રહી છે, પરંતુ આ પહેલી વાર પોલીસે આટલા મોટા પાયે ધરપકડ કરી છે.

બૉર્ડર પોલીસ સ્ટેશનો પહેલેથી જ કુખ્યાત છે. રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ‘આ ગેરકાયદે વસૂલાત પ્રકાશમાં આવ્યા બાદ રાજ્ય સરકારે કડક પગલાં લીધાં છે અને આ મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથની ભ્રષ્ટાચાર પ્રત્યે ઝીરો ટૉલરન્સનું પરિણામ છે.’

વારાણસી ઝોનના એડીજી પીયૂષ મોરડિયા અને ડીઆઈજી વૈભવ કૃષ્ણા રાત્રે 1.30 વાગ્યે ક્લિનર તરીકે ટ્રકમાં સવાર થઈને તેમની ટીમ સાથે યુપી-બિહાર બૉર્ડર પરના ભરૌલી બ્લૉક પહોંચ્યા અને જ્યારે પોલીસકર્મીઓએ ટ્રકને રોકીને પૈસા માગ્યા ત્યારે એડીજીની સાથેના પોલીસકર્મીઓની ટીમે દલાલોને પકડી લીધા.

આ કાર્યવાહીના નિશાને પોલીસકર્મીઓ જ હતા. અચાનક આ કાર્યવાહીથી પોલીસ કર્મચારીઓ અને ઇન્સ્પેક્ટર ભાગવા લાગ્યા હતા. માહિતી અનુસાર, નરહી પોલીસ સ્ટેશનના વડા ભાગવામાં સફળ થયા, પરંતુ કેટલાક લોકો પકડાઈ ગયા. નરહી અને કોરન્ટાડીહના પોલીસ સ્ટેશન ઇન્ચાર્જને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

પોલીસ અનુસાર, આ ઑપરેશનની તૈયારી ઘણા દિવસો પહેલાં કરવામાં આવી હતી અને ડીજીપી પ્રશાંતકુમારને ફરિયાદ મળી હતી કે બક્સરથી આવતી ટ્રકોમાંથી ગેરકાયદે વસૂલાત કરાઈ રહી છે.

ત્યાર બાદ નીચલા સ્તરના અધિકારીઓ દ્વારા આ કેસની રેકી કરવામાં આવી હતી જેમાં ફરિયાદ સાચી હોવાનું જાણવા મળ્યું હતું અને ત્યાર બાદ એડીજીની આગેવાની હેઠળ 24 સભ્યોની પોલીસ ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો.

આ કેસમાં મહત્ત્વના પુરાવા તરીકે બે નોટબુક પણ મળી આવી છે, જેમાં કેટલાય મહિનાઓનું વસૂલીનું રહસ્ય બંધ છે.આ નોટબુકની તપાસ કરાઈ રહી છે જેમાં હજુ ઘણાં નામો સામે આવી શકે છે.

પોલીસ નિવેદન અનુસાર, એડીજી ટીમે બે પોલીસકર્મીઓ સહિત 22 લોકોની ધરપકડ કરી છે. પરંતુ એસઓ અને ઇન્સ્પેક્ટર સ્થળ પરથી નાસી ગયા હતા.

આ મામલામાં નરહી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પન્નેલાલ સહિત 9 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તમામ વિરુદ્ધ કેસ પણ નોંધવામાં આવ્યો છે.

વૈભવ કૃષ્ણાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું, “માહિતી મળ્યા બાદ રેકી કરવામાં આવી હતી અને જ્યારે મામલાની પુષ્ટિ થઈ ત્યારે જ દરોડા પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણય ગુપ્ત રાખવામાં આવ્યો હતો.”

બલિયાના એસપીને પણ આ ઑપરેશન વિશે જાણ કરાઈ નહોતી, જેથી કોઈ ખબર ન પડે. પરંતુ જ્યારે સ્થાનિક એસપીને પણ દરોડા પછી માહિતી મળી તો તેઓ સ્થળે પહોંચ્યા.

સરકારે સીઓ અને સસ્પેન્ડ કરાયેલા પોલીસકર્મીઓની મિલકતોની વિજિલન્સ તપાસ કરવાનો નિર્ણય લીધો છે.

આ પ્રકારના દરોડા પહેલી વાર નથી થયા. ભૂતકાળમાં પણ પોલીસ અધિકારીઓ વિભાગ પર નજર રાખવા માટે અચાનક દરોડા પાડતા રહ્યા છે.

યુપી પોલીસના પૂર્વ ડીજીપી વિક્રમસિંહ તેમના કાર્યકાળમાં એક વાર લખનૌથી શતાબ્દી ઍક્સપ્રેસ પકડીને કાનપુર પહોંચ્યા હતા.

ત્યાંથી તેઓ રિક્ષામાં પોલીસ સ્ટેશન પહોંચ્યા અને રિપોર્ટ નોંધાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે સમયે ફરજ પરના અધિકારીએ રિપોર્ટ લખવાનો ઇનકાર કર્યો, પછી ઘણા પોલીસકર્મીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી.

આ રીતે ડીજીપી રહીને તેમણે પોલીસમાં ભ્રષ્ટાચાર રોકવા માટે અનેક ઝુંબેશ ચલાવી હતી. મેરઠમાં પણ વિક્રમસિંહે ટ્રકમાં બેસીને ખંડણીખોરો સામે કાર્યવાહી કરી હતી.

બીબીસી સાથે વાત કરતા વિક્રમસિંહે કહ્યું કે આ પ્રકારનું અભિયાન દરેક સરહદ પર થવું જોઈએ. પોલીસ કૅપ્ટને સાહિબાબાદથી વારાણસીના સૈયદ રાજા સુધીની દરેક સરહદ પર નજર રાખવી જોઈએ.

સિંહે કહ્યું કે તેમના કાર્યકાળ દરમિયાન તેમણે 555 પોલીસકર્મીઓને બરતરફ કર્યા હતા અને જે પોલીસકર્મીઓ આવાં કૃત્યોમાં સંડોવાયેલા હોવાનું જણાયું હતું તેમને બરતરફ કરવા જોઈએ.

તેઓ કહે છે, “પોલીસ અધિકારીનો ડર એટલો હોવો જોઈએ કે નીચલા સ્તરનો પોલીસકર્મી લાંચ લેતા ડરે. જે પકડાય તેને બરતરફ કરવા જોઈએ. બલિયા કેસમાં કેસને સ્થગિત કરવાથી કામ નહીં ચાલે, તેના બદલે કઠોર નિર્ણય લેવાની જરૂર છે.”

વિક્રમસિંહે કહ્યું કે એડીજીની રેડ બાદ પોલીસને સસ્પેન્ડ કરવા એ પોલીસની નબળાઈ દર્શાવે છે, તેથી જે લોકો ખુલ્લેઆમ લાંચ લેતા પકડાયા છે તેમને તાત્કાલિક બરતરફ કરવા જોઈએ, કારણ કે એડીજીએ પોતે દરોડા દ્વારા તેમને પકડ્યા છે.

આઝમગઢ પોલીસના જણાવ્યા અનુસાર આ કેસમાં 16 દલાલો પકડાયા છે. 14 મોટર સાઇકલ, 25 મોબાઇલ, 2 નોટબુક અને 37,500 રોકડા મળી આવ્યા છે. આ દરોડા પછી ત્રણ પોલીસકર્મી ફરાર હોવાનું કહેવાય છે.

ડીજીપીએ કડક કાર્યવાહીના આદેશ પણ આપ્યા છે. બલિયાના એસપી દેવરંજન વર્મા અને એએસપી દુર્ગાશંકર તિવારીને હટાવી દેવામાં આવ્યા છે જ્યારે સીઓ શુભ શૂચિતાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ડીઆઈજીએ કહ્યું કે દરરોજ લગભગ 5 લાખ રૂપિયા એકઠા થઈ રહ્યા હતા, એટલે કે આના દ્વારા દર મહિને 1.50 કરોડ રૂપિયા એકઠા થઈ રહ્યા હતા, જે પોલીસકર્મીઓ અને તેમના દલાલો વચ્ચે વહેંચાઈ રહ્યા હતા.

પૂર્વ ડીજીપી વિક્રમ સિંહે કહ્યું કે દરેક સરહદ પર આ પ્રકારનું અભિયાન ચલાવવામાં આવવું જોઈએ.

વારાણસી ઝોનમાં આ પહેલો કિસ્સો નથી કે પોલીસકર્મીઓ ગુનામાં સામેલ હોય.

વારાણસીના નાડેસર ચોકીના ઇન્સ્પેક્ટર સૂર્યપ્રકાશ પાંડેની પણ 42 લાખની લૂંટમાં ધરપકડ કરાઈ છે. આ મામલો એક વેપારી પાસેથી લૂંટનો છે, જે ગયા મહિને પ્રકાશમાં આવ્યો હતો.

આ કિસ્સામાં ફિલ્મી ઢબે ઇન્સ્પેક્ટરે બસમાં મુસાફરી કરી રહેલા વેપારીની શોધ કરી અને તેને હવાલાનાં નાણાં તરીકે ગણાવીને 93 લાખ રૂપિયા વસૂલ કર્યા, અડધા પૈસા 42 લાખ રૂપિયા રાખ્યા અને બાકીના 50 લાખ રૂપિયા વેપારીને પરત કર્યા.

જ્યારે પોલીસે તપાસ શરૂ કરી તો તેમને સીસીટીવી દ્વારા કડીઓ મળી, પરંતુ પોલીસને શંકા ત્યારે લાગી જ્યારે ઇન્સ્પેક્ટર પોતે ફોન પર આ કેસ અંગે ઘણી વખત અપડેટ લેતા રહ્યા.

એ જ રીતે, એપ્રિલ 2024માં આંબેડકરનગરમાં ગેરકાયદેસર છેડતીના આરોપમાં ત્રણ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમની સામે આરોપ છે કે આ લોકોએ માર મારીને 80 હજાર રૂપિયા પડાવી લીધા હતા.

જુલાઈ 2020માં કાનપુરમાં બિકરુ ઘટના બની હતી, જેમાં ગૅંગસ્ટર વિકાસ દુબેએ ડેપ્યુટી એસપી સહિત આઠ પોલીસકર્મીની હત્યા કરી હતી. આમાં પણ ઘણા પોલીસકર્મીઓની ભૂમિકા શંકાસ્પદ જોવા મળી હતી.

જોકે પોલીસે વિકાસ દુબેને ઍન્કાઉન્ટરમાં મારી નાખ્યા, પરંતુ પોલીસ પર હજુ પણ ડાઘ છે. આ મામલામાં યુપી સરકારે આઈપીએસ અનંત દેવને સસ્પેન્ડ કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com