શેખ હસીનાને કોઈ સાચવવાં તૈયાર નથી, ભારતે આપી શરણ, અજાણ્યા સ્થળે મોકલી અપાયા….

Spread the love

બાંગ્લાદેશમાં થયેલી હિંસા અને પ્રદર્શનો બાદ શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે અને ભારત આવી ગયા છે. હાલમાં તેઓ ભારતમાં કોઈ અજાણ્યા સ્થળે કડક સુરક્ષા વચ્ચે રહે છે. આ દરમિયાન, અમેરિકા અને બ્રિટને શેખ હસીનાને મોટો ઝટકો આપ્યો છે.

મળતી માહિતી મુજબ અમેરિકાએ શેખ હસીનાના વિઝા રદ્દ કરી દીધા છે. અમેરિકી દૂતાવાસના એક અધિકારીએ જણાવ્યું છે કે વિઝા રેકોર્ડ યુએસ કાયદા હેઠળ ગોપનીય છે. જો કે, શેખ હસીનાની પાર્ટીના ઘણા સભ્યો અને અધિકારીઓ પર વિઝા પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આનો અર્થ એ થયો કે હસીના હવે અમેરિકા જઈને શરણ માંગી શકશે નહીં.

એવા સમાચાર હતા કે હસીના ભારતથી લંડન જવાના છે, પરંતુ હવે તે અન્ય વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે. કારણ કે યુકે સરકારે સંકેત આપ્યો છે કે તેમને કોઈપણ સંભવિત તપાસ સામે યુકેમાં કાનૂની રક્ષણ મળી શકે નહીં. બ્રિટનના વિદેશ સચિવ ડેવિડ લેમીએ જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં થયેલી હિંસાની સંપૂર્ણ અને સ્વતંત્ર તપાસ થવી જોઈએ.

શેખ હસીનાએ સોમવારે બાંગ્લાદેશ છોડી ભારતના હિંડન એરબેઝ પર ઉતર્યા હતા. ત્યારબાદ તેમને અજાણ્યા સ્થળે લઈ જવામાં આવ્યા અને કડક સુરક્ષા વચ્ચે રાખવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશમાં થયેલી હિંસા અને રાજકીય અસ્થિરતા બાદ શેખ હસીનાને ભારતમાં શરણ લેવી પડી છે. અમેરિકા અને બ્રિટને તેમના વિઝા રદ કરી દેવાથી તેમની મુશ્કેલીઓ વધી ગઈ છે. હાલમાં તેઓ ભારતમાં કોઈ અજાણ્યા સ્થળે કડક સુરક્ષા વચ્ચે રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com