અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકની અધ્યક્ષતામાં કાલે યોજાનારી તિરંગા યાત્રાની પૂર્વ તૈયારીના ભાગરૂપે રિહર્સલ યોજાયું

Spread the love

અમદાવાદ

અમદાવાદમાં ૧૩ ઓગસ્ટે યોજાનારી તિરંગા યાત્રાની પૂર્વ તૈયારીના ભાગરૂપે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકની અધ્યક્ષતામાં રિહર્સલ યોજાયું હતું. આ રિહર્સલમાં પોલીસ વિભાગની વિવિધ પ્લાટુન, એસ.આર.પી.ના જવાનો, પોલીસ બેન્ડ, ફાયરના જવાનોએ ભાગ લીધો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે,અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૧૩ ઓગસ્ટ, મંગળવારના રોજ અમદાવાદમાં તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ તિરંગા યાત્રા વિરાટનગર ઝોનલ ઓફિસ (પૂર્વ ઝોન)થી કેસરી નંદન ચોક (ફુવારા સર્કલ)થી બેટી બચાવો સર્કલ થઇ ઉત્તમનગર ખોડિયાર મંદિરથી જમણી બાજુ વળી કોઠિયા હોસ્પિટલ થઈ કેનાલ ક્રોસ કરી જીવણવાડી સર્કલ થઇ ખોડીયાર મંદિર, નિકોલ પાસે સમાપન થશે.આ રિહર્સલ કાર્યક્રમમાં અમદાવાદના સૌ ધારાસભ્યશ્રીઓ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી, તમામ ઝોનના ડીસીપી, ટ્રાફિક ડીસીપી તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com