સંભવિત ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરિયા એ સિહોરના ભાણગઢ ગામની મુલાકાત લીધી

Spread the love

સંભવિત ભારે વરસાદની આગાહીના પગલે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા તેમજ મહિલા અને બાળ કલ્યાણ મંત્રીશ્રી તેમજ ભાવનગર જિલ્લા પ્રભારી મંત્રીશ્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા એ સિહોર તાલુકાના ભાણગઢ ગામની મુલાકાત લીધી હતી.

જિલ્લાના પ્રભારી મંત્રીશ્રીએ ગામની મુલાકાત લઇ ચોમાસા બાદ ગામ સુધીનો રસ્તો બનવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત પાળીયાદ પાસે પુલ બની જવાથી ચોમાસા દરમ્યાન પાણી ભરવાનો પ્રશ્ન ઉકેલાઈ જશે એવું જણાવ્યું હતું.

આ તકે જિલ્લા કલેકટરશ્રી આર. કે. મહેતા એ સિહોર તાલુકાના ભાણગઢ ગામની ચોમાસા દરમ્યાન થતી મુશ્કેલી અંગે માહિતી આપી હતી.

ભાણગઢ ગામની મુલાકાત પહેલા મંત્રીશ્રી એ સિહોર મામલતદાર કચેરી ખાતે તાલુકાના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

આ તકે જિલ્લા વિકાસ અધિકારી શ્રી જી.એચ. સોલંકી, પોલીસ અધિક્ષક શ્રી ડો. હર્ષદ પટેલ, આઇ.એ.એસ. અધિકારી શ્રી આયુષી જૈન, પ્રાંત અધિકારીશ્રી દિલીપ સિંહ વાળા, મામલતદારશ્રી, આગેવાન શ્રી ભરતભાઈ મેર સહિતના અધિકારીશ્રીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com