અમ્યુકો દ્વારા ગણેશ વિસર્જન માટે 48 જગ્યા પર 51 વિસર્જનકુંડ બનાવાશે 

Spread the love

પ્રથમ ત્રણ શ્રેષ્ઠ ગણેશ પંડાલ ને 21,000 થી લઈ ₹51,000 સુધીનો ઇનામ આપવામાં આવશે

અમદાવાદ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે શહેરમાં આવતીકાલથી ગણેશ ચતુર્થી નો તહેવાર શરૂ થઈ રહ્યો છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ગણેશ વિસર્જન માટે 48 જગ્યા પર 51 જેટલા વિસર્જનકુંડ બનાવવામાં આવ્યા છે. અને છ સ્થળ ઉપર વિવિધ જગ્યાએ ગણેશજીનાં સ્વાગત માટે સ્ટેજ અને પૂજા કરવામાં આવશે તેની પાછળ 80 થી 90 લાખ રૂપિયા નો ખર્ચ કરવામાં આવશે. અલગ અલગ સાઈઝના વિવિધ વિસર્જન કુંડ બનાવવામાં આવશે. પાંચ દિવસમાં વિસર્જનકુંડ બનીને તૈયાર થઈ જશે. વિસર્જન સમયે ગણેશની મૂર્તિ પધરાવવા તેમજ બહાર નીકળવા માટે ક્રેન ની વ્યવસ્થા પણ કરવામાં આવશે. સાબરમતી રિવરફ્રન્ટ, છઠ્ઠઘાટ, ઇન્દિરા બ્રિજ, મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટ , અલગ અલગ તળાવની બાજુમાં આવેલી જગ્યાઓમાં વિસર્જનકુંડ તૈયાર કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગણેશ સ્થાપના કરનાર અને યુવક મંડળ દ્વારા જેને રજીસ્ટ્રેશન કરાવ્યું હશે તેને અલગ અલગ કેટેગરી પ્રમાણે પ્રથમ ત્રણ શ્રેષ્ઠ ગણેશ પંડાલ ને 21,000 થી લઈ ₹51,000 સુધીનો ઇનામ આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com