ખેલૈયાઓ નવરાત્રિની દસે દસ આખી રાત્રિએ ગરબા રમી શકશે તેવી ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની જાહેરાત

Spread the love

ગુજરાતીઓ ગુજરાતમાં ગરબા નહીં રમે તો ક્યાં જઈને રમશે?આ વર્ષે પણ નવરાત્રિમાં રાત્રે 12 વાગ્યા પછી ખેલૈયાઓ મન ભરીને રમી શકશે માતાજીના ગરબા : હર્ષ સંઘવી

અમદાવાદ

ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ એક વિડીયો થકી જાહેરાત કરી છે કે સૌ રાજ્યના નાગરિકોને ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના “જય અંબે”.સૌ ખૈલૈય્યા મોડી રાત સુધી ગરબે ઝૂમી શકશે, નાના- મોટા વેપારી, ખાણીપીણીના વેપારીઓ મોડી રાત સુધી વેપાર કરી શકશે.મહત્વનું એક જ કામ- સૌએ વ્યવસ્થા જાળવી સહકાર આપવો.આમ,ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ગરબા પર સૌથી મોટુ નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં હવે નવરાત્રિની દસે દસ રાત્રિએ આખી રાત ગરબા રમી શકશે. સવારે 5 વાગ્યા સુધી પણ ગરબા રમી શકશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ખેલૈયાઓ માટે આ મોટી ખુશખબર આપી છે. મુંબઈમાં આયોજિત એક ભારત, શ્રેષ્ઠ ભારત કોન્કલેવમાં ઉપસ્થિત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક સવાલના જવાબમાં કહ્યું કે, ગુજરાતીઓ ગુજરાતમાં ગરબા નહીં રમે તો ક્યાં જઈને રમશે? નવરાત્રિમાં સવાર સુધી કોઈ પણ જાતની રોકટોક વગર ગરબા રમવાની બધાને છૂટ મળશે.

કોંગ્રેસને કોર્ટમાં જવું હોય તો જાય, પણ આખી રાત ગરબા થશે

હર્ષ સંઘવીએ આગળ કહ્યું કે, કોંગ્રેસને કોર્ટમાં જવું હોય તો જાય, આ વર્ષે પણ ગુજરાતમાં આખી રાત ગરબા થશે. જો કે, રાત્રે 12 વાગ્યા પછી લાઉડ સ્પીકર વગાડવા મુદ્દે હર્ષ સંઘવીએ જાહેરમાં બોલવાનું ટાળ્યું છે. આ નવરાત્રિમાં ખેલૈયાઓ નવરાત્રિમાં સવાર સુધી ગરબા રમી શકશે.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com