આપ’ પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ અમદાવાદથી સદસ્યતા અભિયાન લોન્ચ કર્યું

Spread the love

 

આમ આદમી પાર્ટી જનતાના આંગણે, જનતા બદલાવ લાવશે : ઈશુદાન ગઢવી

અમદાવાદ

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રમુખ ઈશુદાન ગઢવીએ સદસ્યતા અભિયાન વિશે જણાવ્યું હતું કે અમદાવાદ થી આજે આમ આદમી પાર્ટીનું સદસ્યતા અભિયાન લોન્ચ કરવામાં આવ્યું છે. અને આમ આદમી પાર્ટીના સદસ્યતા અભિયાન બનાવવા માટેની શરૂઆત અમદાવાદથી આજથી શરૂ કરવામાં આવી છે. સદસ્યતા અભિયાન માટે આમ આદમી પાર્ટી ગુજરાતના દરેક ખૂણે ખૂણે જનતાનો સંર્પક કરશે અને એમના પ્રશ્નોને વાચા આપશે.આખા ગુજરાતની જનતાને ‘આપ’માં જોડાવા અને ગુજરાતને આગળ લઈ જવાનું આવાહન પણ ઈસુદાને કર્યું હતું.ગુજરાતની જનતા હવે પોતે પોતાનું ગુજરાત બનાવશે.આમ આદમી પાર્ટી જનતાના આંગણે, જનતા બદલાવ લાવશે.ગુજરાત સત્તાધારી પક્ષે સદસ્યતા અભિયાનમાં લોકોને બળજબરીપૂર્વક, ડરાવી ધમકાવીને, રૂપિયા આપીને સદસ્ય બનાવ્યા તેવો આક્ષેપ પણ આ પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ કર્યો હતો.ગુજરાતની જનતા સત્તાધારી પક્ષથી એ હદથી થાકી ગઇ છે એટલે વિકલ્પ તરીકે ‘આપ’ને પસંદ કરે છે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com