વીડિયો કોન્ફરન્સ દ્વારા ગાંધીનગરથી વિજય રૂપાણી દ્વારા BAPS હોસ્પિટલ-બરોડા ખાતે કોરોના વેક્સિનનું સંતોની ઉપસ્થિતિમાં સ્વાગત કરાયું

Spread the love

વૈશ્વિક મહામારી કોરોના વિરુદ્ધ વિશ્વના સૌથી મોટા રસીકરણ મહાયજ્ઞનો આજથી ગુજરાત સહિત ભારતભરમાં પ્રારંભ થયો છે. જેના ભાગરૂપે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે સવારે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી BAPS હોસ્પિટલ બરોડા ખાતે ૧૮,૦૦૦ વેક્સિન ડોઝનું સંતગણની ઉપસ્થિતિમાં ગાંધીનગરથી ઇ-સ્વાગત કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ કહ્યું હતું કે, આજનો દિવસ આપણા સૌ માટે મહત્વનો દિવસ છે. કોરોના મહામારીની અગાઉ કોઈ દવા – વેક્સિન ન હતી. છેલ્લા ૧૦-૧૧ મહિનામાં સામૂહિક પ્રયત્નોથી આપણે સૌ કોરોના સામે જંગ લડ્યા છીએ અને કોરોના સંક્રમણને નિયંત્રિત કરી શક્યા છીએ. ગુજરાતમાં લોકો ઓછામાં ઓછા સંક્રમિત થાય અને સંક્રમિતને યોગ્ય સારવાર મળે તે માટે સરકાર જરૂરી પગલાં લીધા છે. જેના પરિણામે આજે ગુજરાતમાં કોરોના રિકવરી રેટ લગભગ ૯૬ ટકા સુધી પહોંચ્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ આનંદ સાથે કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણા વૈજ્ઞાનિકો-તબીબોએ ભારતમાં બે સ્વદેશી વેક્સિનની શોધ કરી છે. જે સંપૂર્ણ આત્મનિર્ભરની દિશામાં એક મહત્વનું ગૌરવ સમાન પગલું છે. આ રોગના શરૂઆતથી જ આપણે જરૂરી પગલાં, વેન્ટિલેટર, માસ્ક, સેનિટાયઝર વગેરે પણ આપણે બનાવ્યા છે જ્યારે બે કોરોના વેક્સિન પણ આપણે જ બનાવી છે. ભારત પોતાની તાકાત ઉપર હવે વિશ્વને વેક્સિન સપ્લાય કરશે. આજથી ગુજરાત સહિત ભારતમાં રસીકરણનો પ્રારંભ થયો છે ત્યારે ગુજરાતમાં પણ ૧૬૧ સ્થાનો ઉપર વેક્સિન આપવાનો પ્રારંભ થયો છે, જેમાં ભારત સરકારની ગાઈડલાઈન મુજબ ગુજરાતમાં વેક્સિન કેન્દ્રમાં વધારો પણ કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.

BAPS હોસ્પિટલને આજે કોરોના વેક્સિનના વધામણા કર્યા છે તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, આ વેક્સિન માનવજાતના કલ્યાણ માટે તૈયાર કરવામાં આવી છે, ત્યારે તેની સાથે સંતોના આશીર્વાદ પણ પ્રાપ્ત થયા છે એટલે આપણે કોરોના સામેના જંગમાં અવશ્ય વિજેતા બનીશું. “કોરોના હારશે અને ગુજરાત જીતશે”ના મંત્રને આપણે સાકાર કરવા જઈ રહ્યા છીએ તેવી શ્રદ્ધા પણ મુખ્યમંત્રીશ્રીએ વ્યકત કરી હતી.

BAPS હોસ્પિટલ દ્વારા કોરોના વેક્સિનનો પ્રારંભ થતો રહ્યો તે ખરેખર આનંદની વાત છે. પૂ્જય પ્રમુખ સ્વામી મહારાજ, પૂજ્ય મહંત સ્વામીના આશીર્વાદ ગુજરાતને સતત પ્રાપ્ત થઈ રહ્યા છે અને આગામી સમયમાં પણ આશીર્વાદ મળતા રહેશે તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ સૌને અભિનંદન આપ્યા હતા.

આ પ્રસંગે વડોદરા ખાતે BAPSના પૂજ્ય કોઠારી સ્વામી, પૂજ્ય જ્ઞાનવત્સલ્ય સ્વામી, ધારાસભ્ય શ્રી જીતુભાઈ સુખડીયા, ભાજપના પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, શ્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ, BAPSના હોસ્પિટલના તબીબો, સંતગણ તેમજ સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com