રાજસ્થાનમાં થયેલ અકસ્માતમાં ગુજરાતના દાહોદના પાંચના મોત

Spread the love

હાલના દિવસોમાં રોજબરોજ અકસ્માતોનું પ્રમાણ વધતું જઇ રહ્યું છે. જેમાં કેટલાક અકસ્માતોમાં લોકોને જાન ખોવાની વારી આવતી હોય છે. ત્યારે ગુજરાતના દાહોદમાં રહેલા પરિવારને રાજસ્થાનમાં અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે ગાડીમાં સવાર 6 માંથી 5 લોકો મૃત્યુ નિપજ્યા હતા. દાહોદથી પોતાના વતન રાજસ્થાન જવા નીકળેલો પરિવાર ભયાનક માર્ગ અકસ્માતનો ભોગ બન્યો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 1 અન્ય મહિલા ગંભીર રીતે ઘાયલ થઇ હતી. અકસ્માત બાદ સ્થાનિક લોકોએ પોલીસની મદદથી તમામને કારમાંથી બહાર કાઢ્યા અને પછી જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ઉપરાંત આ તમામ 6 લોકો એક જ પરિવારના સભ્યો હતા. વધુમાં મળતી માહિતી મુજબ આ પરિવાર મૂળ રાજસ્થાનનો હતો પરંતુ છેલ્લા 40 વર્ષથી દાહોદના લીમખેડામાં રહેતો હતો. ત્યારે આજે સવારે તેઓ ગુજરાતથી પોતાના વતન જવા નીકળ્યા હતા. દરમિયાન આ અકસ્માત સિરોહીના સરનેશ્વર પુલિયા અને સરનેશ્વર મંદિર વચ્ચે થયો હતો. પોલીસ અધિકારીઓએ તપાસ બાદ જણાવ્યું કે કારનું આગળનું ટાયર અચાનક ફાટ્યું, જેના પછી કાર બેકાબૂ થઈ ગઈ અને ડિવાઈડર પાર કરીને નાળામાં પડી ગઇ હતી. આ દુખદ ઘટનાને લઇ રાજસ્થાનના સીએમ ભજનલાલ શર્માએ એક્સ પર શ્રદ્ધાંજલિ આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com