દલિતો પર અત્યાચારના મામલામાં થયેલી હિંસામાં 98 લોકોને આજીવન કેદની સજા, વાંચો, ક્યાં?

Spread the love

 

દેશમાં એસસી એસટી ઓબીસી જેવા અનેક વર્ગો જે કચડાયેલા સમાજને થતો ન્યાય ત્યારબાદ થયેલ ફરિયાદ પછી જે ન્યાય મળ્યો છે તે ચર્ચાનો વિષય બન્યો છે, દેશમાં પહેલીવાર એવું બન્યું છે કે, અદાલતે દલિતો પર અત્યાચારના કેસમાં સામૂહિક રીતે લોકોને આજીવન કેદની સજા સંભળાવી હોય. કર્ણાટકની સેશન્સ કોર્ટે 98 લોકોને એક સાથે આજીવન કેદની સજા ફટકારી છે. ભેદભાવ અને જાતિ હિંસાના 2014ના આ કેસમાં કોર્ટે અન્ય ત્રણને પાંચ-પાંચ વર્ષની જેલની સજા ફટકારી છે. ગંગાવતી તાલુકાના મારાકુંબી ગામમાં દલિતોને નિશાન બનાવવા અને ભેદભાવ કરવા મામલે આ સજા સંભળાવવામાં આવી છે.

જજ ચંદ્રશેખર સીએ આ કેસમાં 101 લોકોને દોષિત ઠેરવ્યા હતા. તેમાંથી ત્રણને ઓછી સજા આપવામાં આવી હતી કારણ કે તેમની સામે એસસી-એસટી એકટ 1989 લાગુ કરાયો નહોતો. કારણ કે તેઓ પણ દલિત સમુદાયના છે. સૂત્રોનું કહેવું છે કે દલિતો પર અત્યાચારના મામલામાં આટલા લોકોને સામૂહિક રીતે સજા સંભળાવવાની આ પહેલી ઘટના છે. સરકારી વકીલ અપર્ણા બંડીએ કહ્યું કે, આ કેસમાં 117 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. 29 ઓગસ્ટ 2014ના રોજ દલિતો પર અત્યાચાર ગુજારાયો હતો. ઘરોને આગ ચાંપી દેવામાં આવી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. મારાકુંબી ગામમાં દલિતોને વાળંદની દુકાને જવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. દલિતોને કરિયાણાની દુકાનમાં સામાન પણ આપવામાં આવતો નહોતો. દલિતોને ગામ બહાર કરી દેવામાં આવ્યા હતા. હિંસા બાદ ત્રણ મહિના સુધી મારકુમ્બી ગામમાં પોલીસ તૈનાત કરવામાં આવી હતી. રાજ્ય દલિત અધિકાર સમિતિએ પણ આંદોલન કર્યું હતું. આ સિવાય ગંગાવતી પોલીસ સ્ટેશનને ઘણા દિવસો સુધી સીલ કરવામાં આવ્યું હતું. આ કેસની ચાર્જશીટમાં સામેલ લોકોમાંથી 16 લોકોના મોત સુનાવણી દરમિયાન થયા હતા. ગુનેગારોને બલ્લારી જેલમાં રાખવામાં આવ્યા છે અને તેમના પર 5000 રૂપિયા અથવા 2000 રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com