26મી જાન્યુયારીના રોજ દિલ્લીમાં યોજાયેલી ટ્રેક્ટર માર્ચમાં થયેલી હિંસાના કારણે 24 જેટલી FIR નોંધવામાં આવતા 200 થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. ત્યારે ખેડૂત vM સિંહે જાહેરાત કરી છે કે તેમનું સંગઠન ખેડૂત આંદોલનથી અલગ થઈ રહ્યું છે. વી એમ સિંધના સંગઠનનું નામ રાષ્ટ્રીય કિસાન મઝદુર સંધ છે. આ સંગઠન હવે આંદોલનનો ભાગ રહેશે નહીં, વી એમ સિંહે કહ્યું કે આદોલન આ રીતે કાર્ય કરશે નહી. અમે અહીં શહીદ કરવા અથવા લોકોને મારવા નથી આવ્યા. તેમણે ભારતીય કિસાન સંઘના રાકેશ ટીકત પર આરોપ લગાવ્યો છે. વી એમ સિંહે કહ્યું કે રાકેશ ટીકત સરકાર સાથેની મીટિંગમાં ગયા હતા શું તેમણે એક વખત પણ યુપીના શેરડીના ખેડુતોનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે ડાંગર વિશે શું વાત કરી? તેમણે શું વિશે વાત કરી હતી આપણે અહીંથી જ કૈક આપતા રહીએ છીએ અને ત્યાં તેઓ નેતા બનવાનું ચાલુ રાખે છે, તે અમારો વ્યવસાય નથી. ભારતીય રાષ્ટ્રીય લોક દળ (INLD) ના મુખ્ય મહામંત્રી અને એલેનાબા ના ધારાસભ્ય અભયસિંહ ચૌટાલાએ બુધવારે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેમણે ખેડૂતોના સમર્થનમાં હરિયાણા વિધાનસભા અધ્યક્ષ જ્ઞાનચંદ ગુપ્તાને રાજીનામું સુપરત કર્યું હતું અભયસિહ ચૌટાલા એ અગાઉ સ્પીકર જ્ઞાનચંદ ગુપ્તાને ઇમેઇલ દ્વારા ધારાસભ્ય પદ પરથી રાજીનામું મોકલી દીધું હતું. તેમણે કૃષિ કાયદા વિરુદ્ધ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું.