કેનેડાથી ભારત આવતા પ્રવાસીઓ માટે ટ્રુડો સરકારે મોટો નિર્ણય લીધો

Spread the love

ભારત અને કેનેડા વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે કેનેડાથી ભારત આવતા પ્રવાસીઓ માટે ટ્રુડો સરકારે મોટો નિર્ણય લીધો છે. હવેથી કેનેડાથી જે મુસાફરો ભારત આવશે તેમની સુરક્ષા તપાસ વધારી દેવામાં આવી છે. કેનેડાના ટ્રાન્સપોર્ટ મંત્રી કે જેઓ કેનેડામાં પહેલા હિંદુ મંત્રી છે તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વધુ સાવચેતી રાખવા સરકારે મુસાફરોની સુરક્ષા વધારી છે, જેના કારણે વિલંબનો સામનો કરવો પડી શકે છે.

ગયા મહિને શીખ ફોર જસ્ટીસના પન્નુએ ચિમકી આપી હતી કે 1થી 19 નવેમ્બર એર ઇન્ડિયામાં મુસાફરી કરવી નહીં. જેને પગલે કેનેડા સરકારે આ નિર્ણય લીધો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કેનેડિયન એર ટ્રાન્સ્પોર્ટ સિક્યોરીટી ઓથોરિટીને એરપોર્ટ પર સુરક્ષા તપાસની જવાબદારી સોંપવામાં આવી છે. ઓથોરિટીએ કહ્યું છે કે, કેનેડાથી ભારત આવતા લોકોએ એરપોર્ટ પર 4 કલાક વહેલા આવી જવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *