– એક મકાન માલિક સારીના લગ્ન મા ગયા ને બીજા મકાન માલિક ગાંધીનગર ખાતે ગયા ને તસ્કરો તાળુ તોડી ધરમા ધુસ્યા
– રાત્રી દરમ્યાન બંધ મકાન નુ તાળા તોડી રોકડ રકમ સોના-ચાંદી ના તાબા ના વાસણ ની ચોરી
– મકાન પાસે આવેલ મંદિર માંથી પણ ચાંદી ના પાંચ છત્રર ની ચોરી
– સોસાયટી ઓમા પણ તસ્કરો ના આંટા ફેરા કરતા રહીશો જાગી જતા તસ્કરો ત્યાંથી ભાગ્યા હતા
– ચોરી કરવા આવેલ તસ્કરો સોસસાયટી મા લાગેલ સીસીટીવી કેમેરા મા કેદ
પ્રાંતિજ
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ સહિત તાલુકા મા તસ્કરો સક્રિય થયા છે અને પ્રાંતિજ ની વિવિધ સોસાયટીઓમા રાત્રી દરમ્યાન આંટા ફેરા કરે છે ત્યારે તસ્કરોએ પ્રાંતિજની સોસાયટી મા એક મકાન તથા ગામમા આવેલ એક મકાન અને મંદિર ને નિશાન બનાવ્યુ હતુ.


પ્રાંતિજ એપ્રોચરોડ આવેલી માતૃછાયા સોસાયટી સામે એસટીડેપો પાસે રહેતા કશ્યપભાઇ જગદીશભાઇ પટેલ ના બંધ મકાન મા રાત્રી દરમ્યાન રસોડાનુ બારણુ તોડી મકાન મા પ્રવેશ કર્યો હતો અને ધરમા રહેલ સર-સામાન વેરવિખેર કરીને કબાટ માંથી ૨૫૦૦૦ ની રોકડ રકમ ની ચોરી કરી હતી તો રસોડા મા રહેલ ખાખરા નો ડબો ખોલી ડાઇનિંગ ટેબલ ઉપર બેસી ને ખાખરા નો નાસ્તો કર્યો હતો અને ધર મા રહેલ દરેક રૂમમા સર-સામાન વેરવિખેર કરી નાખ્યો હતો તો નાની ભાગોળ વિસ્તાર મા ધુસ્યા હતા જયા એક નાના મંદિર ના દરવાજા નુ તાળુ તોડી મંદિર મા રહેલ પાંચ ચાંદીના છત્રર ની ચોરી કરી હતી તો મંદિર પાસે આવેલ હિતેશભાઈ દિલીપભાઈ વાધેલા કે જેવો મહેસાણા ખાતે તેવોની સારી ના લગ્ન હોય ત્યા લગ્ન મા હાજરી આપવા મકાન ને તાળુ મારી ને ગયા હતા ત્યારે રાત્રી દરમ્યાન તસ્કરોએ બંધ મકાન નુ તાળુ તોડી મકાન મા પ્રવેશ કરી મકાન મા રહેલ સર-સામાન વેરવિખેર કરી ધરમા રહેલ તિજોરી ના તાળાતોડી તિજોરી મા રહેલ સોના-ચાંદી ના દાગીના સહિત રોકડ મળી કુલ 36500ની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા તો પડોશ મા રહેતા તેવોના ભાઇ તથા પિતા ને સવારે દરવાજો ખુલ્લો જોવા મલતા મકાન પાસે જતા સરસામાન વેરવિખેર હોય તેવોએ પોતાના પુત્ર ને તથા પોલીસ ને ફોન કરી જાણ કરી હતી, ત્યારે બીજી સોસાયટી મા ધર આગળ લાગેલ સીસીટીવી કેમેરા મા તસ્કરો કેદ થયા હતા.
ત્યારે પ્રાંતિજ એપ્રોચરોડ ઉપર આવેલ માતૃછાયા સોસાયટી ,પટેલ પાર્ક, યોગેશ્વર સોસાયટી, હરીઓમ પાર્ક , ગોપીનાથ સોસાયટી , ગંજાનંદ સોસાયટી , ધનશ્યામ નગર સહિત વિસ્તાર મા રાત્રી દરમ્યાન તસ્કરો ની બુમરાહ ઉઠવા પામી છે તો એક બાજુ ગુલાબી ઠંડી ની મોસમ ફુલ બહાર ખીલી છે તેવામા તસ્કરો ઠંડી મા બંધ મકાન ને નિશાન બનાવી ચોરી કરતા હોય છે ત્યારે હાલતો સોસાયટીઓમા તસ્કરોના આટા ફેરા વધતા સોસાયટી ના રહીશોમા પણ ભંય નો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે સોસાયટીઓ ના રહીશો દ્રારા રાત્રીનો પોલીસ પેટ્રોલિંગ ચુસ્ત બનાવવામા આવે અને રાત્રીનુ પેટ્રોલિંગ વધારવામા આવે તેવી માંગ પણ રહીશોની ઉઠવા પામી છે.