ભારતના 2 રાજ્યોમાં ભૂગર્ભ જળ પીવાલાયક નથી, કેન્સર અને ઓર્ગન ફેઇલ્યોરનું જોખમ : CGWB Report

Spread the love

 

 

Central Ground Water Board | LinkedIn

 

વોશિંગ્ટન/નવીદિલ્હી

હરિયાણા અને પંજાબના ભૂગર્ભ જળને લઈને એક ચોંકાવનારો રિપોર્ટ (CGWB Report) સામે આવ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો કે, રાજ્યના અનેક જિલ્લા એવા છે જ્યાં ભૂગર્ભ જળ પીવાલાયક નથી. તેમાં મર્યાદાથી વધારે માત્રામાં યુરેનિયમ, નાઇટ્રેટ, આર્સેનિક મળી આવ્યા છે. જોખમ એટલું વધારે છે કે, તેને પીવાથી શારીરિક અવયવો ખરાબ થવા (ઓર્ગન ફેઇલ્યોર), નવજાતોમાં બીમારી અને કેન્સર જેવા જોખમ થઈ શકે છે. CGWB એટલે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વૉટર બોર્ડની વાર્ષિક ક્વોલિટી રિપોર્ટ અનુસાર, પંજાબના 20 અને હરિયાણાના 16 જિલ્લામાં ભૂગર્ભ જળની ગુણવત્તા ખૂબ જ ખરાબ છે. અહીં યુરેનિયમનું સ્તર 30 પીપીબીથી વધારે જોવા મળ્યું હતું. તેના નમૂના મે 2023માં એકત્ર કરવામાં આવ્યા હતા. ખાસ વાત એ છે કે, 2019માં પંજાબમાં આવા જિલ્લાઓની સંખ્યા 17 અને હરિયાણામાં 18 હતી. હવે પંજાબમાં પ્રભાવિત જિલ્લાની સંખ્યા વધી ગઈ છે. રિપોર્ટ અનુસાર, 30 પીપીબીથી વધારે યુરેનિયમ પ્રમાણવાળું પાણી પીવાલાયક નથી. કારણ કે, તે શરીરના અવયવોને પ્રભાવિત કરી શકે છે. આ સાથે જ તેના તાર યુરિનરી ટ્રેક્ટ કેન્સર સાથે જોડાયેલા છે. રાજસ્થાનથી 42 અને પંજાબથી 30 ટકા એવા નમૂના છે, જ્યાં આ આંકડો 100 પીપીબીથી વધારે છે.

વધુ યુરેનિયમનું શું છે કારણ? જે વિષે જણાવીએ, પંજાબ અને હરિયાણાના ભૂગર્ભ જળમાં વધુ યુરેનિયમનું કારણ કૃષિ ભૂમિમાં રાસાયણિક ખાતરનો વધુ ઉપયોગ હોઈ શકે છે. CGWB ના રિપોર્ટ અનુસાર ભૂગર્ભ જળમાં રહેલ નાઇટ્રેટનું સ્તર વિષે જણાવીએ, CGWB ના રિપોર્ટ અનુસાર, હરિયાણામાં 128 નમૂનામાં નાઇટ્રેટનું સ્તર મર્યાદિત સીમા 45 એમજી પ્રતિ લીટરથી વધારે જોવા મળ્યું. પંજાબમાં 112 સેમ્પલ સ્ટેટ નિષ્ફળ ગયા છે. હરિયાણામાં આવા 21 અને પંજાબમાં 20 જિલ્લામાં ભૂગર્ભ જળ દૂષિત જોવા મળ્યા છે. જેના કારણે નવજાત શિશુમાં બ્લુ બેબી સિંડ્રોમ થઈ શકે છે. સાથે જ આ પાણી માનવીના પીવાલાયક પણ માનવામાં નથી આવતું. CGWB ના રિપોર્ટ અનુસાર ભૂગર્ભ જળમાં રહેલ આર્સેનિકનું સ્તર વિષે જણાવીએ, પંજાબના 12 અને હરિયાણાના 5 જિલ્લાના ભૂગર્ભ જળમાં આર્સેનિકનું સ્તર 10 પીપીબીથી વધારે જોવા મળ્યું. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, ‘આર્સેનિકના કારણે ત્વચા અને આંતરિક કેન્સર જેવી બીમારીઓ થઈ શકે છે. કાર્સિનોજેનિક ઇફેક્ટ્સ સિવાય લાંબા સમય સુધી આર્સેનિકના સંપર્કમાં રહેવાથી કાર્ડિયોવેસ્કુલર અને ડાયાબિટીસની સમસ્યા થઈ શકે છે’. CGWB ના રિપોર્ટ અનુસાર ભૂગર્ભ જળમાં રહેલ ક્લોરાઇડ સ્તર વિષે જણાવીએ, ભૂગર્ભ જળમાં ક્લોરાઇડ પ્રાકૃતિક અથવા એન્થ્રોપોજીનિક સ્ત્રોતથી આવે છે. જ્યાં ભૂગર્ભ જળમાં ક્લોરાઇડ પ્રમાણ 1000 એમજી પ્રતિ લીટરથી વધારે હોય છે, તે પીવાલાયક પાણી નથી. હરિયાણામાં આા 9.67 ટકા નમૂના છે, જે આ સીમાને પાર કરી ગયા છે. વળી, પંજાબમાં 2 ટકાથી ઓછા ટેસ્ટ નિષ્ફળ થયા. બંને રાજ્યોના 17-17 જિલ્લામાં ક્લોરાઇડની માત્રા મર્યાદિત સીમાથી વધારે જોવા મળી છે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com

Your browser is blocking some features of this website. Please follow the instructions at http://support.heateor.com/browser-blocking-social-features/ to unblock these.