સુરતમાં સ્વામિનારાયણના સાધુનો વિરોધ, વંપટ હટાવો સંપ્રદાય બચાવોના નારા લગાવી હરિભક્તનું પ્રદર્શન

Spread the love

 

 

સુરત

 

સુરત શહેરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના એક સાધુ વિરુદ્ધ વીડિયો ભારે વિરોધ દર્શાવ્યો છે. શ્રી સ્વામિનારાયણ હિત રક્ષક સમિતિના સભ્યો અને હરિભક્તોએ સુરત કલેક્ટેર કચેરી ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થઈ પ્રદર્શન કર્યું હતું. સ્વામી ધનશ્યામ કંકરી અને અન્ય સાધુઓ પર અમુક હરિભક્તોએ વંપટ અને અનૈતિક વર્તનના ગંભીર આક્ષેપો કર્યા છે. આ મામલે હરિભક્તોમાં રોષ ફેલાયો છે અને તેઓએ કાયદેસર કાર્યવાહી કરવાની માંગણી કરી છે.

વિરોધ પ્રદર્શન સાથે નારેબાજી

વિરોધ પ્રદર્શન દરમિયાન લોકો હાથે બેનરો અને પ્લેકાર્ડ્સ લઈને “વંપટ સાધુઓ હટાવો, સંપ્રદાય બચાવો” જેવા સૂત્રો લગાવતા જોવા મળ્યા. એક વિવાદિત વીડિયોમાં સ્વામિનારાયણ સાધુઓ દ્વારા અવલંબાવાતા થતા વિવાદોને લઈને પણ નારેબાજી વ્યક્ત કરી હતી.

વિરોધકોએ વંપટ સાધુઓની હકાલપટી કરવા, ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કડક પગલાં ભરવા અને સંપ્રદાયની પવિત્રતા જાળવવા કડક નિયમો લાગુ કરવા માટે કલેક્ટરને અરજીપત્ર અપાયું હતું. હરિભક્તોએ આ મામલે તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો આંદોલન વધુ ઉગ્ર ચીમકી ઉચ્ચારી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *