
પશ્ચિમ બંગાળ
દેશમા અનેક સ્થળોએ વકફ કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેવા સમયે ૫૧ મિ બંગાળમાં વક્ય કાયદાને લઈને હિંસક વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. જોકે, આ દરમિયાન પ^મિ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યના મુસ્લિમ સમુદાયને ખાતરી આપી હતી કે તેમની સરકાર તેમની મિલકતોની સુરક્ષા સુનિ^તિ કરશે. મમતાએ ભાજપ પર કટાક્ષ કર્યો અને એકતાની હિમાયત કરી. તેમણે ભારપૂર્વક કહ્યું કે તેઓ બંગાળમાં વર્ક્સ બિલ લાગુ થવા દેશે નહીં અને તેઓ બંગાળને ધાર્મિક આધાર પર વિભાજીત થવા દેશે નહીં.
મમતાએ કહ્યું કે, કેટલાક લોકો પૂછે છે કે હું બધા ધર્મોના સ્થળોની મુલાકાત કેમ લઉં છું. મેં કહ્યું હતું કે હું મારા જીવનભર ત્યાં જતી રહીશ જો તમે મને ગોળી મારી દેશો તો પણ મને એકતાથી અલગ નહિ કરી શકો. બંગાળમાં કોઈ વિભાજન નહીં થાય જીવો અને જીવવા દો. મમતાએ કહ્યું, જો કોઈને મારી મિલકત લેવાનો અધિકાર નથી, તો હું કેવી રીતે કહી શકું કે બીજા કોઈની મિલકત લઈ શકાય છે? આપણે 30 ટકા મુસ્લિમોને સાથે લઇને ચાલવું પડશે. યાદ રાખો, દીદી તમારી મિલકતનું રક્ષણ કરશે.
ઉલ્લેખનીય છે કે, મંગળવારે બંગાળના મુર્શિદાબાદમાં વક્ક કાયદાના વિરોધ દરમિયાન પ્રદર્શનકારીઓ અને પોલીસ સાથે અથડામણ થઈ હતી. જેમાં પોલીસના વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી અને પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ કાયદો મુસ્લિમો દ્વારા દાનમાં આપવામાં આવેલી વકફ તરીકે ઓળખાતી મિલકતો પર કેન્દ્રની દેખરેખને વિસ્તળત કરે છે. બંગાળમાં મુસ્લિમોની વસ્તી લગભગ 30 ટકા છે અને તે તળણમૂલ કોંગ્રેસની મોટી વોટ બેંક છે.