રાજકીય, બિનરાજકીય અને ખાસ કરીને વિવિધ સામાજિક આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે, તેઓનો શક્તિસિંહ ગોહિલે આભાર માન્યો
અમદાવાદ
એક તરફ કોંગ્રેસે વિસાવદરમાં AAP સાથે C ગઠબંધન કરશે નહિ તેવું એલાન કર્યુ અને બીજી તરફ AAP નેતાઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. એટલે કોંગ્રેસ હવે ગુજરાતમાં સક્રિય થઇ ગઈ છે. અને તેના કારણે હવે ગુજરાતમાં AAPમાં કોંગ્રેસે મોટું ગાબડું પાડ્યું છે. આજે ઘણા અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન ખાતે AAPના 100થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાસંદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યુ હતું કે કોંગ્રેસ પક્ષ સકારાત્મક એજન્ડા સાથે આગળ વધી રહેલ છે ત્યારે જનહિતમાં કોંગ્રેસ પક્ષમાં જોડાવાનો આ કાર્યકર્તાઓ – આગેવાનોએ નિર્ણય કરેલ છે તેઓનું સ્વાગત કરીએ છીએ.રાજીવ ગાંધી ભવન ખાતે રાજકીય, સામાજિક આગેવાનોને કોંગ્રેસ પક્ષના આવકારતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાસંદશ્રી શક્તિસિંહ ગોહિલએ જણાવ્યુ હતું કે ગુજરાતમાં ભાજપના શાસનમાં લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. યુવાનોને રોજગારી નથી, ખેડૂતો માટે એનપીકે, ડીએપી, યુરિયા ખાતર નથી, શિક્ષણ ખૂબ મોંઘુ થયું છે, મોંઘવારી આસમાને છે, દરેક જગ્યાએ પુષ્કળ ભ્રષ્ટાચાર છે, માટે ગુજરાતના હિતમાં સત્તા પરિવર્તન જરૂરી છે. કોંગ્રેસ પક્ષ સકારાત્મક એજન્ડા સાથે આગળ વધી રહેલ છે ત્યારે જનહિતમાં કોંગ્રેસ પક્ષમાં જોડાવાનો આ કાર્યકર્તાઓ – આગેવાનોએ નિર્ણય કરેલ છે તેઓનું સ્વાગત કરીએ છીએ.
ગુજરાતીઓની સેવા-સાધના માટેના કોંગ્રેસ પક્ષના સેવા યજ્ઞમાં જોડાવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે શ્રી શક્તિસિંહ ગોહિલે કરેલ આહવાનમાં રાજકીય, બિનરાજકીય અને ખાસ કરીને વિવિધ સામાજિક આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે, તેઓનો શ્રી શક્તિસિંહ ગોહિલે આભાર માન્યો હતો. આમ આદમી પાર્ટીથી મોહભંગ થયા બાદ સુનીલ અંબાલાલ પટેલ ટ્રેડ વિંગ ઉપપ્રમુખ આપ પાર્ટી, પ્રિયદર્શન રાજેન્દ્ર પ્રસાદ જૈન શહેર ઉપપ્રમુખ,મહેન્દ્ર એસ વાળંદ, મનોજ ગુપ્તા, અનિલ યાદવ, સાબરમતી વોર્ડ ઉપપ્રમુખ, વિજય કુમાર પટેલ,સૌરભ એસ આચાર્ય ચાંદખેડા વોર્ડ કારોબારી સભ્ય, ધર્મેન્દ્ર આઈ પટેલ સાબરમતી વોર્ડ સભ્ય, ગોપી એમ ભરવાડ ચાંદખેડા વોર્ડ ઉપપ્રમુખ, જયંતિ મકવાણા સાબરમતી વોર્ડ કારોબારી સભ્ય,બ્રિજરાજ સિંહ ઠાકોર રાણીપ પ્રમુખ, પ્રવેશ પટેલ, શૈલેષભાઈ દેસાઈ, મહેશ પાટીલ રાણીપ, સુરતમાંથી રાઘવનજી ગાયકવાડી પૂર્વ કોર્પોરેટર, રાયસંગભાઈ મોરી, અતુલભાઈ ગોંડલિયા, દક્ષાબેન તરસરીયા, ધીરુભાઈ માંડવીયા સહિત મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા હતા.
રાજીવ ગાંધી ભવન ખાતે કાર્યક્રમમાં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી લાલજી દેસાઈ, વિધાનસભા કોંગ્રેસ પક્ષ ઉપનેતા શ્રી શૈલેષભાઈ પરમાર, કોંગ્રેસ પક્ષન કાર્યકારી અધ્યક્ષશ્રી ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખશ્રી હિંમતસિંહ પટેલ, મીડિયા ડિપાર્ટમેન્ટના કન્વિનર ડૉ.મનીષ દોશી, પ્રદેશ પ્રવકતાશ્રી હિરેન બેન્કર ઉપસ્થિત રહ્યા હતા અને કોંગ્રેસ પક્ષમાં જોડાઈ રહેલા વિવિધ આગેવાનોને કોંગ્રેસ પક્ષનો ખેસ પહેરાવીને આવકાર્યા હતા.