ગાંધીનગરના મોટેરાથી સેકટર 1 સુધી ચાલતી મેટ્રો હવે સચિવાલય સુધી લંબાવાની વાત સામે આવી છે,જેમાં મેટ્રોના કમિશનરે આજે સચિવાલ સુધી મેટ્રો સેવાની સમીક્ષા કરી હતી.સચિવાલય પાસે મેટ્રો સ્ટેશનની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે,હવે મેટ્રો કમિશનરની મંજૂરી બાદ સચિવાલય સુધી મેટ્રો દોડશે.
ગાંધીનગરના આ રૂટ પર દોડે છે મેટ્રો
આ રૂટમાં અમદાવાદ અને ગાંધીનગરના મહત્વના સ્થળો જેમ કે, જીએનએલયુ, પીડીઇયુ, ગિફ્ટ સિટી, રાયસણ, રાંદેસણ, ધોલાકુઆ સર્કલ, ઇન્ફોસિટી તેમજ સેક્ટર 1ના વિસ્તારને આવરી લેવાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રો રેલના બીજા તબક્કાના રૂટનો 16 સપ્ટેમ્બરે સેક્ટર-1થી શુભારંભ કરવામાં આવશે. મેટ્રો રેલવેનો બીજો તબક્કો શરૂ થવાથી અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની કનેક્ટિવિટી મજબૂત બનવાની સાથે નાગરિકોની યાત્રા વધુ ઝડપી, સુરક્ષિત અને વાજબી બનશે.
મોટેરા સ્ટેડિયમ અને સેક્ટર-1થી સીધી સેવા શરૂ થશે
હવેથી મોટેરા સ્ટેડિયમ અને ગાંધીનગર સેક્ટર 1થી ગિફ્ટ સિટી સુધી જવા માટે મેટ્રો ટ્રેન મુસાફરોને બદલવી નહીં પડે. મોટેરા સ્ટેડિયમ અને સેક્ટર-1થી ગિફ્ટ સિટી સુધી જવા માટે સીધી મેટ્રો સેવા શરૂ કરવામાં આવશે. જેના કારણે મુસાફરોને મોટી રાહત મળશે અને મુસાફરોનો સમય પણ બચી જશે અને દરરોજ મેટ્રોમાં મુસાફરી કરનારા લોકોને મોટા અંશે રાહત મળશે.
સરકારને થઈ મોટી આવક
ઉલ્લેખનીય છે કે મેટ્રો સેવા અમદાવાદ શહેરમાં અને ગાંધીનગરમાં શરૂ કરવામાં આવતા અનેક મુસાફરો તેનો લાભ લઈ રહ્યા છે. અત્યાર સુધીમાં કરોડો મુસાફરોએ મેટ્રો ટ્રેનમાં સવારી કરી છે તો બીજી તરફ તંત્રને પણ મેટ્રોથી કમાણીમાં લાભ થઈ રહ્યો છે અને કરોડો રૂપિયાની આવક સરકારે પણ મેટ્રો દ્વારા કરી છે.