તંત્રની બેદરકારી, gj 18 સેક્ટર 1 ના આર્ટિફિશિયલ તળાવમાં ડૂબી ગયેલા બાળકનો મૃતદેહ મળી આવ્યો, મોંઘીદાટ બચાવ માટેની સામગ્રી કોઈ કામની ખરી?

Spread the love

તંત્રની બેદરકારી, gj 18 સેક્ટર 1 ના આર્ટિફિશિયલ તળાવમાં ડૂબી ગયેલા બાળકનો મૃતદેહ મળી આવ્યો,

મોંઘીદાટ બચાવ માટેની સામગ્રી કોઈ કામની ખરી?

 

 

 

 

ગાંધીનગર

ગાંધીનગરમાં થોડા વરસાદમાં જ આડેધડ પડેલા ખાડા અને ભૂવાઓએ મનપાની કામગીરીની પોલ ખોલી નાખી હતી, જોકે હવે મનપાની બેદરકારીને કારણે 7 વર્ષીય બાળકનો જીવ ગયો છે. શહેરના સેક્ટર-1માં નિર્માણાધીન આર્ટિફિશિયલ તળાવમાં ગઇકાલે (તારીખ- 30/06/2025) એક બાળક રમતાં રમતાં ગરકાવ થઇ ગયો હતો, જેનો આજે મૃતદેહ બહાર કઢાયો છે. તાજેતરમાં જ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગાંધીનગરની કથળેલી સ્થિતિ જોઈને GMC તેમજ પાટનગર યોજના વિભાગના અધિકારીઓની આકરી શબ્દોમાં ઝાટકણી કાઢી હતી, જેના બીજા દિવસે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે તાકીદની બેઠક બોલાવી સ્થિતિ સુધારવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી, તેમ છતાં તંત્રએ ઘોર બેદરકારી દાખવતા બાળકનો જીવ ગયો છે. ગાંધીનગરના ચ-0 સર્કલ નજીક સેકટર-1 ખાતે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની ખાનગી એજન્સી દ્વારા સુજલામ સૂફલામ યોજના અન્વયે આર્ટિફિશિયલ તળાવ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ આર્ટિફિકેટ તળાવમાં સેક્ટર-1માં રહેતો 7 વર્ષીય કુલદીપ ગફુરભાઈ ભરવાડ નામનો બાળક ઘરકાવ થઈ જવાથી કરુણ મોત થયું છે. આ અંગે બાળકના કાકા વિષ્ણુભાઈ ભરવાડે જણાવ્યું હતું કે, મારા મોટાભાઈનું અગાઉ અવસાન થયું છે મારા ભાભી તેમજ બે બાળકો સેક્ટર-1 ખાતે એક બંગલામાં સર્વન્ટ ક્વાર્ટર્સમાં રહે છે. ગઈકાલે સોમવારે કુલદીપ રાબેતા મુજબ ઘરેથી નજીકમાં મિત્રો સાથે રમવા ગયો હતો. લગભગ કુલદીપ ઘરેથી 4:30 વાગ્યાની આસપાસ નીકળ્યો હતો જે મોડી સાંજ સુધી ઘરે પરત નહીં આવતા પરિવારજનોએ તેની શોધખોળ આદરી હતી, પરંતુ તેનો ક્યાંય પત્તો મળ્યો ન હતો. મોડી રાત થવા સુધી કુલદીપનો ક્યાંય પતો નહીં લાગતા આખરે સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં કુલદીપના ગુમ થયાની જાણવાજો ફરિયાદ આપવામાં આવી હતી અને આખી રાત તેની આસપાસના વિસ્તારમાં શોધખોળ પણ ચાલુ રાખી હતી. આ દરમિયાન આજે તેની સાથે રમી રહેલા બાળકોને પુછતાં કુલદીપ તળાવ બાજુ રમતો હોવાનું જાણવા મળ્યું હતું, જેના પગલે ગાંધીનગર ફાયર બ્રિગેડને બોલાવીને તપાસ કરવામાં આવતા કુલદીપ મરણ હાલતમાં મળી આવ્યો હતો. વધુમાં વિષ્ણુભાઈએ તંત્રની ઘોર બેદરકારી સામે આક્ષેપો કરતા કહ્યું કે, અહીં કોર્પોરેશન દ્વારા તળાવ તેમજ ગાર્ડન બનાવવામાં આવી રહ્યો છે, પરંતુ અહીં ન તો કોઈ ફિક્યુરિટી કે બેરીકેટ જેવા સુરક્ષાના સાધનો પણ રાખવામાં આવ્યા નથી, જેના કારણે આજે મારા ભત્રીજાને જીવ ગુમાવવાનો વખત આવ્યો છે. આ અંગે ગાંધીનગર મેયર મીરાબેન પટેલે સમગ્ર ઘટનાને વખોડી કાઢીને દુઃખ વ્યક્ત કરીને જણાવ્યું કે, સંબંધિત ઘટનાની તપાસ કરવામાં આવશે અને કસૂરવાર ખાનગી એજન્સી સામે જરૂર જણાશે કાર્યવાહી પણ કરવામાં આવશે. બીજી તરફ ગાંધીનગર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગ વ્યાસે જણાવ્યું હતું કે, સેક્ટર-1ખાતે તળાવ બનાવવામાં આવ્યું છે.અહીં જરૂરી સિક્યુરિટી તેમજ બેરીકેટિંગ પણ કરવામાં આવ્યા છે, તેમણે દાવો કર્યો હતો કે થોડા દિવસો અગાઉ પણ બાળકો અહીં રમતા હોવાથી તેમને દૂર ખસેડવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *