
અમદાવાદ વિમાન દુર્ઘટનાનો તપાસ રિપોર્ટ 2 દિવસ પછી જાહેર કરવામાં આવશે. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) આ કેસની તપાસ કરી રહ્યું છે. નિયમો અનુસાર, અકસ્માતના 30 દિવસની અંદર રિપોર્ટ અપલોડ કરવાનો હોય છે. સમાચાર એજન્સી PTI એ સૂત્રોને ટાંકીને આ માહિતી આપી છે. આ પહેલા સમાચાર આવ્યા હતા કે AAIB એ કેન્દ્ર સરકારને પ્રાથમિક તપાસ રિપોર્ટ સુપરત કર્યો છે. આ અહેવાલ પ્રાથમિક તપાસ અને ટેકનિકલ વિશ્લેષણમાં મળેલા પુરાવાના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. જોકે, સૂત્રોએ કોઈપણ પ્રાથમિક અહેવાલ રજૂ કરવાનો ઇનકાર કર્યો હતો.
12 જૂનના રોજ, અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ AI 171 ટેકઓફ થયાના થોડા સમય પછી મેડિકલ હોસ્ટેલની ઇમારત સાથે અથડાઈ હતી. 270 લોકો માર્યા ગયા હતા, જેમાં 241 મુસાફરો અને ક્રૂ સભ્યોનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં ફક્ત એક જ મુસાફર બચ્યો હતો. આ પહેલાં 28 જૂનના રોજ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે કહ્યું હતું કે પ્લેન ક્રેશની તપાસ તમામ દૃષ્ટિકોણથી કરવામાં આવી રહી છે, જેમાં ષડ્યંત્રની શક્યતાનો પણ સમાવેશ થાય છે. વિગતવાર ફાઈનલ તપાસ રિપોર્ટ 3 મહિનામાં આવી શકે છે. 12 જૂનના રોજ અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ AI 171 ટેક-ઑફ થયાના થોડા સમય પછી મેડિકલ હોસ્ટેલના બિલ્ડિંગ સાથે અથડાઈ હતી. 260 લોકો માર્યા ગયા હતા, જેમાં 241 મુસાફરો અને ક્રૂ-સભ્યોનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં ફક્ત એક જ મુસાફર જીવતો બચી ગયો હતો.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે અકસ્માતનું કારણ હજુ સુધી સ્પષ્ટ નથી કે એ એન્જિન ફેલિયર, ઇંધણ પુરવઠાની સમસ્યા કે કોઈ ટેક્નિકલ ખામીને કારણે થયું છે. બ્લેક બોક્સ ભારતમાં જ છે, એને વિદેશ મોકલવામાં આવશે નહીં. એમાં રહેલા CVR અને FDRની તપાસ કરવામાં આવી રહી છે. વિગતવાર રિપોર્ટ 3 મહિનામાં આવવાની અપેક્ષા છે. તેમણે કહ્યું હતું કે DGCA (નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય)ના આદેશ પર એર ઇન્ડિયાનાં તમામ 33 ડ્રીમલાઇનર વિમાનોનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને બધું સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માત એક અપવાદ હતો, હવે લોકો ભય વિના મુસાફરી કરી શકે છે. AAIB દરેક એંગલથી એની તપાસ કરી રહ્યું છે. CCTV ફૂટેજ જોવામાં આવી રહ્યા છે અને ઘણી એજન્સીઓ સંયુક્ત તપાસમાં રોકાયેલી છે.
એર ઇન્ડિયા ડ્રીમલાઇનર વિમાન દુર્ઘટનાની તપાસમાં સંયુક્ત રાષ્ટ્ર સામેલ થશે. ભારત સરકારે સંયુક્ત રાષ્ટ્ર ઉડ્ડયન સંસ્થા ICAO (આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન)ના નિષ્ણાતને ઓબ્ઝર્વર તરીકે સામેલ લેવાની મંજૂરી આપી છે. ICAOએ તપાસમાં સામેલ થવાની મંજૂરી માગી હતી. ભારતે પારદર્શિતા સાથે તપાસ કરવાના હેતુથી સંયુક્ત રાષ્ટ્રને આમાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે. 13 જૂનથી એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (AAIB) ટીમ દ્વારા આ અકસ્માતની તપાસ કરવામાં આવી રહી છે. તેમાં એવિએશન મેડિકલ નિષ્ણાતો, એર ટ્રાફિક કંટ્રોલ (ATC) અધિકારીઓ અને યુએસ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB)ના પ્રતિનિધિઓ પણ સામેલ છે.
Flightradar24 મુજબ, વિમાનનો છેલ્લું સિગ્નલ 190 મીટર (625 ફૂટ)ની ઊંચાઈ પર મળ્યું હતું, જે ટેક-ઓફ પછી તરત જ આવ્યું હતું. ભારતના નાગરિક ઉડ્ડયન નિયમનકાર DGCAએ જણાવ્યું હતું કે વિમાને 12 જૂનના રોજ બપોરે 1:39 વાગ્યે રનવે 23 પરથી ઉડાન ભરી હતી. ટેક-ઓફ પછી વિમાનના પાઇલટે એર ટ્રાફિક કંટ્રોલરને મેડે કોલ (ઇમર્જન્સી મેસેજ) મોકલ્યો, પરંતુ એ પછી કોઈ જવાબ મળ્યો નહીં.