અમદાવાદ
મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટે અમદાવાદ જિલ્લામાં સ્થિત ગિરધરનગર ફ્લાયઓવર પર રેલવે ઓવર બ્રિજ (આરઓબી)ની વિઆડક્ટલૉન્ચિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે, જે દિલ્હી–અમદાવાદ મુખ્ય લાઈન(વેસ્ટર્ન રેલવે) પર આવેલ છે. વિઆડક્ટ હાલની રેલવે લાઈનના સમાનાંતરેદોડે છે, અને ફ્લાયઓવર પર લૉન્ચિંગ 15 સપ્ટેમ્બર 2025ના રોજ પૂર્ણથયું હતું.
આ કામમાં સ્પાન-બાય-સ્પાન (એસબીએસ) પદ્ધતિનો ઉપયોગ કરીને 45 મીટર લાંબું બ્રિજ લૉન્ચ કરવાનો સમાવેશ થયો હતો.
પ્રમુખ વિશેષતાઓ:
ફ્લાયઓવર પર સ્પાનની લંબાઈ: 45 મીટર
વિઆડક્ટની ઊંચાઈ (જમીનથી રેલ લેવલ સુધી): 19.5 મીટર
લૉન્ચ થયેલા સેગમેન્ટની સંખ્યા: 19
સ્પાનનું કુલ વજન: 1200 મેટ્રિક ટન
ગીર્ધર નગર બ્રિજ, જે બે-લેનનું ફ્લાયઓવર છે અને અમદાવાદમાં સૌથીવ્યસ્ત ફ્લાયઓવર્સમાંનું એક છે, જે શાહિબાગ, આસાવરા અને કાલુપુરનેજોડે છે, તે હજારો અમદાવાદ રહેવાસીઓ માટે રોજિંદા મુસાફરીનો મહત્વનોમાર્ગ છે. જાહેર જનતા પર ઓછું વિક્ષેપ થાય તે સુનિશ્ચિત કરવા માટે, ફ્લાયઓવર પર લૉન્ચિંગનું કામ ખૂબ જ સુવ્યવસ્થિત રીતે યોજાયું અનેમાત્ર 12 દિવસમાં પૂર્ણ કરવામાં આવ્યું, જે બ્લોક સમયગાળા દરમિયાનપૂર્ણ થયું, જે 20 સપ્ટેમ્બર સુધી હતો.જાહેર જનતા પર અસુવિધા ઓછા કરવા માટે, તમામ જરૂરી સલામતી અનેટ્રાફિક મેનેજમેન્ટના ઉપાયો અમલમાં મૂકવામાં આવ્યા, જેમાં યોગ્યબેરિકેડિંગ, ટ્રાફિક ડાયવર્ઝન માટેના સૂચક ચિહ્નો, માર્ગ ડાયવર્ઝનનીમાહિતીનું સમયસર પ્રકાશન, પૂરતી સંખ્યા માં ટ્રાફિક માર્શલનો તૈનાતી, અનેરાત્રિના કલાકોમાં પૂરતી લાઇટિંગનો પ્રબંધ સમાવિષ્ટ હતો.
અતિરિક્ત માહિતી:
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર અમદાવાદ જિલ્લામાં 31 ક્રોસિંગ્સમાંથી પસાર થઈ રહ્યો છે, જેમાં આઇઆર ક્રોસિંગ (8 નં.), રોડફ્લાયઓવર, રોડ, રોડ અન્ડરપાસ, નહેર (16 નં.), સબર્મતી નદી પર એક(01) રિવર બ્રિજ ક્રોસિંગ અને છ (06) સ્ટીલ બ્રિજ્સનો સમાવેશ છે. આમાંથી 15 ક્રોસિંગ્સ પૂર્ણ થઈ ગયા છે.

