
અમદાવાદ શહેરમાં ટ્રાફિકની વધતી જતી સમસ્યાને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના મોટા જંકશન ઉપર બ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. વાડજ જંકશન પર ઓવરબ્રિજ અને અંડરપાસ બનાવવામાં આવી રહ્યો છે.
બ્રિજની કામગીરીને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વાડજથી રાણીપ રામાપીર ટેકરા તરફ જતો રોડ બે મહિના કે કામગીરી ચાલુ રહે ત્યાં સુધી બંધ કરવાનો ર્નિણય લીધો છે. જેથી વાહન ચાલકો, છસ્જી, મ્ઇ્જી અને એસટી બસ ભીમજીપુરાથી રામાપીરના ટેકરા અથવા અખબારનગર સર્કલ થઈ વ્યાસવાડીથી નેશનલ હેન્ડલુમ તરફ જઈ શકશે. આમ વાહન ચાલકોએ ૫૦૦ મીટર વધુ ફરવું પડશે.
૩ ઓક્ટોબરથી બ્રિજની કામગીરીના પગલે આ રોડ બંધ કરવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે અમદાવાદના વાડજ જંકશન ઉપર ફોર લેન ફલાય ઓવરબ્રિજ બનાવવાની તેમજ ટુ લેન અંડર પાસ બનાવવાની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.
વાડજ જંકશન પર પાઈલકેપ, પીયર તેમજ પીયરકેપની કામગીરી માટે ૩ ઓક્ટોબરથી બે માસ અથવા કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી વાડજ જંક્શન પરથી રાણીપ તરફ જવાનો રસ્તો બંધ કરવામાં આવશે .આ રોડ પરથી દરરોજ ૧૦૦થી વધુ એસટી બસ, ૫૦થી વધુ છસ્જી અને મ્ઇ્જી તેમજ ૨૫૦૦૦થી વધુ વાહન ચાલકો પસાર થતા હોય છે.
આ વાહનચાલકોના ટ્રાફિકને વાડજ જંકશનથી ભીમજી પુરા ચાર રસ્તા થઈ રામાપીરના ટેકરા તરફથી રાણીપ તરફ જવાના રસ્તે તેમજ વાડજ જંકશનથી ભીમજીપુરા ચાર રસ્તા થઇ અખબાર નગર સર્કલથી નેશનલ હેન્ડલુમ જંકશન તરફ જતા રોડ પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે. જેથી આ રસ્તા પર પસાર થતાં તમામ પ્રકારના વાહનોએ ૩ ઓક્ટોબરથી રાણીપ તરફ અવર જવર માટે ડાયવર્ટ કરવામાં આવેલા રોડનો ઉપયોગ કરવાનો રહેશે.