ફિક્સ પગારના કર્મચારીઓ માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત, હવે મળશે આ લાભ, જાણી લો

Spread the love

 

ફિક્સ પગાર કર્મચારીઓને વધારાના ચાર્જના એલાઉન્સમાં રાજ્ય સરકાર દ્વારા નવો નિર્ણય કરવામાં આવ્યો છે. બે જવાબદારી સંભાળવા માટે કુલ 15% ભથ્થું મળશે. 2021 પછીના કર્મચારીઓને આ લાભ મળશે. સીધી ભરતીમાં નિમણૂક પામેલા ફિક્સ પગારના કર્મચારીઓને હવે ચાર્જ એલાઉન્સ મળશે. ફિક્સ પગારના કર્મચારીઓને 5થી10 ટકા ચાર્જ એલાઉન્સ મળશે. ફરજ કરતા વધારાનો હવાલો સાંભળતા ફિક્સ પગારના કર્મચારીઓને આ ચાર્જ એલાઉન્સ મળશે.

રાજ્ય સરકારના નાણા વિભાગ દ્વારા આ અંગે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.

આ પરિપત્રમાં જણાવ્યા મુજબ, નાણા વિભાગના તારીખ 16/02/2006ના ઠરાવ અંતર્ગત રાજય સરકારની કચેરીઓ ખાતે વર્ગ-3 અને વર્ગ-4 ની સીધી ભરતીની જગ્યાઓ ઉપર નિયત ભરતી પ્રક્રિયા દ્વારા નિમણૂંક પામેલ ફીકસ પગારના કર્મચારીઓને સંદર્ભ ક્રમાંક-(1) થી (3) સામેના ઠરાવો/પરિપત્રથી કરેલ સ્પષ્ટતા મુજબ વધારાની કામગીરી માટે મહેનતાણા અંગેની જોગવાઈ થયેલ છે.

હાલમાં રાજય સરકારના ફીકસ પગારના વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓને સંદર્ભક્રમાંક-(1) થી (3) માં થયેલ જોગવાઇ મુજબ તા. 20/10/2015ના ઠરાવથી નકકી કરવામાં આવેલ ફીકસ પગાર ઉપર વધારાનું મહેનતાણું (ચાર્જ એલાઉન્સ) ચૂકવવામાં આવે છે.

ફીકસ પગારના વર્ગ-3 અને વર્ગ-4 ના કર્મચારીઓ માટે સંદર્ભ ક્રમાંક-(1) માં દર્શાવેલ તા.20/10/2015 ના ઠરાવથી નકકી કરવામાં આવેલ ફીકસ પગારમાં સંદર્ભ ક્રમાંક-(4) સામેના ઠરાવથી સુધારો કરવામાં આવેલ છે, પરંતુ ચાર્જ એલાઉન્સ હાલમાં પણ તા.20/10/2015 ના ઠરાવથી નકકી કરવામાં આવેલ ફીકસ પગાર મુજબ ગણતરી કરીને ચુકવવામાં આવે છે. આથી, ફીકસ પગારના કર્મચારીઓમાં કામ કરવાનો ઉત્સાહ જળવાઈ રહે તે હેતુથી ફીકસ પગારના વર્ગ-3અને વર્ગ-4 ના કર્મચારીઓને સોપવામાં આવેલ સમાન અથવા ઉપલી જગ્યાના વધારાના હવાલા માટે મળવાપાત્ર ચાર્જ એલાઉન્સમાં સુધારો કરવા અંગેની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.

ફીકસ પગારના કર્મચારીઓને મળવાપાત્ર ચાર્જ એલાઉન્સ માટે સંદર્ભ ક્રમાંક: (1) થી (3) ના ઠરાવો/પરિપત્રથી નિયત થયેલ જોગવાઈ રદ્દ કરીને તેમાં સુધારો કરવામાં આવે છે. નાણા વિભાગના તારીખ 16/02/2006ના ઠરાવથી ફિક્સ પગારની નીતિ અંતર્ગત રાજય સરકારની કચેરીઓ ખાતે વર્ગ-3 અને વર્ગ-4ની સીધી ભરતીની જગ્યાઓ ઉપર નિયત ભરતી પ્રક્રિયા દ્વારા નિમણૂક પામેલ ફીકસ પગારના કર્મચારીઓને સમાન અથવા ઉપલી જગ્યાનો વધારાનો હવાલો સોંપવામાં આવે તો આ ફિક્સ પગારના કર્મચારીઓને મળવાપાત્ર પ્રવર્તમાન મહેનતાણાના અનુક્રમે 5થી10 ટકા ચાર્જ એલાઉન્સ મળશે. આ પરિપત્રનો અમલ પરિપત્ર પ્રસિદ્ધ થયા તારીખથી કરવાનો રહેશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *