નેશનલ હેલ્થ મિશન મંડળ દ્વારા પડતર પ્રશ્ને – ૧૬, ૧૭, ૧૮ મે ના રોજ આંદોલનના મંડાણ

Spread the love

કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે આરોગ્ય માં ફરજ બજાવતા કર્મીઓ દ્વારા આંદોલનના મંડાણ શરૂ થઇ ગયા છે ત્યારે નેશનલ હેલ્થ મિશન કરાર આધારીત કર્મચારી મંડળ દ્વારા ગુજરાતના પ્રમુખ વિનોદ પંડ્યા દ્વારા છ મહિનાથી પડતર માંગણીઓ હતી. અમારા માંગણીઓને વાંચન ન મળતાં એક વર્ષની નિષ્ઠાપૂર્વક ફરજ બજાવીએ છીએ. કોરોનાની પરિસ્થિતિમાં જીવના જોખમે કામગીરી કરી રહ્યા છે. આમરા પ્રશ્ને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં બેદરકારી દાખવી રહ્યું છે. ત્યારે આમોએ ૧૨/૫/૨૧ થી ૧૪/૫/૨૧ તેમ ત્રણ દિવસ કર્મચારીઓ ધ્વારા કાળીપટ્ટી ધારણ કરીને ફરજ બજાવેલ હતી. ત્યારે પણ અમારા માંગણીને વાંચા ન આપતા આજરોજ ૧૫/૫/૨૧ ના રોજ મિશન ડાયરેક્ટરને મળ્યા હતા. , તેમાં આમારા પ્રશ્નનું સોલ્યુશન ન આવતા હવે તા ૧૬ ,૧૭, ૧૮ મે ના રોજ હડતાલનું આયોજન કરેલ છે. ત્યારબાદ જો નિર્ણય નહીં કરવામાં આવે તો સામૂહિક રાજીનામાં મોકલી આપવામાં આવશે તેની ચીમકી પ્રમુખ ધ્વારા ઉચ્ચારવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *