જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર દ્વારા તા.૧૧ ડિસેમ્બર હરસોલીયા બ્રધર્સ, સેક્ટર- ૨૮ જી.આઇ.ડી.સી ખાતે રોજગાર ભરતીમેળો યોજાશે

Spread the love

ગાંધીનગર તા.૧૦ ડિસેમ્બર –
જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોના લાભાર્થે તા.૧૧/૧૨/૨૦૨૫નાં રોજ સવારે ૧૧:૦૦ કલાકે હરસોલીયા બ્રધર્સ, પ્લોટ-૩૦૧, સેક્ટર-૨૮, જી. આઈ. ડી. સી., ગાંધીનગર ખાતે રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ રોજગાર ભરતીમેળામાં હરસોલીયા બ્રધર્સ ગાંધીનગર દ્વારા કુશળ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવશે.જેમાં ૧૮ થી ૪૫ વર્ષની ઉંમરના ધો.૧૨ પાસ, આઈ.ટી.આઈ., ડિપ્લોમા અને કોઈ પણ સ્નાતક કક્ષાનાં ઉત્તીર્ણ થયેલ લાયકાત ધરાવતા ફક્ત શારીરિક સશક્ત ઉમેદવારો ભાગ લઇ શકશે. ઇચ્છુક ઉમેદવાર અનુબંધમ પોર્ટલ anubandham.gujarat.gov.in ઉપર રજીસ્ટેશન કરી શકે છે. આ રોજગાર ભરતી મેળાનું અનુબંધમ જોબફેર આઇ.ડી. JE485913610 છે. ભરતીમેળામાં અસલ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલો અને બાયોડેટા સાથે લાવવાના રહેશે. એમ જીલ્લા રોજગાર અધિકારી દ્વારા જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *