બનાસકાંઠાના દિયોદરના ઓગડધામમાં આજે સમગ્ર ઠાકોર સમાજ એકઠો થયો છે. ઠાકોર સમાજના ઉત્થાન માટે અને જુના-બિનજરૂરી રીતિ રિવાજો અને નિયમોને દૂર કરવા માટે મહાસંમેલન યોજાયુ હતુ. આજે યોજાયેલા ઠાકોર સમાજના મહાસંમેલનમાં 16 નિયમો બનાવાયા છે. બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે આ પ્રસંગે સમગ્ર ઠાકોર સમાજ માટે સદારામ ધામ બનાવવા માટે ખોળો પાથરી દાન માંગ્યુ હતુ, જેમાં તમામ લોકોને 100-100 રૂપિયા આપવા અપીલ કરાઇ હતી.
આ દરમિયાન સમાજના આગેવાનોમાં અલ્પેશ ઠાકોર, લવીંગજી ઠાકોર અને કેશાજી ઠાકોર સહિતનાઓએ 11-11 વિઘા જમીન દાનમાં આપીને ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યુ હતુ.
દિયોદરના ઓગડધામમાં આજે ઠાકોર સમાજનું મહાસંમેલન યોજાયુ હતુ, જેમાં સમાજનુ નવુ બંધારણ જાહેર કરવામાં આવ્યુ હતુ. 16 નિયમો બનાવી સમાજ સુધારણા માટે ખાસ પહેલ કરવામાં આવી હતી. આ દરમિયાન સાંસદ ગેનીબેન ઠાકોરે ઓગડધામમાં ઠાકોર સમાજના વિશાળ ‘બંધારણ મહાસંમેલન’ માં મોટી જાહેરાત કરતાં સદારામ ધામ બનાવવા માટે ખોળો પાથરી દાન માંગ્યુ હતુ. ગેનીબેને સમાજના લોકો પાસે 100-100 રૂપિયાનું દાન આપવા અપીલ કરી હતી. આ દરમિયાન ગેનીબેન ઠાકોરે એક વિઘો જમીન દાન આપી શરૂઆત કરી, આ પછી અલ્પેશ ઠાકોરે 11 વીઘા જમીન દાનમાં આપી, લવીંગજી ઠાકોરે અને કેશાજી ઠાકોરે 11 વીઘા જમીન દાનમાં આપી હતી. આ ઉપરાંતત સમાજના કામ માટે બળદેવજી ઠાકોર, ચંદનજી ઠાકોર, અમરતજી ઠાકોર અને ગેનીબેન ઠાકોરે એક વીઘો જમીન આપવાની જાહેરાત
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ઠાકોર સમાજે કુરિવાજોને તિલાંજલિ આપવા અને સામજિક સુધારણા માટે એક મોટી પહેલ કરી છે. બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણ જિલ્લાના ઠાકોર સમાજ દ્વારા દિયોદર તાલુકાના ઓગડધામ ખાતે આજે (4 જાન્યુઆરી)ના રોજ સમાજનું એક વિશાળ સંમેલન યોજાયું હતું. આ સંમેલનનો મુખ્ય ઉદેશ ખાસ કરીને કેટલાક રીત રિવાજ પર પ્રકાશ પાડીને કેટલાક સુધારા કરીને સમાજ માટે એક ચોક્કસ બંધારણ તૈયાર કરાવનો હતો. સંમેલનમાં ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ માટે એક આધુનિક અને સર્વગ્રાહી સામાજિક બંધારણની રચના કરાઇ છે. જેમાં મુખ્ય 16 મુદ્દાને આવરી લેવામાં આવ્યાં છે. જેનું વાંચન ગેની બહેને કરીને સમગ્ર બંધારણ વિશે સમાજને અવગત કર્યાં હતા. જાણીએ શું છે મહત્વના 16 મુખ્ય મુદ્દા
ગેનીબેને ઠાકોર સમાજનું નવું ‘બંધારણ’ જાહેર કર્યું
1.સગાઈમાં 21 લોકોથી વધારે વ્યક્તિ જઈ શકશે નહીં
2.ઓઢામણામાં કપડા કે દાગીના લઈ જવા નહીં
3.સગાઈમાં સાડી-નાળિયેર-રૂપિયો જ લઈ જવાનો રહેશે
4.વૈશાખ અથવા માહ મહિનામાં જ ઠાકોર સમાજ લગ્નની તારીખ નક્કી કરાશે
5.વૈશાખ મહિનાના 15 દિવસ, માહ મહિનામાં 15 દિવસમાં જ લગ્નની તારીખ નક્કી કરવી
6.લગ્નમાં મોંઘી પત્રિકા નહીં છપાવવી, માત્ર સાદી જ આમંત્રણ પત્રિકા છપાવવી
7.જાનમાં સનરુફ ગાડી ન લઈ જવી
8.જાનમાં 11થી વધુ ગાડીઓ ન લઈ જવી
9.મહિલાઓ, પુરુષો સાથે 100 વ્યક્તિને જ જાનમાં લઈ જવા
10.જાનમાં વધુને વધુ બે ઢોલ જ લઈ જવા
11.ઠાકોર સમાજના લગ્નમાં ડીજે પર મુકાયો પ્રતિબંધ
12.બુટ્ટી, મંગળસૂત્ર, પગની ઝાંઝરી અને સાદી બંગળી જ લઈ જવાની રહેશે
13.હલ્દી રશમ, એંટ્રી મારવાની પ્રથા બંધ કરવામાં આવે છે
14.જમણવારમાં મર્યાદિત જ વસ્તુઓ જ રાખવી
15.મામેરામાં કપડાની પહેરામણી પ્રથા બંધ કરવામાં આવે છે
16.મામેરામાં ઓછામાં ઓછા 11 હજાર, વધુમાં વધુ 1 લાખ 51 હજાર જ મુકી શકાશે. મામેરામાં દાગીના લઈ જવા પર પ્રતિબંધ મૂકાયો