રાજ્યના સવાલાખ વકીલો માટે સરકારનો ઐતિહાસિક બજેટમાં જોગવાઈ, 280 થી વધુ બાર એસોસિએશનને બલ્લે બલ્લે થઈ જશે

Spread the love

ગુજરાતના સવા લાખ વકીલો માટે બજેટમાં લેવાયો ઐતિહાસિક નિર્ણય, 280 થી વધુ બાર એસોસિયેશનને સીધો ફાયદો

નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા આજે ગુજરાતનું વર્ષ 2026-27 માટેનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટ અનેક વર્ગો માટે ફાયદાની વાત લાવ્યું છે. પરંતું ગુજરાતના સવા લાખથી વધુ વકીલો માટે ખુશીના સમાચાર લાવ્યો છે.  “ડિજિટલ ઇન્ડિયા” વિઝનને સાકાર કરવાના મક્કમ નિર્ધાર સાથે બજેટમાં ગુજરાતના ૧,૨૫,૦૦૦થી વધુ વકીલોના હિતમાં એક ક્રાંતિકારી જાહેરાત કરવામાં આવી છે.
કનુ દેસાઈએ બજેટની જાહેરાત દરમિયાન જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા એડવોકેટ વેલ્ફેર ફંડ (વકીલ કલ્યાણ નિધિ) માટે ₹૫,૦૦,૦૦૦,૦૦૦ (પાંચ કરોડ) અને બાર એસોસિએશનોના આધુનિકીકરણ તથા ડિજિટલાઇઝેશન માટે અંદાજે ₹૧,૭૫,૦૦,૦૦૦ (એક કરોડ ૭૫ લાખ) ની વિશેષ ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

BJP લીગલ સેલના કન્વીનર જે. જે. પટેલની રજૂઆતને ગ્રાહ્ય રાખીને સરકારે આ ગ્રાન્ટ મંજૂર કરી છે. આ પહેલ અંતર્ગત ગુજરાતની તમામ 280 થી વધુ બાર એસોસિએશનોને ટેકનોલોજીકલ રીતે સજ્જ કરવામાં આવશે.

આ પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓ:

બેક ઓફિસ સોફ્ટવેર: 
તમામ 280 થી વધુ બાર એસોસિએશનોને હાઇ-લેવલ સોફ્ટવેર આપવામાં આવશે, જેનાથી મેમ્બર મેનેજમેન્ટ વધુ સુરક્ષિત અને સરળ બનશે.

સમર્પિત મોબાઈલ એપ: 
દરેક એડવોકેટ સભ્ય માટે અલગ મોબાઈલ એપ ઉપલબ્ધ કરાવાશે, જેમાં ૧૦૦થી વધુ પ્રોએક્ટિવ સુવિધાઓ જેવી કે કેસ મેનેજમેન્ટ, ક્લાયન્ટ મેનેજમેન્ટ અને ઓનલાઈન પેમેન્ટની સગવડ હશે.

AI ટેકનોલોજીનો ઉપયોગ: 
વકીલોની કામગીરીને વેગ આપવા માટે LegalGPT, AI ડ્રાફ્ટિંગ, AI આધારિત કેસ સમરી અને ડોક્યુમેન્ટ ટ્રાન્સલેશન જેવી અત્યાધુનિક સેવાઓ પૂરી પાડવામાં આવશે.

ડિજિટલ કનેક્ટિવિટી: 
દરેક બાર એસોસિએશનને પોતાની સત્તાવાર વેબસાઇટ મળશે અને સિનિયર વકીલો દ્વારા માર્ગદર્શન માટે ખાસ ઈ-વિડિયો ચેનલ પણ શરૂ કરવામાં આવશે.

ગુજરાતનો કાયદાકીય વ્યાપ પારદર્શક બનશે 
જે. જે. પટેલે આ અંગે ખાતરી આપતા જણાવ્યું છે કે, આ માત્ર એક ડિજિટલ પ્રોજેક્ટ નથી, પરંતુ ગુજરાતના વકીલ સમાજને વૈશ્વિક સ્તરની ટેકનોલોજીથી સજ્જ કરવાનો એક ઐતિહાસિક સંકલ્પ છે. સરકાર તરફથી ગ્રાન્ટ પ્રાપ્ત થયાના ટૂંકા ગાળામાં જ આ તમામ સેવાઓ કોઈ પણ વધારાના ખર્ચ વગર વકીલ મિત્રો માટે કાર્યરત કરી દેવામાં આવશે. આ નિર્ણયથી ગુજરાતનો કાયદાકીય વ્યાપ વધુ પારદર્શક, ઝડપી અને આધુનિક બનશે, જેનો સીધો લાભ રાજ્યના લાખો વકીલો અને ન્યાયિક પ્રક્રિયાને મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *