
રશિયાના ક્રૂડ તેલની ખરીદીનો ઉલ્લેખ કરીને ભારત પર ભારે ટેરિફ લાદવાનો અમેરિકાનો નિર્ણય તેના પક્ષમાં કામ કરી રહ્યો હોય તેવું લાગે છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફની જાહેરાત કર્યા પછી રશિયાથી ભારતની નિકાસમાં તીવ્ર ઘટાડો થયો છે. સોમવારે જાહેર કરાયેલા તાજેતરના ડેટા અનુસાર, જાન્યુઆરીમાં રશિયાથી ભારતની વેપારી માલની આયાતમાં ૪૦.૪૮ ટકાનો ઘટાડો થયો છે.
માહિતી અનુસાર, જાન્યુઆરી ૨૦૨૫માં રશિયાથી ભારતની આયાત આશરે $૪.૮૧ બિલિયન હતી. હવે, તે ઘટીને $૨.૮૬ બિલિયન થઈ ગઈ છે. આ ઘટાડો મુખ્યત્વે ભારતીય રિફાઇનરીઓ દ્વારા રશિયાથી તેમની કાચા તેલની ખરીદીમાં ભારે ઘટાડો કરવાને કારણે છે. જો કે, સરકારે સોમવારે જાન્યુઆરી ૨૦૨૬ માટે જ વેપાર ડેટા જાહેર કર્યો.
રશિયાથી ભારતની કુલ આયાતમાં પેટ્રોલિયમ ક્રૂડ ઓઇલનો હિસ્સો સામાન્ય રીતે લગભગ ૮૦% હોય છે. ક્રૂડ ઓઇલ ઉપરાંત, ભારત રશિયાથી કોલસો. કોક, કેટલાક પેટ્રોલિયમ ઉત્પાદનો, ખાતરો, લોખંડ, ન્યૂઝપ્રિન્ટ, પ્રોજેક્ટ મટિરિયલ્સ, કઠોળ, મોતી અને કિંમતી અને અર્ધ-કિમતી પથ્થરોની આયાત કરે છે.
ભારતે એપ્રિલ ૨૦૨૫ માં રશિયાથી આશરે ૬૪.૭૩ બિલિયનનું તેલ આયાત કર્યું હતું. આ મહિનો હતો. જ્યારે ટ્રાપે મુક્તિ દિવસ પર ટેરિફની જાહેરાત કરી હતી. ત્યારથી, અમેરિકાએ સતત ભારતને નિશાન બનાવ્યું છે. રશિયન તેલ ખરીદવા બદલ દંડ તરીકે પહેલા ૨૫% અને પછી વધારાના ૨૫% ટેરિફ લાદ્યા છે. આના કારણે અમેરિકાએ ભારતીય ઉત્પાદનો પર ૫૦% ટેરિફ લાધો છે. આના કારણે રશિયન તેલની ખરીદીમાં ઘટાડો થયો છે. જો કે, તાજેતરમાં એક વચગાળાના કરાર થયા પછી, અમેરિકાએ ભારત પર લાદવામાં આવેલા ટેરિફ ઘટાડયા છે.
ભારતની રશિયન ક્રૂડ ઓઇલ આયાત સપ્ટેમ્બરમાં ઘટીને 03.3૨ બિલિયન થઈ ગઈ. જે એપ્રિલથી લગભગ ૩૦% ઓછી છે. ૯ જાન્યુઆરીના રોજ એક સમાચાર અહેવાલ પર પ્રતિક્રિયા આપતા, ભારતની સૌથી મોટી ખાનગી રિફાઇનર કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હુ પર જણાવ્યું હતું કે કંપની જાન્યુઆરીમાં રશિયન ક્રૂડ ઓઇલ ડિલિવરીની અપેક્ષા રાખતી નથી.
આ બાબતથી પરિચિત એક અધિકારીએ જણાવ્યું હતું કે, આગામી મહિનાઓમાં રશિયાથી વેપારી આયાતમાં વધુ ઘટાડો થવાની ધારણા છે. ભારતીય રિફાઇનર્સ રશિયન તેલ કરતાં સસ્તું વેનેઝુએલાના ક્રૂડ ઓઇલ ખરીદવાનું શરૂ કરશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારતીય રિફાઇનર્સ વેનેઝુએલાના ક્રૂડ ઓઇલ ખરીદવા માટે યુએસ ઓફર પર વિચાર કરી રહ્યા છે. અગાઉ, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ૩૧ જાન્યુઆરીએ જણાવ્યું હતું કે ભારત હવે ફક્ત વેનેઝુએલાના તેલ ખરીદશે.