પ્રકૃત્તિ ના પ્રેમ નું મમત્વ એટલે ફૂલ ફળપત્તા ને વૃક્ષ, માં પ્રકૃત્તિ ના જતન અને સંવર્ધન માટે એક કદમ આગળ આવીએ… મા ભોમ નું ઋણ સ્વીકાર કરીએ.. સાથે માં પ્રકૃતિ ને ભેટ સ્વરૂપ ભોમ ને લીલા જાજમ સમા વૃક્ષો ના વાવેતર થી હરિયાળું લીલુંછમ બનાવીએ..
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભા.જ.પ. ગુજરાતના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ સાહેબ ,ઓ.બી.સી. મોરચાના અધ્યક્ષ શ્રી ઉદયભાઈ કાનગડ ના માર્ગદર્શન હેઠળ
ઋષિવંશી સમાજ સેવા સંઘ ના સ્થાપક-પ્રમુખશ્રી હેમરાજભાઈ પાડલીયા તેમજ ઋષિવંશી સમાજના યુવાનો દ્વારા ગુજરાતભર માં 5100 વૃક્ષોનું વૃક્ષારોપણ કરશે…
સર્જક અને સર્જન ના તારણહાર માં પ્રકૃતિ ના આગોષ માં મમત્વ ની જંખના નો સાક્ષાત અનુભવ એટલે વૃક્ષ,વન,જંગલ માં પ્રકૃતિ ની પરિપૂર્ણતા એટલે પંચમહાભૂત આકાશ, ધરતી, જળ, વાયુ,અગ્નિ
તેમના પર નિર્ભર જળચર, વનચર, ભુચર, એક મેક ના સંકલન થી સંકળાયેલ આ વિશાળ અખંદ બ્રહ્માંડમાં જીવ માત્ર ને જળ જમીન વાયુ અને આકાશ પર નિર્ભર જીવનના અભિન્ન અંગ સમા ગણાવી શકાય માટે માં પ્રકૃત્તિ ના જતન મહાઅભિયાન અંતર્ગત માં ધરતિં ને લીલા જાજમ સમા વન જંગલો ના વિકાસ સાથે સાથે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વૃક્ષારોપણ કરાશે….