
પણ મોડી રાતે અચાનક ઘરના તમામ સભ્યોની તબિયત ખરાબ થઈ. હાલત ગંભીર થતાં તેમને તરત હોસ્પિટલે લઈ જવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન ચારેયના મોત થઈ ગયા.
પતિ-પત્ની અને બાળકોના મોત
મૃતકોની ઓળખ 40 વર્ષીય અબ્દુલ્લા ડોકાડિયા, તેમની પત્ની 35 વર્ષીય નસરીન ડોકાડિયા, આયશા ડોકાડિયા (16) અને જૈનબ ડોકાડિયા (13) તરીકે થઈ છે. એક જ પરિવારના ચાર લોકોના આવી રીતે મોત થવાથી સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, મોત પહેલા પરિવારના એક સભ્યએ જણાવ્યું કે, તેમણે રાતના સમયે બિરયાની અને બાદમાં તરબૂચ ખાધું હતું. તેથી એ સ્પષ્ટ નથી થઈ રહ્યું કે ઝેર બિરયાનીમાં હતું કે પછી તરબૂચમાં કે પછી બંને એક સાથે ખાવાથી કોઈ રિએક્શન થયું છે.
બિરયાની કે તરબૂચમાં ઝેર
મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, શરુઆતી તપાસમાં ફૂડ પોઈઝનિંગની આશંકા બતાવવામાં આવી રહી છે, પણ હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે ઝેર બિરયાનીમાં હતું, તરબૂચ કે પછી બંને એક સાથે ખાવાથી કોઈ રિએક્શન થયું છે.
પોલીસે આ મામલામાં આકસ્મિક મોતનો કેસ નોંધી લીધો છે અને તપાસ શરુ કરી દીધી છે. ખાવાના નમૂના અને તરબૂચને જપ્ત કરી તપાસ માટે મોકલી દીધું છે. પોસ્ટમોર્ટમ થઈ ચૂક્યા છે. પણ મોતનું અસલી કારણ હિસ્ટોપૈથોલોજી રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થશે.
આ ઘટનાએ સમગ્ર વિસ્તારને સ્તબ્ધ કરી દીધા છે. એક હસતા-ખેલતા પરિવારનું આ રીતે અચાનક ખતમ થવાથી લોકોને અંદરથી ફફડી ગયા છે. તો વળી પ્રશાસન પણ આ વાતના મૂળ સુધી જવાની કોશિશ કરી રહી છે કે આખરે આ ત્રાસદી પાછળનું અસલી કારણ શું છે.