નેપાળના રાજકારણમાં ફરી એકવાર ભૂકંપ આવ્યો છે. વડાપ્રધાન બાલેન શાહના શપથ લીધાના માંડ 1 મહિનામાં જ તેમની કેબિનેટમાંથી બે દિગ્ગજ મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે. આ વચ્ચે રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે સરકારની ભલામણ પર સંસદના બંને ગૃહોના સત્રને અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દીધું છે. આ ઘટનાક્રમ બાદ વિપક્ષ હવે બાલેન શાહ સરકાર સામે મોરચો ખોલવાની તૈયારીમાં છે.
સંસદ સત્ર સસ્પેન્ડ અને મંત્રીઓના રાજીનામા
સત્ર મુલતવી: 30 એપ્રિલથી શરૂ થનારું સંસદ સત્ર રદ કરવામાં આવ્યું છે, જેનાથી વિપક્ષમાં રોષ જોવા મળી રહ્યો છે.
ગૃહમંત્રીનું રાજીનામું: ગૃહમંત્રી સુદાન ગુરુંગે એક વેપારી સાથેના કથિત આર્થિક સંબંધોના વિવાદ બાદ રાજીનામું આપ્યું છે. નોંધનીય છે કે ગુરુંગે જ પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલીની ધરપકડ કરાવી હતી.
શ્રમ મંત્રીની બરતરફી: 9 એપ્રિલના રોજ શ્રમ મંત્રી દીપ કુમાર શાહને પદનો દુરુપયોગ કરવા બદલ હટાવવામાં આવ્યા હતા.
Nepalનો અસ્થિર રાજકીય ઈતિહાસ
નેપાળમાં (Nepal)લોકશાહી આવ્યા બાદ સ્થિરતા માટે સંઘર્ષ ચાલુ છે:
વિક્રમી સરકારો: વર્ષ 2008 થી અત્યાર સુધીમાં નેપાળમાં 14 અલગ-અલગ સરકારો બની છે.
કાર્યકાળ: હજુ સુધી કોઈ પણ સરકારે પોતાનો 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો નથી. જો બાલેન શાહ આ સરકાર બચાવી લે છે, તો તે નેપાળના ઈતિહાસમાં એક નવો વિક્રમ હશે.
આર્થિક સંકટ અને ચીનનો પ્રભાવ
રાજકીય અસ્થિરતાની સીધી અસર નેપાળની(Nepal) અર્થવ્યવસ્થા પર પડી છે:
દેવું: ચીને ‘બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ’ (BRI) હેઠળ નેપાળને (Nepal) દેવામાં ડૂબાડી દીધું છે.
વેપાર: નેપાળના (Nepal) બજારો ગેરકાયદેસર ચીની સામાનથી ભરાઈ ગયા છે, અને વિદેશી રોકાણ અત્યારે લગભગ શૂન્ય છે.
