કેન્સર સારવારમાં નવી હરણફાળ : અમદાવાદમાં કેડી હોસ્પિટલ દ્વારા અદ્યતન કેડી કેન્સર સેન્ટરની શરૂઆત

Spread the love

0ef1582d-31e4-4c92-908f-568f04052897 0ef1582d-31e4-4c92-908f-568f04052897 0ef1582d-31e4-4c92-908f-568f04052897 0ef1582d-31e4-4c92-908f-568f04052897

વિડિયો બાઈટ: ડૉ. સોમેશ ચંદ્રા

વેરસ એચડી લિનિયર એક્સલરેટર ,બ્રેચીથેરાપી 550 ડિજીટલ પેટ-સીટી,જીઈ એનએમ 850 સ્પેકટ /સીટી અને ડા વિન્સી એક્સ રોબોટીક સર્જિકલ સિસ્ટમ જેવી અદ્યતન ટેક્નોલોજી સાથે હવે ચોકસાઈભર્યું કેન્સર નિદાન : કે ડી હોસ્પિટલના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. આદિત દેસાઈ

પુરુષોમાં મોંઢા અને ગળાનું જયારે સ્ત્રીઓમાં સ્તનનું કેન્સર નંબર વન:અમારી પ્રતિબદ્ધતા માત્ર કેન્સરની અસરકારક સારવાર પૂરતી સીમિત નથી, પરંતુ દર્દીઓમાં આત્મવિશ્વાસ, ગૌરવ અને નવી આશા જગાડવાની : કે.ડી હોસ્પિટલના સીનિયર કન્સલ્ટન્ટ સર્જિકલ ઓન્કોલોજી અને રોબોટિક સર્જરી ડૉ. સોમેશ ચંદ્રા

અમદાવાદ

અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે કે.ડી હોસ્પિટલ દ્વારા અદ્યતન કે. ડી.કેન્સર સેન્ટરની આજથી શરૂઆત કરવામાં આવી છે. અમદાવાદ હંમેશાથી સંકલ્પ, સંવેદના અને માનવતાનું શહેર રહ્યું છે. હવે આ શહેરને ગૌરવ અનુભવવાનો વધુ એક અવસર મળ્યો છે. આરોગ્યસેવાના ક્ષેત્રમાં એક ઐતિહાસિક ક્ષણરૂપે કે ડી હોસ્પિટલ ગર્વ સાથે અદ્યતન કે ડી કેન્સર સેન્ટરની શરૂઆત જાહેર કરે છે.

કે ડી હોસ્પિટલના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. આદિત દેસાઈએ જણાવ્યું હતું કે, “આ કેન્સર સેન્ટર માત્ર બીમારીની સારવાર માટે નથી, પરંતુ આશાને ફરી જીવંત કરવા, જીવનને નવી દિશા આપવા અને કેન્સર સારવારને વધુ સંવેદનશીલ અને ગૌરવપૂર્ણ બનાવવા માટેનું એક મહત્વનું પગલું છે.દિન પ્રતિદિન ગુજરાતમાં મોઢા અને ગળાના કેન્સરમાં સતત વધારો થઈ રહ્યો છે. મહિલાઓમાં સ્તન અને ગર્ભાશયના મુખના કેન્સર પણ વધી રહ્યા છે ત્યારે ત્યારથી જ તેમનું નિદાન કરાવી શકે જેને લઈને તમામ સુવિધાઓ સાથેનું કેન્સર સેન્ટર બનાવવામાં આવ્યું છે. માત્ર કેન્સરની જ નહીં પરંતુ તેની સાથેના અલગ અલગ રોગોની પણ સારવાર કરવામાં આવશે.કેમ્પસમાં નિષ્ણાંતો ફુલ ટાઈમ ઉપલબ્ધ રહેશે.વેરસ એચડી લિનિયર એક્સલરેટર ,બ્રેચીથેરાપી 550 ડિજીટલ પેટ-સીટી,જીઈ એનએમ 850 સ્પેકટ /સીટી અને ડા વિન્સી એક્સ રોબોટીક સર્જિકલ સિસ્ટમ જેવી અદ્યતન ટેક્નોલોજી સાથે હવે ચોકસાઈભર્યું કેન્સર નિદાન અને સારવાર દર્દીઓ સુધી વધુ નજીક પહોંચશે.”
કે.ડી હોસ્પિટલના સીનિયર કન્સલ્ટન્ટ સર્જિકલ ઓન્કોલોજી અને રોબોટિક સર્જરી ડૉ. સોમેશ ચંદ્રાએ જણાવ્યું હતું કે,દેશમાં કેન્સરના 15 થી 18 લાખ કેસ જોવા મળી રહ્યા છે.ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં પુરુષોમાં મોંઢા અને ગળાનું નંબર વન કેન્સર જોવા મળે છે.જ્યારે સ્ત્રીઓમાં નંબર વન બ્રેસ્ટ સ્તનનું કેન્સર નંબર વન છે. પ્રતિદિન ૨૦૦ સ્ત્રીઓને ગર્ભાશયનું કેન્સર જોવા મળે છે.કેન્સર રોગ માટે જ ધ્યાન આપવામાં આવી રહ્યું નથી પરંતુ વ્યક્તિની સારવાર પર અમે ધ્યાન આપી રહ્યા છીએ કેન્સરની સારવાર સાથે અલગ અલગ રોગો પણ જોવા મળતા હોય છે ત્યારે તેની સારવાર પણ સાથે કરવી પડે છે. જે તમામ સારવાર એક જ કેમ્પસમાં મળી શકશે. તમામ પ્રકારની સુવિધાઓ સાથેનું અદ્યતન કેન્સર સેન્ટર બનાવવામાં આવ્યું છે. કે.ડી કેન્સર સેન્ટરમાં સર્જીકલ ઓન્કોલોજી, મેડિકલ ઓનકોલોજી, રેડીએશન ઓનકોલોજી, ન્યુક્લિયર મેડિસિન અને રોબોટિક સર્જરીના નિષ્ણાંતો ફુલ ટાઈમ ઉપલબ્ધ રહેશે.

ડૉ. સોમેશ ચંદ્રાએ વધુમાં જણાવ્યું હતું કે કેન્સર માત્ર એક પરિમાણ ધરાવતી બીમારી નથી, તેથી તેની સારવાર પણ બહુઆયામી હોવી જરૂરી છે.આ સંકલિત અભિગમ દરેક દર્દી માટે વ્યક્તિગત અને સર્વગ્રાહી સારવાર યોજના સુનિશ્ચિત કરે છે, જેનો હેતુ માત્ર કેન્સરની સારવાર નહીં પરંતુ દર્દીના સમગ્ર આરોગ્ય અને જીવનની ગુણવત્તાની કાળજી લેવાનો છે.”કે ડી કેન્સર સેન્ટર પ્રગતિ, નવીનતા અને આશાનું પ્રતિક બની રહ્યું છે, જ્યાં આધુનિક ટેક્નોલોજી અને માનવતા સાથે મળીને કેન્સર સારવારને નવી ઓળખ આપવામાં આવી રહી છે.આગામી બીજા તબક્કામાં bone Transplantation (BMT) અને radioiodine Therapy જેવી અદ્યતન સેવાઓની શરૂઆત સાથે, એક જ સ્થળે સંપૂર્ણ અને દર્દી-કેન્દ્રિત સારવાર પ્રદાન કરવાની પ્રતિબદ્ધતા વધુ મજબૂત બનશે.અમારી પ્રતિબદ્ધતા માત્ર કેન્સરની અસરકારક સારવાર પૂરતી સીમિત નથી, પરંતુ દર્દીઓમાં આત્મવિશ્વાસ, ગૌરવ અને નવી આશા જગાડવાની છે. અમે એવા ભવિષ્યનું નિર્માણ કરી રહ્યા છીએ, જ્યાં કેન્સર સારવાર વધુ ચોકસાઈભરી, વધુ વ્યક્તિગત અને ખરેખર દર્દી-કેન્દ્રિત બનશે.
આ એક એવું કેન્દ્ર, જ્યાં આધુનિક વિજ્ઞાન અને ટેક્નોલોજી માનવીય સંવેદનાશીલતા સાથે જોડાય છે, અને જ્યાં દરેક દર્દીની સારવારની સફર આશા, ગૌરવ અને ચોકસાઈ સાથે આગળ વધે છે. આ માત્ર એક નવી મેડિકલ સુવિધાની શરૂઆત નથી, પરંતુ આશા, આરોગ્ય અને નવી જિંદગી તરફના અનેક નવા પ્રવાસોની શરૂઆત છે.
કે ડી કેન્સર સેન્ટરને કેન્સર જેવી જટિલ બીમારી સામે એક સર્વગ્રાહી અને સુવ્યવસ્થિત સારવાર પ્રદાન કરવા માટે વિશેષ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. ઓન્કોલોજી, રેડિયોલોજી, ડાયગ્નોસ્ટિક્સ અને સપોર્ટિવ સેવાઓને એક જ છત હેઠળ એકત્રિત કરીને દર્દીઓને વધુ સરળ, ઝડપી અને સુમેળભરી સારવારનો અનુભવ મળે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. આ કેન્દ્રને વિશિષ્ટ બનાવે છે તેની દર્દી-કેન્દ્રિત અભિગમ. નિદાનથી લઈને સંપૂર્ણ સ્વસ્થતા સુધીની દરેક પ્રક્રિયામાં દર્દી અને તેમના પરિવારજનોને સહાનુભૂતિ, સન્માન અને માનસિક આધાર સાથે માર્ગદર્શન આપવામાં આવે છે. આરામદાયક વાતાવરણ, સુવ્યવસ્થિત પ્રક્રિયાઓ અને સંકલિત સારવાર પદ્ધતિ દર્દીઓને મુશ્કેલ સમયમાં પણ વિશ્વાસ અને સહારો આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *