હવે સગીરોને નહીં મળે સિમકાર્ડ : માતા-પિતાની સહમતીના આધારે જ મળશે

Spread the love
નવી દિલ્હી,તા.9 મોબાઈલ સિમ કાર્ડ ઈશ્યુ કરવાના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે, ખાસ કરીને સગીર (18 વર્ષથી ઓછી વયના)ને સિમકાર્ડ માતા-પિતાની સહમતીના આધારે જ મળશે. તેને લઈને દૂરસંચાર વિભાગ બધી ટેલિકોમ કંપનીઓને નિર્દેશ કર્યો છે, ત્યારબાદ નવો નિયમ જલદી લાગુ થઈ જશે.

ડિજીટલ વ્યક્તિગત ડેટા સંરક્ષણ અધિનિયમમાં પ્લેટફોર્મ પર ખોટી ગતિવિધિ કરે છે તો સિમકાર્ડ અને ડિજીટલ એકાઉન્ટના નિયમો અંતર્ગત સહમતી આપતા માતા-પિતાને જ જવાબદાર ઠેરવવામાં આવશે.

કારણ કે તેમના દ્વારા વેરિફીકેશન પુરુ કરાયું હતું.

 

સિમકાર્ડ ઈશ્યુ કરવા માટે રહેશે મજબૂત વ્યવસ્થા

હાલ સગીરોને કોલેજ આઈ અથવા આધાર નંબર પર કેટલીક જગ્યાએ અનેક મહત્વની જોગવાઈ કરવામાં આવી છે, જેને અલગ અલગ મંત્રાલયો તરફથી લાગુ કરવામાં આવી રહી છે.

 

ડેટા સંરક્ષણ સાથે જોડાયેલો નિયમ દૂરસંચાર મંત્રાલયને અધિન પણ આવે છે, જેને લઈને હવે જોગવાઈ કરવામાં આવી રહી છે કે જો કોઈ સગીર સીમકાર્ડ લેવા માંગે છે તો તેને માતા-પિતાની કેવાયસી સાથે સીમકાર્ડ આપવામાં આવશે.

 

ખરેખર તો ડેટા સંરક્ષણ અધિનિયમમાં કહેવામાં આવ્યું છે કે સિમકાર્ડ માત્ર વાત કરવા માટે નહીં બલકે ડિજીટલ ઓળખ (ઓટીપી/કેવાયસી)નો પણ આધાર છે, એટલે નિયમને વધુ સખ્ત કરી દેવાયા છે.

 

હવે મોબાઈલ સિમકાર્ડ લેતી વખતે સમય કે ઓનલાઈન એકાઉન્ટ ખોલતી વખતે સહમતીનો એક ડિજીટલ ટ્રેલ રાખવો જરૂરી છે. જો કોઈ સગીર કોઈ સિમ ઈશ્યુ કરવામાં આવે છે. હવે કંપનીઓ એવી જોગવાઈ કરી રહી છે.

 

જેમાં બાળકના આધારમાં નોંધાયેલ જન્મ તારીખ જેવી સિસ્ટમ જ અપલોડ થશે તો તે એ ઓળખ કરશે કે જે નામ પર સિમ કાર્ડ માંગવામાં આવી રહ્યું છે તે સગીર છે. ત્યારબાદ સીસ્ટમ વાલી (મા-બાપ)ના કેવાયસીનો વિકલ્પ આપશે. સગીરે મા-બાપનું કેવાયસી અપલોડ કરવું પડશે, જેમાં સહમતી પત્ર પણ આપવો પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *