
સરકારને આશંકા છે કે વધેલી ઇમ્પોર્ટ ડ્યૂટી બાદ કેટલાક લોકો આ સ્કીમનો ખોટો ઉપયોગ કરી શકે છે અને મોટા પાયા પર સોનાની આયાત કરી કિંમત આર્બિટ્રેઝનો ફાયદો ઉઠાવી શકે છે. આ સંભાવનાને રોકવા માટે સરકારે ઘણા નવા નિયંત્રણ ઉપાય લાગૂ કર્યાં છે.
સરકારે નવો નિયમ લાગૂ કરતા એડવાન્સ ઓથોરાઇઝેશન પર મહત્તમ 100 કિલો સોનાની આયાત મર્યાદા નક્કી કરી દીધી છે. તેનો ઉદ્દેશ્ય મોટા પાયા પર ડ્યુટી ફ્રી ગોલ્ડ ઇમ્પોર્ટને નિયંત્રિત કરવાનો છે.
નવા અરજીતર્તાની ફેક્ટરીની થશે તપાસ
હવે જે નવા કારોબારી પ્રથમવાર આ સ્કીમ હેઠળ અરજી કરશે, તેના મેન્યુફેક્ચરિંગ યુનિટનું ઇન્સ્પેક્શન કરવામાં આવશે. એટલે કે અધિકારીઓની ટીમ સ્થળ પર જઈને તપાસ કરશે કે ત્યાં ખરેખર ઉત્પાદન ગતિવિધિઓ થઈ રહી છે કે નહીં.
જૂનું એક્સપોર્ટ સમાપ્ત કરવા પર મળળે નવું ઓથોરાઇઝેશન
સરકારે તે પણ સ્પષ્ટ કરી દીધું કે જૂના ઓથોરાઇઝેશન હેઠળ ઓછામાં ઓછા 50 ટકા એક્સપોર્ટ કર્યા બાદ જ નવું ઓથોરાઇઝેશન જારી કરવામાં આવશે. તેનો ઉદ્દેશ્ય તે ખાતરી કરવાનો છે કે કારોબારી ઘણા અલગ-અલગ ઓથોરાઇઝેશન લઈને 100 કિલોની મર્યાદાનો નજરઅંદાજ ન કરે.
દર 15 દિવસમાં આપવો પડશે રિપોર્ટ
હવે આ સ્કીમનો ફાયદો લેનાર કારોબારીઓએ દર 15 દિવસે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટની વિગતો આપવી પડશે. આ સિવાય પ્રાદેશિક કાર્યાલયોને પણ દર મહિને જારી કરવામાં આવેલા ઓથોરાઇઝેશન અને તેની સાથે જોડાયેલો ઇમ્પોર્ટ-એક્સપોર્ટનો રિપોર્ટ સરકારને મોકલવો પડશે.
કેમ વધી સરકારની ચિંતા?
નિષ્ણાંતોનું માનવું છે કે ઇમ્પોર્ટ ડ્યુટી વધ્યા બાદ ઘરેલું અને આંતરરાષ્ટ્રીય કિંમતોમાં મોટું અંતર પેદા થઈ શકે છે. તેવામાં કેટલાક કારોબારી ડ્યૂટી ફ્રી ઇમ્પોર્ટ સ્કીમનો ઉપયોગ કરી ભારે નફો કમાવાનો પ્રયાસ કરી શકે છે. સરકારનું ધ્યાન હવે તેની ખાતરી કરવા પર છે કે એએ સ્કીમનો ઉપયોગ માત્ર વાસ્તવિક એક્પોર્ટ ગતિવિધિ માટે થાય અને કોઈ પ્રકારની સટ્ટાબાજી કે ટેક્સ બચાવવા માટે તેનો દુરૂપયોગ ન થાય.