PM Modi Appeal to citizens: ભીષણ ગરમીથી બચવા માટે PM મોદીએ દેશવાસીઓને કરી અપીલ, આ રીતે રાખજો ધ્યાન, નહીં તો…

Spread the love
દેશના ઘણા ભાગોમાં સતત વધતા તાપમાન અને ભીષણ ગરમીએ લોકોનું જીવવું મુશ્કેલ કરી દીધું છે. આકાશમાંથી વરસતી આ આગ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને અત્યંત ભાવુક અને મહત્વપૂર્ણ અપીલ કરી છે. પીએમ મોદીએ લોકોને આ સિઝનમાં સતર્ક, સાવધ અને એકબીજા પ્રત્યે સંવેદનશીલ રહેવા જણાવ્યું છે. વડાપ્રધાને નાગરિકોને પોતાના સ્વાસ્થ્યનું ખાસ ખ્યાલ રાખવાનો આગ્રહ કર્યો છે.

તેમણે કહ્યું કે તમામ લોકો પોતાને સંપૂર્ણ રીતે હાઇડ્રેટેડ રાખે. જ્યારે પણ ઘરની બહાર નીકળો ત્યારે પોતાની સાથે પાણીની બોટલ ચોક્કસ રાખો અને બપોરના આકરા તડકામાં વગર કારણે બહાર નીકળવાનું ટાળો.

વટેમાર્ગુઓ માટે મદદનો હાથ લંબાવો

પીએમ મોદીએ સમાજમાં એકબીજાની મદદ કરવા પર ભાર મૂકતા કહ્યું કે જો શક્ય હોય તો, કોઈપણ તરસ્યા વ્યક્તિને એક ગ્લાસ પાણી જરૂર પીવડાવો. આ સાથે જ તેમણે એ લોકોની દિલથી પ્રશંસા કરી, જેઓ આ કાળઝાળ ગરમીમાં વટેમાર્ગુઓને રાહત આપવા માટે પોતાના ઘર અને દુકાનોની બહાર માટલામાં ઠંડું પાણી રાખે છે.

વૃદ્ધો અને સ્વજનોનો રાખો ખાસ ખ્યાલ

આ સિઝનમાં વૃદ્ધોને સૌથી વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને વડાપ્રધાને અપીલ કરી છે કે તમામ લોકો પોતાના માતા-પિતા, દાદા-દાદી, નાના-નાની અને અન્ય સ્વજનોના સતત ખબર-અંતર પૂછતા રહે. તેમને સલાહ આપે કે તેઓ પૂરતા પ્રમાણમાં પાણી પીતા રહે, બપોરના આકરા તડકામાં બહાર બિલકુલ ન જાય અને વધુમાં વધુ આરામ કરે.

અબોલ પશુ-પક્ષીઓ માટે કરો આ નાનું કામ

માણસોની સાથે સાથે પીએમ મોદીએ અબોલ જીવ-જંતુઓનું દર્દ પણ વહેંચ્યું હતું. તેમણે લોકોને અપીલ કરી છે કે તેઓ પોતાના ઘર, બાલ્કની, ધાબા, દુકાન કે ઓફિસની બહાર પાણીથી ભરેલું એક નાનું વાસણ જરૂર રાખે, જેથી આ પ્રચંડ ગરમીમાં તરસ્યા પક્ષીઓને સરળતાથી પાણી મળી રહે. વડાપ્રધાને અંતમાં જણાવ્યું હતું કે, આ ભીષણ ગરમીના સમયમાં આપણે સંવેદનશીલતા અને કરુણા સાથે એકબીજાનું તેમજ આપણી આસપાસના જીવ-જંતુઓનું ધ્યાન રાખવું જોઈએ.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *