
ગુજરાત (Gujarat) સરકારના વહીવટી વિભાગમાં મોટો ફેરબદલ
ગુજરાત સચિવાલયમાં વહીવટી તંત્રને વધુ ગતિશીલ અને કાર્યક્ષમ બનાવવા માટે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.
આ નિર્ણય અંતર્ગત 36 સેક્શન અધિકારીઓ (SO) અને 81 નાયબ સેક્શન અધિકારીઓ (DYSO) ની બદલી અને બઢતીના સત્તાવાર આદેશો જાહેર કરવામાં આવ્યા છે. સચિવાલયના વહીવટી માળખામાં થયેલો આ ફેરફાર અત્યંત મહત્વનો માનવામાં આવે છે, કારણ કે તેના દ્વારા વિવિધ વિભાગોની કામગીરીમાં વધુ પારદર્શિતા અને ઝડપ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ આદેશોને પગલે સંબંધિત અધિકારીઓએ તાત્કાલિક નવી જગ્યાએ કાર્યભાર સંભાળી લેવા સૂચના આપવામાં આવી છે.
જુઓ બદલી અને પ્રમોશન પામેલા અધિકારીઓની યાદી






