જૂના વાહન ચલાવતા હોય તો સાવધાન! E20 પેટ્રોલથી આ પાર્ટ્સ ઝડપથી થઈ શકે છે ખરાબ, ARAIની રિપોર્ટમાં ખુલાસો

Spread the love

ભારતના બધા પેટ્રોલ પંપ 20 ટકા ઇથેનોલ-મિશ્રિત પેટ્રોલ, અથવા E20 પેટ્રોલ વેચી રહ્યા છે. લોકોને ચિંતા છે કે E20 પેટ્રોલ ફક્ત તેમની બાઇક અને કારના માઇલેજને જ નહીં, પરંતુ તેમના એન્જિનને પણ નુકસાન પહોંચાડી શકે છે. જો કે, આ ચિંતા અંગે, સરકારે જણાવ્યું છે કે E20 પેટ્રોલ પર હાલમાં પરીક્ષણ ચાલી રહ્યું છે, જેના પરિણામો આવતા વર્ષે આવવાની અપેક્ષા છે.આ દરમિયાન, ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઇન્ડિયા (ARAI)ના એક નવા રિપોર્ટ જૂના વાહનોના માલિકોની ચિંતા વધારી દીધી છે. અહેવાલ મુજબ, ફક્ત E10 પેટ્રોલ માટે રચાયેલ વાહનોમાં E20 પેટ્રોલનો ઉપયોગ કરવાથી ઇંધણ પ્રણાલીના રબર ભાગોને નુકસાન થઈ શકે છે. જો કે, રાહતની વાત એ છે કે ટુ-વ્હીલર પર કોઈ પ્રતિકૂળ અસરો જોવા મળી નથી. ARAIએ આ ઇંધણની અસરોને સમજવા માટે વિવિધ એન્જિન પર અનેક ટેસ્ટ કર્યા.

 

ટર્બોચાર્જ્ડ એન્જિન સાથે સમસ્યાઓ

 

ફોર-વ્હીલર એન્જિન ટેસ્ટિંગ દરમિયાન, BS-VI ટર્બોચાર્જ્ડ એન્જિનમાં 265 કલાકના ઓપરેશન પછી સમસ્યાઓનો અનુભવ થયો. જો કે, જૂનું BS-IV એન્જિન E20 ઇંધણ પર સારું ચાલ્યું.

 

પાર્ટ ફેઇલર

 

કાર ઉત્પાદકોએ અલગ અલગ પરીક્ષણો કર્યા હતા, જ્યારે એક કંપનીના વાહને 400 કલાકના ટેસ્ટિંગમાં સફળતા મેળવી હતી, જ્યારે બીજી કંપનીના એન્જિનમાં 809 કલાકના પરીક્ષણ પછી થર્મોમિકેનિકલ ફેલિયરનો અનુભવ થયો હતો, જેના કારણે વધુ પડતી ગરમી અને દબાણને કારણે તેનો એક્ઝોસ્ટ વાલ્વ ફાટી ગયો હતો અથવા વાંકો થઈ ગયો હતો. જોકે, એક્સપર્ટ સૂચવે છે કે E20 ઉપરાંત અન્ય પરિબળો આ માટે જવાબદાર હોઈ શકે છે.

 

મેટલ પાર્ટ્સ સેફ

 

સારી વાત એ છે કે, E20નો વાહનોના લોખંડ અથવા ધાતુના ભાગો પર કોઈ પ્રતિકૂળ અસર થઈ ન હતી. વાહન શરૂ કરવામાં કે ચલાવવામાં કોઈ સમસ્યા નહોતી.

 

સૌથી વધુ સંવેદનશીલ હોય છે રબરના ભાગો

 

એન્જિનિયરો કહે છે કે ઇથેનોલ ખૂબ જ ઝડપથી ભેજ શોષી લે છે. પરિણામે, E20ના ઉપયોગ માટે ડિઝાઇન ન કરાયેલા વાહનોમાં રબર અને પ્લાસ્ટિકના ભાગો, જેમ કે નળી, ગાસ્કેટ, સીલ અને ઓ-રિંગ્સ, સમય જતાં કાટ લાગી શકે છે અથવા ઘસાઈ શકે છે, જેને બદલવાની જરૂર પડે છે.

 

માઇલેજમાં ઘટાડો

 

રિપોર્ટમાં એ પણ બહાર આવ્યું છે કે E10ની તુલનામાં E20 પેટ્રોલનો ઉપયોગ કરતી વખતે ઇંધણનો વપરાશ 2થી 6 ટકા વધ્યો છે. આનો અર્થ એ છે કે લોકોને હવે પહેલા કરતા ઓછું માઇલેજ મળી રહ્યું છે.

 

કંપનીઓ દાવો કરે છે કે વાહનો સંપૂર્ણપણે સલામત

 

જો કે આ અહેવાલમાં કેટલીક ચિંતાઓ ઉભી કરવામાં આવી છે, પરંતુ મારુતિ સુઝુકી, ટોયોટા, હ્યુન્ડાઇ, હીરો મોટોકોર્પ, ટીવીએસ અને બજાજ જેવી મોટી ભારતીય કંપનીઓએ E20 પેટ્રોલને સલામત જાહેર કર્યું છે.મારુતિ સુઝુકીએ તેના સર્વિસ ડેટાને ટાંકીને જણાવ્યું હતું કે તેણે નાણાકીય વર્ષ 2026માં 28.4 મિલિયન વાહનોની સર્વિસ કરી હતી. આમાંથી, 15 મિલિયનથી વધુ વાહનો ત્રણ વર્ષથી વધુ જૂના હતા અને E20-પ્રમાણિત નહોતા, છતાં કાટ કે ક્ષતિગ્રસ્ત ભાગોની કોઈ ફરિયાદ નહોતી. કંપનીઓ કહે છે કે ભારતીય વાહનો પહેલાથી જ સલામતી માર્જિનને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે.

 

લોકો શા માટે ચિંતિત છે?

 

ભારતે એપ્રિલ 2025માં રાષ્ટ્રવ્યાપી E20 પેટ્રોલ લક્ષ્‍ય હાંસલ કર્યું, જે 2030ના લક્ષ્‍યથી પાંચ વર્ષ આગળ છે. આ ઝડપી પરિવર્તનથી 2012 પહેલા ઉત્પાદિત અને એપ્રિલ 2023 પહેલા ઉત્પાદિત વાહનોના માલિકો માટે ચિંતા વધી છે, જે E20-પ્રમાણિત નથી. વધુમાં, સરકાર હવે E22થી E30 સુધીના ઇંધણ રજૂ કરવાની તૈયારી કરી રહી છે, જે ચિંતાઓમાં વધુ વધારો કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *