Ginger: બજારમાં મળતા નકલી આદુથી સાવધાન! આ ટ્રિકથી 5 સેકેન્ડમાં ખબર પડી જશે અસલી છે કે નહીં

Spread the love

ચોમાસાની ઋતુમાં આદુનો ઉપયોગ નોંધપાત્ર રીતે વધી જાય છે. વરસાદી મોસમમાં લોકો ચા, કાવો, સૂપ અને વિવિધ વાનગીઓમાં આદુનો ભરપૂર ઉપયોગ કરે છે, કારણ કે તે શરીરને ગરમ રાખવામાં અને ઋતુજન્ય સમસ્યાઓથી બચવામાં મદદરૂપ માનવામાં આવે છે. પરંતુ આ વધતી માંગ વચ્ચે બજારમાં નકલી અથવા કેમિકલથી ટ્રીટ કરેલું આદુ પણ વેચાતું હોવાની ફરિયાદો સામે આવતી રહે છે.

આવા આદુનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બની શકે છે. તેથી ચોમાસામાં આદુ ખરીદતી વખતે તેની ગુણવત્તા તપાસવી ખૂબ જ જરૂરી છે. કેટલીક સરળ બાબતો પર ધ્યાન આપીને તમે સરળતાથી ઓળખી શકો છો કે આદુ કુદરતી છે કે તેને કેમિકલ અથવા એસિડથી પ્રક્રિયા કરવામાં આવ્યું છે. ચાલો જાણીએ ચોમાસામાં અસલી અને નકલી આદુ ઓળખવાની સરળ અને અસરકારક રીતો.

 

આ રીતે ઓળખો આદુ અસલી છે કે નકલી

 

છાલ: અસલી આદુની ઓળખ માટે છાલ પર ધ્યાન આપવું જરૂરી છે. જો આદુ અસલી હશે તો તેની છાલ ઉતારતી વખતે તે હાથમાં ચોંટશે અને સુગંધ પણ આવશે. જો તમને આદુની છાલ કડક અને ઉતારવામાં મુશ્કેલી લાગતી હોય તો તેનો અર્થ એ છે કે આદુ નકલી છે.

 

બનાવટ: ક્યારેય સાફ અને ચમકદાર આદુ ન ખરીદો. ઘણીવાર આદુને ડિટર્જન્ટ અને એસિડથી ધોવામાં આવે છે અને બચેલા કેમિકલથી તેને ચમકાવી દેવામાં આવે છે. એસિડમાં પલાળવાથી આદુ ઝેરી થઈ જાય છે અને તમે બીમાર પડી શકો છો. આદુને બે ભાગમાં તોડી લો અને જો તેમાં નાના-નાના દોરા નીકળતા હોય તો તેને તરત ખરીદી લો.

સુગંધ: જ્યારે પણ તમે માર્કેટમાં આદુ ખરીદવા માટે જશો તો એક ટુકડો ઉઠાવીને સ્મેલ પર ધ્યાન આપો. અસલી આદુની સુગંધ હંમેશા તીખી હોય છે, જ્યારે નકલી આદુમાં કોઈ ગંધ નથી હોતી. ઘણી જગ્યાઓ પર તમને પહાડના મૂળ આદુના રૂપમાં વેચાતા મળી જશે.

 

નખથી ચેક કરો: અસલી આદુને ઓળખવાની અન્ય એક રીત એ છે કે તમારા નખથી આદુ ખોતરી જુઓ. જો છાલ સહેલાઈથી નીકળી જાય અને આંગળીમાં તીખી ગંધ આવે તો તે અસલી છે. જો છાલ કડક હોય, તો તેને ખરીદશો નહીં, તે નકલી છે. ક્યારેક સ્વચ્છ છાલવાળું આદુ આકર્ષક લાગે છે. પરંતુ આવા આદુને ખરીદવાનું ટાળો, કારણ કે ધૂળને દૂર કરવા માટે તેને ઘણીવાર એસિડમાં બોળવામાં આવે છે, જે તેને ઝેરી બનાવે છે.

 

નકલી આદુથી કિડનીને ખતરો

 

નકલી આદુમાં ઉમેરવામાં આવતા કેમિકલ, જેમ કે સલ્ફર, બ્લીચિંગ એજન્ટ અથવા આર્ટિફિશિયલ કલર, શરીરમાં ઝેરનું કારણ બની શકે છે. આ લીવર, કિડની અને આંતરડા પર નકારાત્મક અસર કરી શકે છે. નકલી આદુમાં ઉપયોગમાં લેવાતા કેમિકલ પેટમાં દુખાવો, ગેસ અને અપચોનું કારણ બની શકે છે. આનાથી સ્કિન પર ફોલ્લીઓ, ખંજવાળ અથવા ગળામાં બળતરા જેવી એલર્જી થઈ શકે છે.

કેન્સરનું જોખમ

 

નકલી આદુમાં રહેલા હાનિકારક કેમિકલ્સનું લાંબા સમય સુધી સેવન કરવાથી કેન્સર થઈ શકે છે. તેમાં રહેલા કેટલાક કેમિકલ કેન્સરનું કારણ બની શકે છે. કેટલાક કિસ્સાઓમાં તે શ્વસન સંબંધી સમસ્યાઓનું કારણ પણ બની શકે છે. નકલી આદુમાં પોષક તત્વો હોતા નથી, જે રોગપ્રતિકારક શક્તિને નબળી બનાવી શકે છે. નકલી આદુમાં ઉપયોગમાં લેવાતા હાનિકારક ઘટકો બ્લડ પ્રેશર અને હૃદયના ધબકારા પર વિપરીત અસર કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *